કોરોના બીજા વેવમાં પેહલી વખત સવારે 6 થી સાંજના 6 સુધી માત્ર એક જ મૃતદેહ આવ્યો
મહિના પૂર્વે 1 જ દિવસમાં 62 મૃતદેહો કોવિડ સ્મશાનમાં નોંધાયા હતા
અત્યાર સુધી 2154 કોરોના મૃતકોના અગ્નિદાહ કરાયા, મૃતદેહો ઘટતા સ્મશાન સંચાલકોને પણ રાહતનો શ્વાસ
Watchgujarat. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાંથી પ્રથમ વખત રાહતના અહેવાલો ગુરૂવારે મળ્યા છે, ગુરૂવારે દિવસ દરમિયાન માત્ર 1 જ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો છે. મહિના પહેલા એક જ દિવસમાં 62 મૃતદેહો નોંધાયા હતા.
ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર અને બીજી લહેર ઓછી થઈ હોવાનું લાગી રહ્યું છે. રાજ્યના પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો વિતેલા ગુરૂવારે સવારે 6 થી સાંજના 6 કલાક સુધીમાં માત્ર 1 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા છે.
કોરોનાની બીજી લહેર ભરૂચ જિલ્લામાં પણ ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ હતી. કોરોનાના કહેર અને હાહાકાર વચ્ચે મૃત્યુઆંકે તમામ અણગમતા રેકોર્ડ બ્રેક કરતા માનસિક હાઉ પણ પરાકાષ્ઠાએ પોહચ્યો હતો.
ભરૂચનું પ્રાચીન સ્મશાન ગૃહ માનવ વસાહત નજીક આવેલુ હોવાના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના કિનારે રાજ્યનું પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં કોરોના પ્રોટોકોલના આધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કોરોનાની પ્રથમ લહેરથી શરૂ કરાયા હતા.
કોવિડ સ્મશાનમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો હતો પરંતુ હવે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં ઘાટાડા સાથે મૃત્યુ પણ ઘટી રહ્યાં છે, જે ઘણા રાહત આપનાર છે.
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે એટલે કે તારીખ 3 મેના રોજ એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે કરવામાં આવ્યા હતા. જે કોરોનાની પ્રથમ અને બીજી લહેર મળી એક દિવસમાં થયેલ અંતિમ સંસ્કારનો સૌથી મોટો આંકડો હતો પરંતુ હવે કોરોનાનો કહેર ઘટયો છે ત્યારે છેલ્લા 12 કલાકમાં 1 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 2154 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર ઓછો થતા સ્મશાનના સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે, કોરોનાની બીજી લહેર તેના પિક પર હતી ત્યારે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શબવાહીનીઓની કતાર લાગતી હતી પરંતુ હવે મૃત્યુઆંક પણ ઘટાડો થયો છે ત્યારે સ્મશાનમાં કામ કરતા લોકો પણ હવે રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે.
કોરોના બીજા વેવમાં પેહલી વખત સવારે 6 થી સાંજના 6 સુધી માત્ર એક જ મૃતદેહ આવ્યો
મહિના પૂર્વે 1 જ દિવસમાં 62 મૃતદેહો કોવિડ સ્મશાનમાં નોંધાયા હતા
અત્યાર સુધી 2154 કોરોના મૃતકોના અગ્નિદાહ કરાયા, મૃતદેહો ઘટતા સ્મશાન સંચાલકોને પણ રાહતનો શ્વાસ
Watchgujarat. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાંથી પ્રથમ વખત રાહતના અહેવાલો ગુરૂવારે મળ્યા છે, ગુરૂવારે દિવસ દરમિયાન માત્ર 1 જ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યો છે. મહિના પહેલા એક જ દિવસમાં 62 મૃતદેહો નોંધાયા હતા.
ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર અને બીજી લહેર ઓછી થઈ હોવાનું લાગી રહ્યું છે. રાજ્યના પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો વિતેલા ગુરૂવારે સવારે 6 થી સાંજના 6 કલાક સુધીમાં માત્ર 1 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા છે.
કોરોનાની બીજી લહેર ભરૂચ જિલ્લામાં પણ ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ હતી. કોરોનાના કહેર અને હાહાકાર વચ્ચે મૃત્યુઆંકે તમામ અણગમતા રેકોર્ડ બ્રેક કરતા માનસિક હાઉ પણ પરાકાષ્ઠાએ પોહચ્યો હતો.
ભરૂચનું પ્રાચીન સ્મશાન ગૃહ માનવ વસાહત નજીક આવેલુ હોવાના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના કિનારે રાજ્યનું પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં કોરોના પ્રોટોકોલના આધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કોરોનાની પ્રથમ લહેરથી શરૂ કરાયા હતા.
કોવિડ સ્મશાનમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો હતો પરંતુ હવે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં ઘાટાડા સાથે મૃત્યુ પણ ઘટી રહ્યાં છે, જે ઘણા રાહત આપનાર છે.
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે એટલે કે તારીખ 3 મેના રોજ એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે કરવામાં આવ્યા હતા. જે કોરોનાની પ્રથમ અને બીજી લહેર મળી એક દિવસમાં થયેલ અંતિમ સંસ્કારનો સૌથી મોટો આંકડો હતો પરંતુ હવે કોરોનાનો કહેર ઘટયો છે ત્યારે છેલ્લા 12 કલાકમાં 1 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 2154 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર ઓછો થતા સ્મશાનના સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે, કોરોનાની બીજી લહેર તેના પિક પર હતી ત્યારે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શબવાહીનીઓની કતાર લાગતી હતી પરંતુ હવે મૃત્યુઆંક પણ ઘટાડો થયો છે ત્યારે સ્મશાનમાં કામ કરતા લોકો પણ હવે રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે.