પ્રસંગોમાં 400 લોકોના મેળાવડાને આપો છૂટ : 6 મહિનાથી બેકાર મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલ એસોની કલેકટરને રાવ
2100 પરિવાર અનલોક-4 માં પણ આર્થિક ભીંસમાંથી પસાર
100 લોકોની મર્યાદાને લઈ માંડવા મુહરતો ન થતા ફરાસખાનાના વ્યાવસાયિકો આવ્યા મેદાને
ભરૂચ.ઉધોગો, મોલ્સ અન્ય વેપાર-ધંધા અને દુકાનોને અનલોક-4 માં પણ અનેક છૂટછાટો અપાઈ છે પરંતુ છેલ્લા 6 મહિનાથી બેકારીમાં સપડાયેલા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલના વ્યવસાયને અનલોક-4 માં પણ 100 વ્યક્તિની મર્યાદાને લઈ માંડવા મુહરત કે શુભ પ્રસંગો થઈ રહ્યા નથી.
આવી લાગણી અને માગણી સાથે ભરૂચ જિલ્લા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલ એસોસિયેશને સોમવારે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. તેઓએ લાગણી જણાવી છે કે છેલ્લા 6 મહિનાથી લગ્નો, ધાર્મિક, શુભ પ્રસંગો સહિત સામાજિક સહિતના મેળાવડા બંધ હોય 100 વ્યાવસાયિકો અને તેની સાથે જોડાયેલા 2000 થી વધુ શ્રમિકોના પરિવારો બેકારી તેમજ આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યા છે.
અનલોક 4 માં સરકારે 100 વ્યક્તિના મેળાવડાની છૂટ આપી છે પણ આટલી સંખ્યા માટે કોઈ કેટરર્સ ને હાયર કરી માંડવા બંધાવી રહયું નથી કે ખર્ચ કરી રહ્યું નથી. ઉધોગો, હોટલો અન્ય વેપાર ધંધા ને અપાયેલ છૂટ મુજબ ફરાસ ખાના ને પણ 400 વ્યક્તિની છૂટ અપાઈ તો ખતમ થઈ ગયેલો વ્યવસાય સરકારની ગાઈડલાઈન મુજબ ચાલી શકે છે.
- પ્રસંગોમાં 400 લોકોના મેળાવડાને આપો છૂટ : 6 મહિનાથી બેકાર મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલ એસોની કલેકટરને રાવ
- 2100 પરિવાર અનલોક-4 માં પણ આર્થિક ભીંસમાંથી પસાર
- 100 લોકોની મર્યાદાને લઈ માંડવા મુહરતો ન થતા ફરાસખાનાના વ્યાવસાયિકો આવ્યા મેદાને
ભરૂચ.ઉધોગો, મોલ્સ અન્ય વેપાર-ધંધા અને દુકાનોને અનલોક-4 માં પણ અનેક છૂટછાટો અપાઈ છે પરંતુ છેલ્લા 6 મહિનાથી બેકારીમાં સપડાયેલા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલના વ્યવસાયને અનલોક-4 માં પણ 100 વ્યક્તિની મર્યાદાને લઈ માંડવા મુહરત કે શુભ પ્રસંગો થઈ રહ્યા નથી.
આવી લાગણી અને માગણી સાથે ભરૂચ જિલ્લા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલ એસોસિયેશને સોમવારે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. તેઓએ લાગણી જણાવી છે કે છેલ્લા 6 મહિનાથી લગ્નો, ધાર્મિક, શુભ પ્રસંગો સહિત સામાજિક સહિતના મેળાવડા બંધ હોય 100 વ્યાવસાયિકો અને તેની સાથે જોડાયેલા 2000 થી વધુ શ્રમિકોના પરિવારો બેકારી તેમજ આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યા છે.
અનલોક 4 માં સરકારે 100 વ્યક્તિના મેળાવડાની છૂટ આપી છે પણ આટલી સંખ્યા માટે કોઈ કેટરર્સ ને હાયર કરી માંડવા બંધાવી રહયું નથી કે ખર્ચ કરી રહ્યું નથી. ઉધોગો, હોટલો અન્ય વેપાર ધંધા ને અપાયેલ છૂટ મુજબ ફરાસ ખાના ને પણ 400 વ્યક્તિની છૂટ અપાઈ તો ખતમ થઈ ગયેલો વ્યવસાય સરકારની ગાઈડલાઈન મુજબ ચાલી શકે છે.