ફરિયાદી બ્યુરોની ઓફિસમાં સીડી કે પેનડ્રાઇવ પણ આપી શકશે
એસીબીએ 90999 11055 નંબર સાર્વજનિક કર્યો
વોટ્સઅપ માહિતી માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી
WatchGujarat. ગુજરાત રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ભષ્ટ્રાચારના મૂળ સુધી પહોંચવા માટે નવી શરૂઆત કરવામાં આવી છે. હવે એસીબી દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા વોટ્સઅપ નંબર પર કોઇપણ ફરિયાદી ભ્રષ્ટાચારને લગતા પુરાવા મોકલી શકશે. આ ઉપરાંત પુરાવાની પેનડ્રાઇન અને સીડી પણ એસીબીની ઓફિસમાં મોકલી શકાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)માં લાંચ રૂશ્વત અને અપ્રમાણસર મિલકતોના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં ભષ્ટ્રાચારને નાબુદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસીબીએ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને પકડવા માટે વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્યનો કોઇપણ નાગરિક 90999 11055 નંબર પર ભ્રષ્ટાચારના ફોટા કે ડોક્યુમેન્ટ એસીબીને સરળતાથી મોકલી શકે છે. જો કોઇ અધિકારી કે કર્મચારી અપ્રમાણસર મિલકત ધરાવતા હોય તો તેના બંગલા, વાહનો, જમીન, અને અન્ય મિલકતના ફોટોગ્રાફ કે વિડીયો પણ મોકલાવી શકાય છે.
એસીબીના નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલાએ આ નવી સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે, વોટ્સએપથી આવતા વિડીયો અને ફોટો મોકલનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. બીજી તરફ પેન ડ્રાઇવ કે સીડી મોકલનાર વ્યક્તિની પુછપરછ કરવામાં નહી આવે. આ સાથે એસીબીની વિશેષ ટીમ વિડીયો કે ફોટોને આધારે તપાસ કરશે. ખરાઇ થયા પછી જો પુરાવા મળે તો એસીબી દ્વારા ફરિયાદ નોઁધવામાં આવશે.
વોટ્સએપના માધ્યમથી આવતાં વિડીયો અને ફોટોની તપાસ માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વિભાગના અધિકારીની સ્પેશ્યલ ટીમની રચના કરવામાં આવી છે. આક્ષેપિત વ્યક્તિનો ઇતિહાસ અને તેની હાલની સ્થિતિ પણ તપાસવા, તેમજ અન્ય વિગતોની ચકાસણી અને પ્રાથમિક તપાસમાં વધુ સાવચેતીની જરૂરી હોવાથી આ ટીમની રચના કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ટ્રેપ કરવામાં આવે છે. કોરોના મહામારીના સમયમાં પણ એસીબીની ટ્રેપમાં વધારો થયો છે. 2020માં એસીબીએ કુલ 200 સફળ ટ્રેપ કરી છે અને 42થી વધુ અપ્રમાણસર મિલકતના કેસો નોંધ્યા છે. 2021માં અત્યાર સુધીમાં 100 કેસો નોંધાયા છે. ગુજરાતના કોઇ પણ શહેરમાંથી ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાવવી હોય તો તે સામાન્ય રીતે ટોલ ફ્રી નંબર 1064 અથવા એસીબીની કચેરીના ફોન નંબર- 079 22869228 પર નોંધાવી શકાય છે.
ફરિયાદી બ્યુરોની ઓફિસમાં સીડી કે પેનડ્રાઇવ પણ આપી શકશે
એસીબીએ 90999 11055 નંબર સાર્વજનિક કર્યો
વોટ્સઅપ માહિતી માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી
WatchGujarat. ગુજરાત રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ભષ્ટ્રાચારના મૂળ સુધી પહોંચવા માટે નવી શરૂઆત કરવામાં આવી છે. હવે એસીબી દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા વોટ્સઅપ નંબર પર કોઇપણ ફરિયાદી ભ્રષ્ટાચારને લગતા પુરાવા મોકલી શકશે. આ ઉપરાંત પુરાવાની પેનડ્રાઇન અને સીડી પણ એસીબીની ઓફિસમાં મોકલી શકાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)માં લાંચ રૂશ્વત અને અપ્રમાણસર મિલકતોના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં ભષ્ટ્રાચારને નાબુદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસીબીએ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને પકડવા માટે વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્યનો કોઇપણ નાગરિક 90999 11055 નંબર પર ભ્રષ્ટાચારના ફોટા કે ડોક્યુમેન્ટ એસીબીને સરળતાથી મોકલી શકે છે. જો કોઇ અધિકારી કે કર્મચારી અપ્રમાણસર મિલકત ધરાવતા હોય તો તેના બંગલા, વાહનો, જમીન, અને અન્ય મિલકતના ફોટોગ્રાફ કે વિડીયો પણ મોકલાવી શકાય છે.
એસીબીના નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલાએ આ નવી સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે, વોટ્સએપથી આવતા વિડીયો અને ફોટો મોકલનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. બીજી તરફ પેન ડ્રાઇવ કે સીડી મોકલનાર વ્યક્તિની પુછપરછ કરવામાં નહી આવે. આ સાથે એસીબીની વિશેષ ટીમ વિડીયો કે ફોટોને આધારે તપાસ કરશે. ખરાઇ થયા પછી જો પુરાવા મળે તો એસીબી દ્વારા ફરિયાદ નોઁધવામાં આવશે.
વોટ્સએપના માધ્યમથી આવતાં વિડીયો અને ફોટોની તપાસ માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વિભાગના અધિકારીની સ્પેશ્યલ ટીમની રચના કરવામાં આવી છે. આક્ષેપિત વ્યક્તિનો ઇતિહાસ અને તેની હાલની સ્થિતિ પણ તપાસવા, તેમજ અન્ય વિગતોની ચકાસણી અને પ્રાથમિક તપાસમાં વધુ સાવચેતીની જરૂરી હોવાથી આ ટીમની રચના કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ટ્રેપ કરવામાં આવે છે. કોરોના મહામારીના સમયમાં પણ એસીબીની ટ્રેપમાં વધારો થયો છે. 2020માં એસીબીએ કુલ 200 સફળ ટ્રેપ કરી છે અને 42થી વધુ અપ્રમાણસર મિલકતના કેસો નોંધ્યા છે. 2021માં અત્યાર સુધીમાં 100 કેસો નોંધાયા છે. ગુજરાતના કોઇ પણ શહેરમાંથી ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાવવી હોય તો તે સામાન્ય રીતે ટોલ ફ્રી નંબર 1064 અથવા એસીબીની કચેરીના ફોન નંબર- 079 22869228 પર નોંધાવી શકાય છે.