કોમ્પ્યુટરની કોઈ પણ ભૂલ હોય તો 30 દિવસમાં સુધારા કરવાની સમગ્ર સત્તા મામલતદારને આપેલી છે, છતા આદીવાસી ખેડૂતને ધક્કા ખવડવાય છે
મહેસુલી રેકોર્ડનું 2005 માં કોમ્પ્યુટરાઈઝડ કરતા રેકોર્ડ પરથી દાદાનું નામ ગાયબ થયું
ભરૂચ. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં જરૂરી દસ્તાવેજોને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યા છે. હસ્તલિખિત રેવન્યુ રેકર્ડમાંથી નામોને કોમ્પ્યુટરાઈઝ કરતી વખતે અમુક નામો ગાયબ થઈ ગયા હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે, આદીવાસી ખેડુત રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવવા 8 વર્ષથી ધરમના ધક્કા ખાઈ રહ્યો છે. જો 2 દિવસમાં નામ દાખલ ન થયું તો તિલકવાડા મામલતદાર કચેરીએ જ આત્મવિલોપનની ચીમકી આદીવાસી ખેડૂતે આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામના સ્વ.કરશનભાઈ જેસંગભાઈ ભીલનું નામ જુના હસ્ત લિખિત 7/12 , 8(અ) ના રેકર્ડમાં ચાલતું હતું. વર્ષ 2005 માં જ્યારે મેહસુલી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન થયું ત્યારે એમનું નામ ડેતા એન્ટ્રી વખતે ચઢાવવાનું રહી ગયું હતું. હવે આ જ બાબત લઈને કરશનભાઈ જેસંગભાઈ ભીલનો પૌત્ર વિજયભાઈ ભીમાભાઈ ભીલ દ્વારા વર્ષ 2012, 2019 અને 2020 માં નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત અરજી કરી પોતાના દાદાનું નામ દાખલ કરવા અરજી કરી હતી. છેલ્લા 8 વર્ષથી ફક્ત પોતાના સ્વ.દાદાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવવા જેવી સામાન્ય બાબતે ધરમના ધક્કા ખાવાનો આદિવાસી ખેડૂતને વારો આવ્યો હતો.
આદીવાસી ખેડૂત વિજયભાઈ ભીમાભાઈ ભીલે જણાવ્યું હતું કે, મેં મારા દાદાનું નામ દાખલ કરવા મામલતદાર કચેરીએ ઘણી રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, ગુજરાત સરકારનો જ 10 માર્ચ 2016 નો પરિપત્ર છે કે, કોમ્પ્યુટરની કોઈ પણ ભૂલ થઈ હોય તો એ બાબતે 30 દિવસમાં સુધારા કરવાની સમગ્ર સત્તા જે તે તાલુકાના મામલતદારને આપેલી છે તેમ છતાં મને ધક્કા ખવડાવે છે.
મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, મને મામલતદારને પણ મળવા જવા દેવાતો નથી. તંત્રના અધિકારીઓના દરવાજા આમ જનતા માટે ખુલ્લા ન હોય તો બીજા કોના માટે ખુલ્લા હોય.જો 2 દિવસમાં મારી અરજીનો નિકાલ નહિ થાય તો હું મામલતદાર કચેરીએ આમરણાંત ઉપવાસ કરીશ, તે છતાં જો મને ન્યાય નહિ મળે તો હું અહીંયા જ આત્મવિલોપન કરીશ.
- કોમ્પ્યુટરની કોઈ પણ ભૂલ હોય તો 30 દિવસમાં સુધારા કરવાની સમગ્ર સત્તા મામલતદારને આપેલી છે, છતા આદીવાસી ખેડૂતને ધક્કા ખવડવાય છે
- મહેસુલી રેકોર્ડનું 2005 માં કોમ્પ્યુટરાઈઝડ કરતા રેકોર્ડ પરથી દાદાનું નામ ગાયબ થયું
ભરૂચ. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં જરૂરી દસ્તાવેજોને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યા છે. હસ્તલિખિત રેવન્યુ રેકર્ડમાંથી નામોને કોમ્પ્યુટરાઈઝ કરતી વખતે અમુક નામો ગાયબ થઈ ગયા હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે, આદીવાસી ખેડુત રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવવા 8 વર્ષથી ધરમના ધક્કા ખાઈ રહ્યો છે. જો 2 દિવસમાં નામ દાખલ ન થયું તો તિલકવાડા મામલતદાર કચેરીએ જ આત્મવિલોપનની ચીમકી આદીવાસી ખેડૂતે આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામના સ્વ.કરશનભાઈ જેસંગભાઈ ભીલનું નામ જુના હસ્ત લિખિત 7/12 , 8(અ) ના રેકર્ડમાં ચાલતું હતું. વર્ષ 2005 માં જ્યારે મેહસુલી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન થયું ત્યારે એમનું નામ ડેતા એન્ટ્રી વખતે ચઢાવવાનું રહી ગયું હતું. હવે આ જ બાબત લઈને કરશનભાઈ જેસંગભાઈ ભીલનો પૌત્ર વિજયભાઈ ભીમાભાઈ ભીલ દ્વારા વર્ષ 2012, 2019 અને 2020 માં નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત અરજી કરી પોતાના દાદાનું નામ દાખલ કરવા અરજી કરી હતી. છેલ્લા 8 વર્ષથી ફક્ત પોતાના સ્વ.દાદાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવવા જેવી સામાન્ય બાબતે ધરમના ધક્કા ખાવાનો આદિવાસી ખેડૂતને વારો આવ્યો હતો.
આદીવાસી ખેડૂત વિજયભાઈ ભીમાભાઈ ભીલે જણાવ્યું હતું કે, મેં મારા દાદાનું નામ દાખલ કરવા મામલતદાર કચેરીએ ઘણી રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, ગુજરાત સરકારનો જ 10 માર્ચ 2016 નો પરિપત્ર છે કે, કોમ્પ્યુટરની કોઈ પણ ભૂલ થઈ હોય તો એ બાબતે 30 દિવસમાં સુધારા કરવાની સમગ્ર સત્તા જે તે તાલુકાના મામલતદારને આપેલી છે તેમ છતાં મને ધક્કા ખવડાવે છે.
મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, મને મામલતદારને પણ મળવા જવા દેવાતો નથી. તંત્રના અધિકારીઓના દરવાજા આમ જનતા માટે ખુલ્લા ન હોય તો બીજા કોના માટે ખુલ્લા હોય.જો 2 દિવસમાં મારી અરજીનો નિકાલ નહિ થાય તો હું મામલતદાર કચેરીએ આમરણાંત ઉપવાસ કરીશ, તે છતાં જો મને ન્યાય નહિ મળે તો હું અહીંયા જ આત્મવિલોપન કરીશ.