કોરોનાથી રીકવર થયેલા લોકોમાં વાળ ખરવાની અને ચામડી સંબંધિત સમસ્યામાં વધારો ચિંતાનો વિષય બન્યો
રીકવર થયેલા લોકોમાં સ્કિન પર ખંજવાળ આવ્યા બાદ લાલાશ પડતા ચાઠા પડવા, પાણી વાળી ફોલ્લીઓ થવી, અથવા ઝીણી ફોલ્લીઓ થવી તેમજ જાંબલી કલરના ચાઠા પડવાનું નોંધાયું
સ્કિનની સમસ્યાનું સમાધાન સમયસર નહિ લાવવાથી ભવિષ્યમાં વાતાવરણ, મેટલ, સહિતની એલર્જી થવાની શક્યતાઓ વધી શકે – ડો. નિધી પટેલ
કોરોનાથી સાજા થયેલા લોકોના શરીરમાં કોઇ પણ પ્રકારના ફેરફાર જોવા મળે તો તાત્કાલિક એક્સપર્ટ ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ
WatchGujarat. કોરોનાન બીજી ઘાતક વેવ પર ડોક્ટરો અને સરકારના પ્રયાસોથી કાબુ મેળવી શકાયો છે. હવે બજારો અને વેપાર ધંધા અગાઉની જેમ ધમધમી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી રીકવર થયેલા લોકોમાં વાળ ખરવાની અને ચામડી સંબંધિત સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. એટલું જ નહિ કેટલાક લોકોમાં તો આ સમસ્યાના લક્ષણ એટલા ઘેરા છે કે એક તબક્કે તો એવું લાગે છે કે કદાચ એક પણ વાળ નહિ બચે. આવી સમસ્યામાં જાતે જ ડોક્ટર બનીને ઇલાજ કરવાની જગ્યાએ એક્સપર્ટ ડોક્ટરની સલાહ હેઠળ સારવાર શરૂ કરાવવી જોઇએ. જો તેમ કરવામાં નહિ આવે તો સમય જતા સમસ્યા વકરી શકે છે.
રોનાની બીજી વેવમાં સંક્રમિત થયેલા લોકોમાં વાળ અને ત્વચા સંબંધિત સમસ્યા
સમગ્ર મામલે Dr. Nidhi Patel's Cosmedics ના ડો. નિધી પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની બીજી વેવમાં સંક્રમિત થયેલા લોકોમાં વાળ અને ત્વચા સંબંધિત સમસ્યા સામે આવી રહી છે. જેમાં સ્કિન પર ખંજવાળ આવ્યા બાદ લાલાશ પડતા ચાઠા પડવા, પાણી વાળી ફોલ્લીઓ થવી, અથવા ઝીણી ફોલ્લીઓ થવી તેમજ જાંબલી કલરના ચાઠા પડવાની સમસ્યા સામે આવી રહી છે. જ્યારે વાળમાં એકાએક મોટી સંખ્યામાં વાળ ઉતરવાની સમસ્યા જોવા મળી રહી છે.
[caption id="attachment_1278164" align="aligncenter" width="1024"] Dr. Nidhi Patel[/caption]
વ્યક્તિએ વ્યક્તિએ ટ્રીટમેન્ટ બદલાય છે
સ્કિનની સમસ્યા અંગે માહિતી આપતા ડો. નિધી પટેલે જણાવ્યું કે, કોવિડ પોઝીટીવ થયા બાદ તેની સારવાર દરમિયાન અથવા રીકવરીના 4 મહિના સુધી ખાસ કરીને ચામડી પર શીળસ જેવું, ઝીણી ફોલ્લી અથવા તો ખંજવાળ્યા બાદ પાણી વાળી ફોલ્લીઓ થવાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સમય જતા જો યોગ્સ સારવાર લેવામાં ન આવે તો સમસ્યા વકરી શકે છે. આ પ્રકારના મામલામાં જાતે દવા લેવી અથવા તો કોઇના કેસની સફળતા જોઇને તે દવાઓ લેવી જોઇએ નહિ. વ્યક્તિએ વ્યક્તિએ ટ્રીટમેન્ટ બદલાય છે. જેથી કોઇ પણ રોગની દવા લેવા માટે એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સમયસર ડોક્ટરની સારવાર ન લેવામાં આવે વાળથી હાથ ધોઇ નાંખવાનો વારો પણ આવી શકે
વાળની સમસ્યા અંગે માહિતી આપતા ડો. નિધી પટેલે જણાવ્યું કે, કોરોનાની બીજી વેવમાં સંક્રમિત થયેલા લોકોમાં વાળ ખરી જવાની સમસ્યા વધારે જોવા મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકોને એ હદે જથ્થામાં વાળ ઓછા થાય છે કે હવે તેઓમાં દહેશત છે કે, હવે માથા પર વાળ બચશે કે નહિ. જો કે, વાળના કલરમાં કોઇ નોંધનીય ફેરફાર જોવા મળ્યા નથી. પરંતુ વાળ ખરવાની સમસ્યા ધરાવતા લોકો સમયસર ડોક્ટરની સારવાર ન લે તો તેમણે વાળથી હાથ ધોઇ નાંખવાનો વારો પણ આવી શકે છે.
સ્કિનને લગતા એલર્જીક રીએક્શન પણ વધી ગયા
ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ વકરવાના કારણ અંગે જણાવતા ડો. નિધી પટેલે જણાવ્યું કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીને હાઇડોઝની એન્ટીવાયરલ દવાઓ આપવામાં આવે છે. તેની સાથે કોવિડના દર્દીઓમાં સાયટોકાઇન સ્ટોર્મની સ્થિતી પણ સામાન્ય રીતે જોવા મળતી હતી. તેવા સંજોગોમાં વાળને ભારે નુકશાન પહોંચે તેવી સ્થિતી સર્જાઇ છે. જેથી હવે વાળ સંબંધિત સમસ્યા સામે આવી રહી છે. તો બીજી બાજુ સ્કિનને લગતા એલર્જીક રીએક્શન પણ વધી ગયા છે.
સ્વાસ્થ્ય અંગે બેદરકારીનું માઠું પરિણામ આવી શકે છે
ડો. નિધી પટેલે ઉમેર્યું કે, સ્કિન સંબંધિત સમસ્યાઓમાં ખાસ કરીને નિષ્કાળજી રાખવામાં આવે તો તેનું પરિણામ માઠું આવી શકે છે. આ સમસ્યાનું સમાધાન સમયસર નહિ લાવવાથી ભવિષ્યમાં વાતાવરણ, મેટલ, સહિતની એલર્જી થવાની શક્યતાઓ વધી શકે છે. એટલે કોરોનાથી સાજા થયેલા લોકોના શરીરમાં કોઇ પણ પ્રકારના ફેરફાર જોવા મળે તો તાત્કાલિક એક્સપર્ટ ડોક્ટરનો સંપર્ક કરવો જ જોઇએ.
કોરોનાથી રીકવર થયેલા લોકોમાં વાળ ખરવાની અને ચામડી સંબંધિત સમસ્યામાં વધારો ચિંતાનો વિષય બન્યો
રીકવર થયેલા લોકોમાં સ્કિન પર ખંજવાળ આવ્યા બાદ લાલાશ પડતા ચાઠા પડવા, પાણી વાળી ફોલ્લીઓ થવી, અથવા ઝીણી ફોલ્લીઓ થવી તેમજ જાંબલી કલરના ચાઠા પડવાનું નોંધાયું
કોરોનાથી સાજા થયેલા લોકોના શરીરમાં કોઇ પણ પ્રકારના ફેરફાર જોવા મળે તો તાત્કાલિક એક્સપર્ટ ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ
WatchGujarat. કોરોનાન બીજી ઘાતક વેવ પર ડોક્ટરો અને સરકારના પ્રયાસોથી કાબુ મેળવી શકાયો છે. હવે બજારો અને વેપાર ધંધા અગાઉની જેમ ધમધમી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી રીકવર થયેલા લોકોમાં વાળ ખરવાની અને ચામડી સંબંધિત સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. એટલું જ નહિ કેટલાક લોકોમાં તો આ સમસ્યાના લક્ષણ એટલા ઘેરા છે કે એક તબક્કે તો એવું લાગે છે કે કદાચ એક પણ વાળ નહિ બચે. આવી સમસ્યામાં જાતે જ ડોક્ટર બનીને ઇલાજ કરવાની જગ્યાએ એક્સપર્ટ ડોક્ટરની સલાહ હેઠળ સારવાર શરૂ કરાવવી જોઇએ. જો તેમ કરવામાં નહિ આવે તો સમય જતા સમસ્યા વકરી શકે છે.
રોનાની બીજી વેવમાં સંક્રમિત થયેલા લોકોમાં વાળ અને ત્વચા સંબંધિત સમસ્યા
સમગ્ર મામલે Dr. Nidhi Patel's Cosmedics ના ડો. નિધી પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની બીજી વેવમાં સંક્રમિત થયેલા લોકોમાં વાળ અને ત્વચા સંબંધિત સમસ્યા સામે આવી રહી છે. જેમાં સ્કિન પર ખંજવાળ આવ્યા બાદ લાલાશ પડતા ચાઠા પડવા, પાણી વાળી ફોલ્લીઓ થવી, અથવા ઝીણી ફોલ્લીઓ થવી તેમજ જાંબલી કલરના ચાઠા પડવાની સમસ્યા સામે આવી રહી છે. જ્યારે વાળમાં એકાએક મોટી સંખ્યામાં વાળ ઉતરવાની સમસ્યા જોવા મળી રહી છે.
[caption id="attachment_1278164" align="aligncenter" width="1024"] Dr. Nidhi Patel[/caption]
વ્યક્તિએ વ્યક્તિએ ટ્રીટમેન્ટ બદલાય છે
સ્કિનની સમસ્યા અંગે માહિતી આપતા ડો. નિધી પટેલે જણાવ્યું કે, કોવિડ પોઝીટીવ થયા બાદ તેની સારવાર દરમિયાન અથવા રીકવરીના 4 મહિના સુધી ખાસ કરીને ચામડી પર શીળસ જેવું, ઝીણી ફોલ્લી અથવા તો ખંજવાળ્યા બાદ પાણી વાળી ફોલ્લીઓ થવાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સમય જતા જો યોગ્સ સારવાર લેવામાં ન આવે તો સમસ્યા વકરી શકે છે. આ પ્રકારના મામલામાં જાતે દવા લેવી અથવા તો કોઇના કેસની સફળતા જોઇને તે દવાઓ લેવી જોઇએ નહિ. વ્યક્તિએ વ્યક્તિએ ટ્રીટમેન્ટ બદલાય છે. જેથી કોઇ પણ રોગની દવા લેવા માટે એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સમયસર ડોક્ટરની સારવાર ન લેવામાં આવે વાળથી હાથ ધોઇ નાંખવાનો વારો પણ આવી શકે
વાળની સમસ્યા અંગે માહિતી આપતા ડો. નિધી પટેલે જણાવ્યું કે, કોરોનાની બીજી વેવમાં સંક્રમિત થયેલા લોકોમાં વાળ ખરી જવાની સમસ્યા વધારે જોવા મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકોને એ હદે જથ્થામાં વાળ ઓછા થાય છે કે હવે તેઓમાં દહેશત છે કે, હવે માથા પર વાળ બચશે કે નહિ. જો કે, વાળના કલરમાં કોઇ નોંધનીય ફેરફાર જોવા મળ્યા નથી. પરંતુ વાળ ખરવાની સમસ્યા ધરાવતા લોકો સમયસર ડોક્ટરની સારવાર ન લે તો તેમણે વાળથી હાથ ધોઇ નાંખવાનો વારો પણ આવી શકે છે.
સ્કિનને લગતા એલર્જીક રીએક્શન પણ વધી ગયા
ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ વકરવાના કારણ અંગે જણાવતા ડો. નિધી પટેલે જણાવ્યું કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીને હાઇડોઝની એન્ટીવાયરલ દવાઓ આપવામાં આવે છે. તેની સાથે કોવિડના દર્દીઓમાં સાયટોકાઇન સ્ટોર્મની સ્થિતી પણ સામાન્ય રીતે જોવા મળતી હતી. તેવા સંજોગોમાં વાળને ભારે નુકશાન પહોંચે તેવી સ્થિતી સર્જાઇ છે. જેથી હવે વાળ સંબંધિત સમસ્યા સામે આવી રહી છે. તો બીજી બાજુ સ્કિનને લગતા એલર્જીક રીએક્શન પણ વધી ગયા છે.
સ્વાસ્થ્ય અંગે બેદરકારીનું માઠું પરિણામ આવી શકે છે
ડો. નિધી પટેલે ઉમેર્યું કે, સ્કિન સંબંધિત સમસ્યાઓમાં ખાસ કરીને નિષ્કાળજી રાખવામાં આવે તો તેનું પરિણામ માઠું આવી શકે છે. આ સમસ્યાનું સમાધાન સમયસર નહિ લાવવાથી ભવિષ્યમાં વાતાવરણ, મેટલ, સહિતની એલર્જી થવાની શક્યતાઓ વધી શકે છે. એટલે કોરોનાથી સાજા થયેલા લોકોના શરીરમાં કોઇ પણ પ્રકારના ફેરફાર જોવા મળે તો તાત્કાલિક એક્સપર્ટ ડોક્ટરનો સંપર્ક કરવો જ જોઇએ.