દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતા મધપૂડામાંથી મધ મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી
બલૈયા સીએચસીમાં પ્રાથમિક સારવાર બાદ પાંચને વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા
WatchGujarat. મકરસંક્રાંતિના દિવસે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ ખાતે ખેતરમાં જઈ પતંગ ચગાવતા પતંગ રસિયાઓના પતંગની દોરી મધપુડા સાથે સ્પર્શ થતા મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી હતી. જેમાં આઠ જેટલા લોકોને મધમાખીએ ઘાયલ કરતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા CHCમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મધમાખીના ડંખનો ભોગ બનેલા ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ સીમળી ફળિયા ખાતે ઉત્તરાયણના દિવસે બપોરના બે વાગ્યાના અરસામાં પતંગ રસિયાઓ ખેતરમાં જઈ પતંગ ચગાવી રહ્યા હતા. જ્યારે કેટલાક વડીલો ચગતાં પતંગને જોવા માટે આવેલ હતા. તે દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતાં મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી હતી. મધમાખીએ ડંખ મારી આઠ જેટલા લોકોને ઘાયલ કર્યા હતા.
જેમાં નારસિંગભાઈ મોતીભાઈ ગરાસીયા (ઉં. 40), પ્રિન્સકુમાર ગોવિંદભાઈ ગરાસીયા (ઉં. 8), સુમિત કુમાર નારસિંગભાઈ ગરાસીયા (ઉં. 15), પરેશકુમાર મોતીભાઈ ગરાસીયા (ઉં. 35), ચિન્ટુકુમાર નરેશભાઈ ગરાસીયા (ઉં. 4), શાંતાબેન ધુળાભાઈ ગરાસીયા (ઉં. 60), ધૈર્યકુમાર વિપુલભાઈ બારીયા (ઉં. 5) તથા પ્રભુદાસ સોમાભાઈ બારીયા (ઉં. 51) તમામ રહેવાસી બારીયાની હાથોડ નાને મધમાખીઓએ ડંખ મારતા ઘાયલ થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. દવાખાનાના સ્ટાફ હાજરની ગેરહાજરીને પગલે ઇજાગ્રસ્તોના સંબંધીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. આખરે સ્થાનીક તબીબ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. બલૈયા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નારસિંગભાઈ ગરાસીયા, પ્રિન્સ કુમાર ગરાસીયા, સુમિત કુમાર ગરાસીયા, ચિન્ટુ કુમાર ગરાસીયા તથા ધૈર્ય કુમાર બારીયાને વધુ સારવાર માટે સંતરામપુર દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા. આમ, ઉત્તરાયણમાં પતંગના દોરા વડે છંછેડાયેલી મધમાખીઓએ હુમલો કરતા અનેક પતંગરસિયાઓ ઘાયલ થયા હતા.
દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતા મધપૂડામાંથી મધ મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી
બલૈયા સીએચસીમાં પ્રાથમિક સારવાર બાદ પાંચને વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા
WatchGujarat. મકરસંક્રાંતિના દિવસે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ ખાતે ખેતરમાં જઈ પતંગ ચગાવતા પતંગ રસિયાઓના પતંગની દોરી મધપુડા સાથે સ્પર્શ થતા મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી હતી. જેમાં આઠ જેટલા લોકોને મધમાખીએ ઘાયલ કરતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા CHCમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મધમાખીના ડંખનો ભોગ બનેલા ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ સીમળી ફળિયા ખાતે ઉત્તરાયણના દિવસે બપોરના બે વાગ્યાના અરસામાં પતંગ રસિયાઓ ખેતરમાં જઈ પતંગ ચગાવી રહ્યા હતા. જ્યારે કેટલાક વડીલો ચગતાં પતંગને જોવા માટે આવેલ હતા. તે દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતાં મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી હતી. મધમાખીએ ડંખ મારી આઠ જેટલા લોકોને ઘાયલ કર્યા હતા.
જેમાં નારસિંગભાઈ મોતીભાઈ ગરાસીયા (ઉં. 40), પ્રિન્સકુમાર ગોવિંદભાઈ ગરાસીયા (ઉં. 8), સુમિત કુમાર નારસિંગભાઈ ગરાસીયા (ઉં. 15), પરેશકુમાર મોતીભાઈ ગરાસીયા (ઉં. 35), ચિન્ટુકુમાર નરેશભાઈ ગરાસીયા (ઉં. 4), શાંતાબેન ધુળાભાઈ ગરાસીયા (ઉં. 60), ધૈર્યકુમાર વિપુલભાઈ બારીયા (ઉં. 5) તથા પ્રભુદાસ સોમાભાઈ બારીયા (ઉં. 51) તમામ રહેવાસી બારીયાની હાથોડ નાને મધમાખીઓએ ડંખ મારતા ઘાયલ થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. દવાખાનાના સ્ટાફ હાજરની ગેરહાજરીને પગલે ઇજાગ્રસ્તોના સંબંધીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. આખરે સ્થાનીક તબીબ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. બલૈયા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નારસિંગભાઈ ગરાસીયા, પ્રિન્સ કુમાર ગરાસીયા, સુમિત કુમાર ગરાસીયા, ચિન્ટુ કુમાર ગરાસીયા તથા ધૈર્ય કુમાર બારીયાને વધુ સારવાર માટે સંતરામપુર દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા. આમ, ઉત્તરાયણમાં પતંગના દોરા વડે છંછેડાયેલી મધમાખીઓએ હુમલો કરતા અનેક પતંગરસિયાઓ ઘાયલ થયા હતા.