એક તરફ મુખ્યમંત્રીની રાજ્યને સરપ્લસ વોટર સ્ટેટ બનાવવાની વાત, બીજી તરફ નર્મદા કિનારે વસેલા ભરૂચના જ ખેડૂતો નિરથી વંચિત
ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જબુંસર તાલુકાના છેવાડા સુધી સિંચાઈનું પાણી નથી પહોંચતું
WatchGujarat. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યને વીજળીની જેમ પાણીમાં પણ સર પ્લસ બનાવવાની વાતો કરી રહ્યા છે ત્યાં, ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જબુંસર તાલુકાના છેવાડા સુધી સિંચાઈનું પાણી નહિ પહોંચતુ હોવાંની હકકિત ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે.
સાંસદે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને 3 ડિસેમ્બરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના જંબુસર , આમોદ , વાગરા તથા ભરૂચ તાલુકાના કમાન્ડ એરીયામાં આવતા ટેલ (છેવાડા) વિસ્તારના ગામોના ખેડુતોને ખેતીના સિંચાઈ માટે પાણી મળતું નથી.
આ વિસ્તારમાં નહેરો બની ગઈ છે , જયાં પાઈપલાઈન જરૂર છે , ત્યાં પાઈપલાઈન પણ નખાઇ ગઇ છે. જોકે કેટલીક જગ્યાએ તકલાદી કામ હોવાના કારણે પાઈપલાઈન તથા નહેરો તુટી ગઈ છે. તેના કારણે ભરૂચ જિલ્લાના ચારેય તાલુકાના ખેડુતોને સિંચાઈ માટે પીવાનું પાણી મળતુ નથી. આ બાબતે છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારના ખેડુતોની સતત રજુઆતો રહી છે , છેલ્લે આ બાબતે સાંસદે CM ને 27 નવેમ્બરે નર્મદા નહેરાના સિંચાઈના પ્રશ્ન બાબતે વિગતવાર પત્ર લખી જાણ કરી હતી.
હાલ ખેતીની સિઝન ચાલુ થઈ ગઈ છે , સિંચાઈના પાણીની ખેડુતોને ખુબ જ જરૂરીયાત છે , છતાં પણ સિંચાઈના પાણી બાબતે આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને ચારેય તાલુકાના ખેડુતોમાં સરકાર પ્રત્યે ખુબ જ નારાજગી વધી રહી છે , તેથી તાત્કાલીક ધોરણે આ ચારેય તાલુકાના ખેડુતોને ટેલ સુધી પાણી મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરાવવા CM ને અનુરોધ કરાયો છે.
More #MP #Mansukhbhai Vasava #Farmers #CM #Bharuch News
એક તરફ મુખ્યમંત્રીની રાજ્યને સરપ્લસ વોટર સ્ટેટ બનાવવાની વાત, બીજી તરફ નર્મદા કિનારે વસેલા ભરૂચના જ ખેડૂતો નિરથી વંચિત
ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જબુંસર તાલુકાના છેવાડા સુધી સિંચાઈનું પાણી નથી પહોંચતું
WatchGujarat. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યને વીજળીની જેમ પાણીમાં પણ સર પ્લસ બનાવવાની વાતો કરી રહ્યા છે ત્યાં, ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જબુંસર તાલુકાના છેવાડા સુધી સિંચાઈનું પાણી નહિ પહોંચતુ હોવાંની હકકિત ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે.
સાંસદે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને 3 ડિસેમ્બરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના જંબુસર , આમોદ , વાગરા તથા ભરૂચ તાલુકાના કમાન્ડ એરીયામાં આવતા ટેલ (છેવાડા) વિસ્તારના ગામોના ખેડુતોને ખેતીના સિંચાઈ માટે પાણી મળતું નથી.
આ વિસ્તારમાં નહેરો બની ગઈ છે , જયાં પાઈપલાઈન જરૂર છે , ત્યાં પાઈપલાઈન પણ નખાઇ ગઇ છે. જોકે કેટલીક જગ્યાએ તકલાદી કામ હોવાના કારણે પાઈપલાઈન તથા નહેરો તુટી ગઈ છે. તેના કારણે ભરૂચ જિલ્લાના ચારેય તાલુકાના ખેડુતોને સિંચાઈ માટે પીવાનું પાણી મળતુ નથી. આ બાબતે છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારના ખેડુતોની સતત રજુઆતો રહી છે , છેલ્લે આ બાબતે સાંસદે CM ને 27 નવેમ્બરે નર્મદા નહેરાના સિંચાઈના પ્રશ્ન બાબતે વિગતવાર પત્ર લખી જાણ કરી હતી.
હાલ ખેતીની સિઝન ચાલુ થઈ ગઈ છે , સિંચાઈના પાણીની ખેડુતોને ખુબ જ જરૂરીયાત છે , છતાં પણ સિંચાઈના પાણી બાબતે આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને ચારેય તાલુકાના ખેડુતોમાં સરકાર પ્રત્યે ખુબ જ નારાજગી વધી રહી છે , તેથી તાત્કાલીક ધોરણે આ ચારેય તાલુકાના ખેડુતોને ટેલ સુધી પાણી મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરાવવા CM ને અનુરોધ કરાયો છે.
More #MP #Mansukhbhai Vasava #Farmers #CM #Bharuch News