રાજ્યના વિવિધ 44 શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડથી સન્માનિત કરાશે.
ગાંધીનગર. ભારતના પુર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરે દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. જેના ભાગ રૂપે આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બર 2020 શનિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે.
રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન તરીકે CM વિજયભાઇ રૂપાણી હાજરી આપશે. નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ 1 ગાંધીનગર ખાતે સવારે 11.00 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ 44 શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આપી તેમને સન્માનિત કરવામાં આવશે.
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સન્માનિત થનાર શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહેશે. તેમ પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.
રાજ્યના વિવિધ 44 શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડથી સન્માનિત કરાશે.
ગાંધીનગર. ભારતના પુર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરે દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. જેના ભાગ રૂપે આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બર 2020 શનિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે.
રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન તરીકે CM વિજયભાઇ રૂપાણી હાજરી આપશે. નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ 1 ગાંધીનગર ખાતે સવારે 11.00 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ 44 શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આપી તેમને સન્માનિત કરવામાં આવશે.
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સન્માનિત થનાર શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહેશે. તેમ પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.