દાહોદ નજીક જેકોટ ગામ પાસે મોડી રાત્રે બનેલી અકસ્માતની વિચિત્ર ઘટના
હાઇવે પર રિફ્લેક્ટર વિના ઉભી રહેલી ટ્રકની સાથે ભટકાતાં એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ
WatchGujarat. અકસ્માત સર્જાય કે પછી કોઇ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે સૌની મદદે આવતી 108 એમ્બ્યુલન્સ લોકો માટે જીવન રક્ષક બની છે. જોકે આ જીવન રક્ષકને જ ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત નળ્યો હતો. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલાઇ જતા ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અત્યાર સુધી આપણે જોયુ અને સાંભળ્યું પણ છે કે, 108ના કર્મચારીઓ લોકોના જીવ બચાવવા હોસ્પિટલ લઇ જાય છે. પરંતુ આ અકસ્માતમાં પરિસ્થિત કંઇ વિપરીત જ હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગત રોજ મધ્યરાત્રીના સમયે 108 ઇમરજન્સી એમ્બ્યુલનસ હાઇવે દાહોદ હાઇવે પરથી પસાર થઇ રહીં હતી. તેવામાં હાઇવે પર વગર રિફ્લેકટરે ઉભી કરી દેવામાં આવેલી ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ધડાકાભેર ભટકાઇ હતી. અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે વડોદરાની ધીરમજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યં હતા. આ ગંભીર અકસ્માતમાં ઇ.એમ.ટી કર્મચારીનુ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ગાડી વડોદરા પેશન્ટને મુકી દાહોદ પરત આવતી હતી. આ ગાડીમાં ડ્રાઈવર તાજીયાખાન હુસેલખાન પઠાણ, ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન ધર્મેન્દ્રભાઈ હિંમતસિંહ બારીયા અને ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ જમીલ હુસેન શેખ સવાર હતાં. વડોદરાથી દાહોદ આવતાં સમયે રાત્રીના 12 વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના જેકોટ ગામે નેશનલ હાઈવે ખાતે રસ્તામાં એક ટ્રક વગર પાર્કિંગ લાઈટ, ટ્રાફિકનું ડાઈવર્ઝન આપેલ ન હોઈ તેમજ પાછળના ભાગે રેડીયમ પટ્ટા તથા રીફ્લેટર લગાવ્યાં વિનાજ અકસ્માત સર્જાય તે રીતે રસ્તા પર ઉભી કરી દેવામાં આવી હતી.
દરમિયાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આ રસ્તા ઉપરથી પસાર થતાં ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતાંની સાથેજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અંદર સવાર ઉપરોક્ત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો અન્ય 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ગાડીને લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઈજાગ્રસ્ત કર્મચારીઓને લઈ પ્રથમ દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતા. પરંતુ ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ધર્મેશભાઈ હિંમતભાઈ બારીયાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દાહોદ જિલ્લાના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે જી.વી.કે ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતાં મનોજકુમાર શ્યામલાલ વિશ્વકર્મા (રહે.ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) દ્વારા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- દાહોદ નજીક જેકોટ ગામ પાસે મોડી રાત્રે બનેલી અકસ્માતની વિચિત્ર ઘટના
- હાઇવે પર રિફ્લેક્ટર વિના ઉભી રહેલી ટ્રકની સાથે ભટકાતાં એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ
WatchGujarat. અકસ્માત સર્જાય કે પછી કોઇ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે સૌની મદદે આવતી 108 એમ્બ્યુલન્સ લોકો માટે જીવન રક્ષક બની છે. જોકે આ જીવન રક્ષકને જ ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત નળ્યો હતો. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલાઇ જતા ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અત્યાર સુધી આપણે જોયુ અને સાંભળ્યું પણ છે કે, 108ના કર્મચારીઓ લોકોના જીવ બચાવવા હોસ્પિટલ લઇ જાય છે. પરંતુ આ અકસ્માતમાં પરિસ્થિત કંઇ વિપરીત જ હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગત રોજ મધ્યરાત્રીના સમયે 108 ઇમરજન્સી એમ્બ્યુલનસ હાઇવે દાહોદ હાઇવે પરથી પસાર થઇ રહીં હતી. તેવામાં હાઇવે પર વગર રિફ્લેકટરે ઉભી કરી દેવામાં આવેલી ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ધડાકાભેર ભટકાઇ હતી. અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે વડોદરાની ધીરમજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યં હતા. આ ગંભીર અકસ્માતમાં ઇ.એમ.ટી કર્મચારીનુ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ગાડી વડોદરા પેશન્ટને મુકી દાહોદ પરત આવતી હતી. આ ગાડીમાં ડ્રાઈવર તાજીયાખાન હુસેલખાન પઠાણ, ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન ધર્મેન્દ્રભાઈ હિંમતસિંહ બારીયા અને ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ જમીલ હુસેન શેખ સવાર હતાં. વડોદરાથી દાહોદ આવતાં સમયે રાત્રીના 12 વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના જેકોટ ગામે નેશનલ હાઈવે ખાતે રસ્તામાં એક ટ્રક વગર પાર્કિંગ લાઈટ, ટ્રાફિકનું ડાઈવર્ઝન આપેલ ન હોઈ તેમજ પાછળના ભાગે રેડીયમ પટ્ટા તથા રીફ્લેટર લગાવ્યાં વિનાજ અકસ્માત સર્જાય તે રીતે રસ્તા પર ઉભી કરી દેવામાં આવી હતી.
દરમિયાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આ રસ્તા ઉપરથી પસાર થતાં ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતાંની સાથેજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અંદર સવાર ઉપરોક્ત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો અન્ય 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ગાડીને લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઈજાગ્રસ્ત કર્મચારીઓને લઈ પ્રથમ દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતા. પરંતુ ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ધર્મેશભાઈ હિંમતભાઈ બારીયાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દાહોદ જિલ્લાના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે જી.વી.કે ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતાં મનોજકુમાર શ્યામલાલ વિશ્વકર્મા (રહે.ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) દ્વારા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.