શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ દાહોદની ગેંગ શહેરમાં સક્રિય બની હતી
એક જ રાતમાં 3 થી 4 સ્થળોએ દુકાનોના શટર તોડતા જતા
મજૂરીકામ અને મહેનતાણું નહિ મળતા રૂપિયા કમાવવા ચોરીના રવાળે 30 થી 35 વર્ષના દાહોદના લબરમુછીયા ચઢ્યા
WatchGujarat. ભરૂચ શહેરમાં છેલ્લા એક મહિનાથી મંદિરની દાનપેટીઓ અને દુકાનોના શટરો તોડતી ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. શહેરમાં 30 દિવસમાં જ 8 મંદિરો અને 9 દુકાનોમાં ધાપ મારનાર ટોળકીના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ભરૂચ શહેરમાં બુધવારે રાતે નંદેલાવ રોડ દ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભુમી મેચીંગ સેન્ટર તેમજ ગોદી રોડ રૂત્વા પેલેસમાં આવેલ મારૂતી બુક સ્ટોર નામની દુકાનોના શટર તોડી ચોરી થઈ હતી. ભરૂચ શહેર એ ડીવીઝન પીઆઇ એ.કે.ભરવાડની સુચના આધારે સર્વેલન્સના માણસો ગુનાને અંજામ આપનાર અજાણયા ઇસમોના CCTV વર્ણન આધારે બનાવના સ્થળ તથા ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
બાતમીદારથી બાતમી મળેલ કે સદર ગુનાને અંજામ આપનાર દેખાતા ઇસમો મામલતદાર કચેરી ભરૂચ પાછળ રેલ્વે પાટાની નીચે ઝુપડપટ્ટી ખાતે રહે છે. ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી સર્વેલન્સ ટીમ બાતમીવાળી જગ્યાએ જતા 4 ઇસમો હાજર મળી આવેલ. જેઓને પુછપરછ કરતા નંદેલાવ રોડ પર રાત્રીના દ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભુમી મેચીંગ સેન્ટર તેમજ ગોદી રોડ રૂત્વા પેલેસમાં આવેલ મારૂતી બુક સ્ટોર નામની દુકાનોના શટર તોડી ચોરી કરેલાનુ કબુલાત કરી હતી.
પોલીસે મહેશભાઇ શનુભાઇ ભુરીયા, અલેશભાઇ ચુનીલાલ ગણાવા, કરણભાઈ રત્નાભાઇ ભાભોર અને અર્જુન શંકરભાઇ મોહણીયા હાલ રહે ભરૂચ રેલવે પાટા પાસે મૂળ રહે દાહોદની ધરપકડ કરી હતી. જ્યારે રાકેશ બચુભાઇ મેડા રહે . શક્તિનાથ ગરનાળા રેલ્વે પાટાની નીચે ભરૂચને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ચારેય આરોપીએ એક મહિનામાં 8 મંદિર અને 9 દુકાનોના શટર તોડ્યા હોવાની કબૂલાત કરી છે. જેમા ભરૂચ આશ્રય સોસાયટી પાસે જગન્નાથ મંદીર, જુની મામલતદાર ઓફીસ સામે આવેલ હનુમાનજીના મંદીર, સંતોષીમાતા મંદીર, લીંક રોડ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદીર અને અંબામાતાના મંદીરની દાનપેટીમાંથી પરચુરણ રકમની ચોરી કરી હતી.
એકાદ અઠવાડીયા અગાઉ રાત્રીના સમયે તુલસીધામ વિસ્તારમાં નારયણ કુંજ સોસાયટીના મંદીર અને એસ.ટી.ડેપો સામે આવેલ મહાદેવ મંદીરની દાનપેટીમાંથી પરચુરણ રકમની ચોરી હતી.
શક્તિનાથ ગરનાળા પાસે આવેલ એક કરીયાણાની દુકાન તોડી પ્રવેશ કરી કરીયાણનો સામાન, પાંચબત્તી પેટ્રોલ પંપની સામે આવેલ સાડીની દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં પરચુરણ રકમની ચોરી કરેલ. હોસ્ટેલ ગ્રાઉંડ પાછળ આવેલ જૈન મંદીરનો દરવાજો તોડવાની કોશીશ કરેલ પરંતુ દરવાજાનુ તાળુ નહી તુટતા ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે 10-11 ફેબ્રુઆરીની રાત્રે શક્તિનાથ ગરનાળાની સામે ઇલેક્ટ્રોનીકની તેમજ અન્ય 3 દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી.
શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ દાહોદની ગેંગ શહેરમાં સક્રિય બની હતી
એક જ રાતમાં 3 થી 4 સ્થળોએ દુકાનોના શટર તોડતા જતા
મજૂરીકામ અને મહેનતાણું નહિ મળતા રૂપિયા કમાવવા ચોરીના રવાળે 30 થી 35 વર્ષના દાહોદના લબરમુછીયા ચઢ્યા
WatchGujarat. ભરૂચ શહેરમાં છેલ્લા એક મહિનાથી મંદિરની દાનપેટીઓ અને દુકાનોના શટરો તોડતી ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. શહેરમાં 30 દિવસમાં જ 8 મંદિરો અને 9 દુકાનોમાં ધાપ મારનાર ટોળકીના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ભરૂચ શહેરમાં બુધવારે રાતે નંદેલાવ રોડ દ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભુમી મેચીંગ સેન્ટર તેમજ ગોદી રોડ રૂત્વા પેલેસમાં આવેલ મારૂતી બુક સ્ટોર નામની દુકાનોના શટર તોડી ચોરી થઈ હતી. ભરૂચ શહેર એ ડીવીઝન પીઆઇ એ.કે.ભરવાડની સુચના આધારે સર્વેલન્સના માણસો ગુનાને અંજામ આપનાર અજાણયા ઇસમોના CCTV વર્ણન આધારે બનાવના સ્થળ તથા ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
બાતમીદારથી બાતમી મળેલ કે સદર ગુનાને અંજામ આપનાર દેખાતા ઇસમો મામલતદાર કચેરી ભરૂચ પાછળ રેલ્વે પાટાની નીચે ઝુપડપટ્ટી ખાતે રહે છે. ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી સર્વેલન્સ ટીમ બાતમીવાળી જગ્યાએ જતા 4 ઇસમો હાજર મળી આવેલ. જેઓને પુછપરછ કરતા નંદેલાવ રોડ પર રાત્રીના દ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભુમી મેચીંગ સેન્ટર તેમજ ગોદી રોડ રૂત્વા પેલેસમાં આવેલ મારૂતી બુક સ્ટોર નામની દુકાનોના શટર તોડી ચોરી કરેલાનુ કબુલાત કરી હતી.
પોલીસે મહેશભાઇ શનુભાઇ ભુરીયા, અલેશભાઇ ચુનીલાલ ગણાવા, કરણભાઈ રત્નાભાઇ ભાભોર અને અર્જુન શંકરભાઇ મોહણીયા હાલ રહે ભરૂચ રેલવે પાટા પાસે મૂળ રહે દાહોદની ધરપકડ કરી હતી. જ્યારે રાકેશ બચુભાઇ મેડા રહે . શક્તિનાથ ગરનાળા રેલ્વે પાટાની નીચે ભરૂચને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ચારેય આરોપીએ એક મહિનામાં 8 મંદિર અને 9 દુકાનોના શટર તોડ્યા હોવાની કબૂલાત કરી છે. જેમા ભરૂચ આશ્રય સોસાયટી પાસે જગન્નાથ મંદીર, જુની મામલતદાર ઓફીસ સામે આવેલ હનુમાનજીના મંદીર, સંતોષીમાતા મંદીર, લીંક રોડ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદીર અને અંબામાતાના મંદીરની દાનપેટીમાંથી પરચુરણ રકમની ચોરી કરી હતી.
એકાદ અઠવાડીયા અગાઉ રાત્રીના સમયે તુલસીધામ વિસ્તારમાં નારયણ કુંજ સોસાયટીના મંદીર અને એસ.ટી.ડેપો સામે આવેલ મહાદેવ મંદીરની દાનપેટીમાંથી પરચુરણ રકમની ચોરી હતી.
શક્તિનાથ ગરનાળા પાસે આવેલ એક કરીયાણાની દુકાન તોડી પ્રવેશ કરી કરીયાણનો સામાન, પાંચબત્તી પેટ્રોલ પંપની સામે આવેલ સાડીની દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં પરચુરણ રકમની ચોરી કરેલ. હોસ્ટેલ ગ્રાઉંડ પાછળ આવેલ જૈન મંદીરનો દરવાજો તોડવાની કોશીશ કરેલ પરંતુ દરવાજાનુ તાળુ નહી તુટતા ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે 10-11 ફેબ્રુઆરીની રાત્રે શક્તિનાથ ગરનાળાની સામે ઇલેક્ટ્રોનીકની તેમજ અન્ય 3 દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી.