કોરોના વાયરસના નવા પ્રકાર-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી-જીનોમ સ્ટડી કરાશે, 8 થી 10 દિવસમાં પરિણામ જાણી શકાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ટેસ્ટ-RTPCR ટેસ્ટ કરાવ્યા- ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન 23 ડિસેમ્બરથી રદ કરી છે
WatchGujarat. યુરોપમાં કોરોનાની નવી સ્ટ્રેન જોવા મળતા દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. નવી સ્ટ્રેન હાલ તબિબો અને વૈજ્ઞાનિકો માટે નવો પડકાર બની છે. યુરોપથી આવતી ફ્લાઇટને ભારત સહિત અનેક દેશોમાં રદ્દ કરી દેવામાં આવી છે. તેવા સમયે તાજેતરમાં યુકે- યુરોપથી ગુજરાતમાં આવેલા લોકોના RTPCR કરાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 1,720 મુસાફરો પૈકી 11 પોઝીટીવ આવ્યા હતા. પોઝીટીવ આવેલા રિપોર્ટસને પુનાની વાઇરોલોજી લેબમાં વધુ અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે એટલું જ નહીં 9 મી ડિસેમ્બર થી 23 ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીની પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે. અને તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તદ્દનુસાર તારીખ 25 નવેમ્બર થી 8 ડિસેમ્બર દરમિયાન આવા 572 મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 1148 વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે. તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ- 4, વડોદરા- 2, આણંદ- 2, ભરૂચ- 2 અને વલસાડ- 1 વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે, કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે 8 થી 10 દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવાર-સુશ્રૃષાની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.
More #Europe #UK #gujarat #return #passenger #RTPCR #test #perform #Watchgujarat
કોરોના વાયરસના નવા પ્રકાર-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી-જીનોમ સ્ટડી કરાશે, 8 થી 10 દિવસમાં પરિણામ જાણી શકાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ટેસ્ટ-RTPCR ટેસ્ટ કરાવ્યા- ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન 23 ડિસેમ્બરથી રદ કરી છે
WatchGujarat.યુરોપમાં કોરોનાની નવી સ્ટ્રેન જોવા મળતા દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. નવી સ્ટ્રેન હાલ તબિબો અને વૈજ્ઞાનિકો માટે નવો પડકાર બની છે. યુરોપથી આવતી ફ્લાઇટને ભારત સહિત અનેક દેશોમાં રદ્દ કરી દેવામાં આવી છે. તેવા સમયે તાજેતરમાં યુકે- યુરોપથી ગુજરાતમાં આવેલા લોકોના RTPCR કરાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 1,720 મુસાફરો પૈકી 11 પોઝીટીવ આવ્યા હતા. પોઝીટીવ આવેલા રિપોર્ટસને પુનાની વાઇરોલોજી લેબમાં વધુ અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે એટલું જ નહીં 9 મી ડિસેમ્બર થી 23 ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીની પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે. અને તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તદ્દનુસાર તારીખ 25 નવેમ્બર થી 8 ડિસેમ્બર દરમિયાન આવા 572 મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 1148 વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે. તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ- 4, વડોદરા- 2, આણંદ- 2, ભરૂચ- 2 અને વલસાડ- 1 વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે, કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે 8 થી 10 દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવાર-સુશ્રૃષાની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.
More #Europe #UK #gujarat #return #passenger #RTPCR #test #perform #Watchgujarat