સુરતમાં 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો
વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા.
અમદાવાદ સિવિલમાં પણ 8 જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે.
WatchGujarat. રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં દૈનિક કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં તો મોટાભાગે મોટા લોકોમાં જ સંક્રમણ થતું હતું. પરંતુ બીજી લહેરમાં બાળકોને પણ સંક્ર્મણ થઇ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. ત્યારે આજરોજ સુરતમાં 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો છે. જોકે તે બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. બાળકને સારવાર માટે દાખલ કર્યાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું. આ પહેલા વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા. હાલ અમદાવાદ સિવિલમાં પણ 8 જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જેમાં બેથી ત્રણ બાળકો ગંભીર છે. બાળકોને કોરોના સંક્રમણથી કઇ રીતે બચાવી શકાય. તેમનામાં કોરોનાના કેવા લક્ષણો દેખાય છે.
વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડા ડૉ. શીલા ઐય્યરે આ અંગે જણાવ્યું હતું કે, 'બાળકોમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 5થી 6 કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય. હાલ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સાવચેતીની જરૂર છે. બાળકોના કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં ઘરનાં સભ્યો સંક્રમિત થયા હોય અને બાળકો વધુ ઘરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો પણ સામેલ છે.'
આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે, 'આપણે જોઈ રહ્યાં છે કે, નવજાત બાળકો પણ કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા ડિલીવરી સમયે જો કોવિડ પોઝિટીવ હોય તો ચાન્સીસ હોય છે કે, બાળકો પણ કોવિડ પોઝિટીવ આવી શકે.
પરંતુ એક વાત અહીં આપણે ધ્યાનમાં રાખવાની છે કે, માતા પોઝિટિવ હોય કે બાળક કોવિડ પોઝિટિવ હોય પરંતુ માતાનું દૂધ બાળકને આપવું જરૂરી છે. તેમાં કોઇ સમસ્યા નથી. રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, બ્રેસ્ટ મિલ્કથી ક્યારેય કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ નથી. એટલે નવજાત બાળક કોવિડ નેગેટિવ હોય અને માતા પોઝિટિવ હોય તો પણ માતાનું દૂધ બાળકને આપવું જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું છે તેમને આ સંક્રમણ ઘરના મોટા સભ્યોથી મળી રહ્યું છે. જે લોકો બહાર જઇ રહ્યાં છે તે લોકો સુપર સ્પ્રેડર બની રહ્યાં છે અને બાળકોને આ સંક્રમણ આપી રહ્યાં છે. બાળકોમાં મોટાભાગે તાવ આવવો, ઝાડા - ઉલટી થવી આવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આવા લક્ષણો દેખાયતો ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર કરવી જોઇએ નહીં તો બાળકોની હાલત ગંભીર થઇ શકે છે.'
માસ્ક અચૂક પહેરાવો
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે કોરોનાનું સંક્રમણ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફેલાઈ રહ્યું છે તો બાળકોને ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ છે. બાળકોને વગર કામે બહાર ન લઇ જાવ. કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક પુરવાર થઈ શકે છે.
પહેલાના કોરોનાથી બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે થતા હતા.
શરદી
ખાંસી
નાકમાંથી પાણી આવવું
તાવ આવવો
જ્યારે હાલ નવા સ્ટ્રેઇનને કારણે બાળકોમાં જોવા મળતા લક્ષણો
ઝાડા
ઉલટી
તાવ હોય
પેટને લગતી તકલીફ થવી
શ્વાસ લેવાની તકલીફ
સુરતમાં 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો
વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા.
અમદાવાદ સિવિલમાં પણ 8 જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે.
WatchGujarat. રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં દૈનિક કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં તો મોટાભાગે મોટા લોકોમાં જ સંક્રમણ થતું હતું. પરંતુ બીજી લહેરમાં બાળકોને પણ સંક્ર્મણ થઇ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. ત્યારે આજરોજ સુરતમાં 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો છે. જોકે તે બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. બાળકને સારવાર માટે દાખલ કર્યાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું. આ પહેલા વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા. હાલ અમદાવાદ સિવિલમાં પણ 8 જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જેમાં બેથી ત્રણ બાળકો ગંભીર છે. બાળકોને કોરોના સંક્રમણથી કઇ રીતે બચાવી શકાય. તેમનામાં કોરોનાના કેવા લક્ષણો દેખાય છે.
વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડા ડૉ. શીલા ઐય્યરે આ અંગે જણાવ્યું હતું કે, 'બાળકોમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 5થી 6 કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય. હાલ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સાવચેતીની જરૂર છે. બાળકોના કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં ઘરનાં સભ્યો સંક્રમિત થયા હોય અને બાળકો વધુ ઘરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો પણ સામેલ છે.'
આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે, 'આપણે જોઈ રહ્યાં છે કે, નવજાત બાળકો પણ કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા ડિલીવરી સમયે જો કોવિડ પોઝિટીવ હોય તો ચાન્સીસ હોય છે કે, બાળકો પણ કોવિડ પોઝિટીવ આવી શકે.
પરંતુ એક વાત અહીં આપણે ધ્યાનમાં રાખવાની છે કે, માતા પોઝિટિવ હોય કે બાળક કોવિડ પોઝિટિવ હોય પરંતુ માતાનું દૂધ બાળકને આપવું જરૂરી છે. તેમાં કોઇ સમસ્યા નથી. રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, બ્રેસ્ટ મિલ્કથી ક્યારેય કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ નથી. એટલે નવજાત બાળક કોવિડ નેગેટિવ હોય અને માતા પોઝિટિવ હોય તો પણ માતાનું દૂધ બાળકને આપવું જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું છે તેમને આ સંક્રમણ ઘરના મોટા સભ્યોથી મળી રહ્યું છે. જે લોકો બહાર જઇ રહ્યાં છે તે લોકો સુપર સ્પ્રેડર બની રહ્યાં છે અને બાળકોને આ સંક્રમણ આપી રહ્યાં છે. બાળકોમાં મોટાભાગે તાવ આવવો, ઝાડા - ઉલટી થવી આવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આવા લક્ષણો દેખાયતો ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર કરવી જોઇએ નહીં તો બાળકોની હાલત ગંભીર થઇ શકે છે.'
માસ્ક અચૂક પહેરાવો
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે કોરોનાનું સંક્રમણ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફેલાઈ રહ્યું છે તો બાળકોને ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ છે. બાળકોને વગર કામે બહાર ન લઇ જાવ. કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક પુરવાર થઈ શકે છે.
પહેલાના કોરોનાથી બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે થતા હતા.
શરદી
ખાંસી
નાકમાંથી પાણી આવવું
તાવ આવવો
જ્યારે હાલ નવા સ્ટ્રેઇનને કારણે બાળકોમાં જોવા મળતા લક્ષણો