વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓ વિકાસની નવી તકો સાથે બનશે નંદનવન : CM
આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂ. 385 કરોડના ખર્ચે 4 જેટલી નવી પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી
ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા શેલ્ટર હોમનુ પણ કરાયુ ઈ લોકાર્પણ
WatchGujarat. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. 385 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા 198 ગામો, 4 શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.
તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમા વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના પ્રધાનમંત્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં 20 હજાર કરોડના વિકાસકામોની ભેટ કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોને આપી છે એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો પણ એ જ ત્વરાએ વેગવાન કર્યા છે તેમ ઉમેર્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા 5 દિવસોમાં જ 2500 કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે.
ગુજરાતમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાલિયા ખાતેથી અંદાજીત રૂ. 385 કરોડના ખર્ચે આકાર પામનારી વધુ 4 પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા, ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા, અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતું. ભરૂચ જિલ્લાના કુલ 3.61 લાખ ગ્રામીણ ઘરો પૈકી 3.25 લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે.
પૂર્વ ભરૂચમાં ₹88.90 લાખના ખર્ચે બીજું ફાયર સ્ટેશન
મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કરાયુ હતુ. આગ જેવી આપાતકાલીન સ્થિતિમાં નવું ફાયરસ્ટેશન બનશે આધારરૂપ ભરૂચ નગરપાલિકા હેઠળ 19.18 ચોરસ કિમી વિસ્તારમાં અંદાજિત 2 લાખ જેટલી વસ્તી છે. શહેર વિસ્તારમાં તથા જિલ્લામાં બનતા આગના બનાવોને પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા હાલ એક ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરના પૂર્વ વિસ્તાર મકતમપુર, બોરભાઠા બેટ અને ઝાડેશ્વર ગામ પૈકીના ભાગનો નગરપાલિકામાં હદમાં સમાવેશ થતાં બીજા ફાયર સ્ટેશનની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા દ્વારા રૂ.88.90 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (આઉટ ગ્રોથ) આ ફાયરસ્ટેશન બનાવાયું છે.
ભરૂચમાં ₹1.55 કરોડના ખર્ચે 214 ઘરવિહોણા લોકો માટે અર્બન હોમલેસ શેલ્ટર
ભરૂચ નગરપાલિકાએ ઘરવિહોણા લોકો આશ્રય મેળવી શકે, ઠંડી, વરસાદ અને તડકાથી રક્ષણ મેળવી શકે એ માટે નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (NULM) અંતર્ગત પોતાના ઘર જેવું આશ્રયસ્થાન ‘અર્બન હોમલેસ શેલ્ટર (નાઈટ શેલ્ટર) નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.1.55 કરોડના ખર્ચે નિર્મિત અર્બન શેલ્ટરમાં 214 જેટલા ઘર વિહોણાલોકોને આશ્રય આપવામાં આવશે. જેની દેખરેખ તથા સંચાલન ભરૂચની અગ્રણી સામાજિક સંસ્થા સેવાયજ્ઞ સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે.
More #કોરોના #CM #Vijaybhai Rupani #Corona #Gujaratinews #Watchgujarat
વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓ વિકાસની નવી તકો સાથે બનશે નંદનવન : CM
આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂ. 385 કરોડના ખર્ચે 4 જેટલી નવી પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી
ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા શેલ્ટર હોમનુ પણ કરાયુ ઈ લોકાર્પણ
WatchGujarat. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. 385 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા 198 ગામો, 4 શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.
તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમા વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના પ્રધાનમંત્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં 20 હજાર કરોડના વિકાસકામોની ભેટ કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોને આપી છે એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો પણ એ જ ત્વરાએ વેગવાન કર્યા છે તેમ ઉમેર્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા 5 દિવસોમાં જ 2500 કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે.
ગુજરાતમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાલિયા ખાતેથી અંદાજીત રૂ. 385 કરોડના ખર્ચે આકાર પામનારી વધુ 4 પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા, ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા, અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતું. ભરૂચ જિલ્લાના કુલ 3.61 લાખ ગ્રામીણ ઘરો પૈકી 3.25 લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે.
પૂર્વ ભરૂચમાં ₹88.90 લાખના ખર્ચે બીજું ફાયર સ્ટેશન
મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કરાયુ હતુ. આગ જેવી આપાતકાલીન સ્થિતિમાં નવું ફાયરસ્ટેશન બનશે આધારરૂપ ભરૂચ નગરપાલિકા હેઠળ 19.18 ચોરસ કિમી વિસ્તારમાં અંદાજિત 2 લાખ જેટલી વસ્તી છે. શહેર વિસ્તારમાં તથા જિલ્લામાં બનતા આગના બનાવોને પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા હાલ એક ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરના પૂર્વ વિસ્તાર મકતમપુર, બોરભાઠા બેટ અને ઝાડેશ્વર ગામ પૈકીના ભાગનો નગરપાલિકામાં હદમાં સમાવેશ થતાં બીજા ફાયર સ્ટેશનની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા દ્વારા રૂ.88.90 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (આઉટ ગ્રોથ) આ ફાયરસ્ટેશન બનાવાયું છે.
ભરૂચમાં ₹1.55 કરોડના ખર્ચે 214 ઘરવિહોણા લોકો માટે અર્બન હોમલેસ શેલ્ટર
ભરૂચ નગરપાલિકાએ ઘરવિહોણા લોકો આશ્રય મેળવી શકે, ઠંડી, વરસાદ અને તડકાથી રક્ષણ મેળવી શકે એ માટે નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (NULM) અંતર્ગત પોતાના ઘર જેવું આશ્રયસ્થાન ‘અર્બન હોમલેસ શેલ્ટર (નાઈટ શેલ્ટર) નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.1.55 કરોડના ખર્ચે નિર્મિત અર્બન શેલ્ટરમાં 214 જેટલા ઘર વિહોણાલોકોને આશ્રય આપવામાં આવશે. જેની દેખરેખ તથા સંચાલન ભરૂચની અગ્રણી સામાજિક સંસ્થા સેવાયજ્ઞ સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે.
More #કોરોના #CM #Vijaybhai Rupani #Corona #Gujaratinews #Watchgujarat