ગાંધી પરિવાર બાદ કોંગ્રેસમાં બીજા સ્થાને બિરાજતા
ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી, ગાંધી પરિવારના સૌથી વિશ્વાસુ અને ભરોસાપાત્ર
3 વખત લોકસભા સાંસદ અને 5 વખત રાજયસભાના સાંસદ રહ્યાં
Watchgujarat. સશક્ત અને લોપ્રોફાઇલ અહેમદ પટેલ સાયલન્ટ અને ગાંધી પરિવાર સિવાય દરેક માટે સિક્રેટિવ હતા. કોંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ નંબર 2 ના સ્થાન પર ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા ગાંધી સુધી મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં હતા.
ભરુચ જિલ્લાના અંકલેશ્વરના પીરામણમાં જન્મેલા અહેમદ પટેલ 3 વખત વર્ષ 1977, 1980 અને 1984માં લોકસભા સાંસદ અને 5 વખત વર્ષ 1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી રાજયસભાના સાંસદ રહી ચૂકયા હતા. અહેમદ પટેલ પહેલી વખત 1977 માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62879 મતથી જીત્યા હતા
વર્ષ 1977 થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં હતા. સપ્ટેમ્બર 1983 થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985 માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ હતા.
સપ્ટેમ્બર 1985 થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓકટોબર 1988 સુધી રહ્યાં. 1991 માં જયારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.
1996 માં અહેમદ પટેલને ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000 માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જયોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.
અહેમદ પટેલ ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977 માં ચૂંટણીમાં જયારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આયોજીત કરી રાજી કરી લીધા હતા.
1977 માં જયારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980 ના ચૂંટણીમાં જયારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.
અહેમદ પટેલ 10 જનપથના ચાણકય કહેવાતા હતા. તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ નંબર- 2 માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યકિત માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા.
ગાંધી પરિવાર બાદ કોંગ્રેસમાં બીજા સ્થાને બિરાજતા
ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી, ગાંધી પરિવારના સૌથી વિશ્વાસુ અને ભરોસાપાત્ર
3 વખત લોકસભા સાંસદ અને 5 વખત રાજયસભાના સાંસદ રહ્યાં
Watchgujarat. સશક્ત અને લોપ્રોફાઇલ અહેમદ પટેલ સાયલન્ટ અને ગાંધી પરિવાર સિવાય દરેક માટે સિક્રેટિવ હતા. કોંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ નંબર 2 ના સ્થાન પર ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા ગાંધી સુધી મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં હતા.
ભરુચ જિલ્લાના અંકલેશ્વરના પીરામણમાં જન્મેલા અહેમદ પટેલ 3 વખત વર્ષ 1977, 1980 અને 1984માં લોકસભા સાંસદ અને 5 વખત વર્ષ 1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી રાજયસભાના સાંસદ રહી ચૂકયા હતા. અહેમદ પટેલ પહેલી વખત 1977 માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62879 મતથી જીત્યા હતા
વર્ષ 1977 થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં હતા. સપ્ટેમ્બર 1983 થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985 માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ હતા.
સપ્ટેમ્બર 1985 થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓકટોબર 1988 સુધી રહ્યાં. 1991 માં જયારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.
1996 માં અહેમદ પટેલને ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000 માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જયોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.
અહેમદ પટેલ ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977 માં ચૂંટણીમાં જયારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આયોજીત કરી રાજી કરી લીધા હતા.
1977 માં જયારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980 ના ચૂંટણીમાં જયારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.
અહેમદ પટેલ 10 જનપથના ચાણકય કહેવાતા હતા. તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ નંબર- 2 માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યકિત માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓ શું વિચારી રહ્યાં હતા.