દર્દભર્યો અંતિમ વિડિઓ બનાવી આઇશાએ સાબરમતી નદીમાં પડતુ મુક્યું હતુ.
રાજસ્થાનના ઝાલોરના આરીફ ખાન સાથે વર્ષ 2018માં આઇશાના નિકાહ થયા હતા.
ચકચારી આઇશા આપઘાત કેસમાં રિવરઉફ્રન્ટ પોલીસે આઇરીફ ખાન સામે ગુનો નોંધ્યો હતો.
[caption id="attachment_562251" align="aligncenter" width="1280"] (આરીફ ખાન)[/caption]
WatchGujarat ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના વટવા ખાતે રહેતી પરિણીતા આઇશાએ સાબરમતી નદીમાં પડતુ મુકી જીવન ટુંકાવી લીધુ હતુ. આઇશાએ આ પગલુ ભરતા પહેલા તેના પતિ આરીફ સાથે ફોન પર વાત કરી હતી. પતિના કહ્યા પ્રમાણે આઇશાએ વિડિઓ બનાવી તેના પતિને મોકલી આપ્યો હતો. ત્યારબાદ માતા-પિતા સાથે પણ અંતિમ વખત ફોન પર વાત કરી જીવનનો અંત લાવી દીધો હતો. બનાવને પગલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આરીફ ખાનની રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી આઇશાના વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે આરીફ ખાન સાથે નિકાહ થયા હતા. જોકે પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હોવાથી આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરૂદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સની ફરીયાદ કરી હતી. તેવામાં ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આઇશાએ દિલમાં દર્દ છુપાવી હસંતા હસંતા સાબમરતી નદીમાં પડતુ મુકી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.
આપઘાત કરતા પહેલા આઇશાએ તેના પતિ માટે વિડિઓ બનાવી તેને મોકલ્યો હતો. તથા આઇશાએ માતા-પિતા સાથે ફોન ઉપર પણ વાત કરી હતી. પરંતુ આઇશાએ કરેલો નિર્ણય પરત નહીં ખેંચવાનુ મન મનાવી લીધુ હતુ. અને આખરે તેણીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ચકચારીત ઘટનાનો વિડિઓ અને આઇશાની માતા-પિતા સાથેની વાતચિતનો ઓડિયો સાંભળનાર સ્તબ્ધ રહીં ગયા હતા. બનાવને પગલે આઇશાના પિતાએ જમાઇ આરીફ ખાન વિરૂદ્ધ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી આરીફની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં પોલીસને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાનના પાલી ખાતેથી આરીફને ઝડપી પાડી અમદાવાદ લાવવા માટે કવાયત હાથ ધરી છે
WatchGujarat ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના વટવા ખાતે રહેતી પરિણીતા આઇશાએ સાબરમતી નદીમાં પડતુ મુકી જીવન ટુંકાવી લીધુ હતુ. આઇશાએ આ પગલુ ભરતા પહેલા તેના પતિ આરીફ સાથે ફોન પર વાત કરી હતી. પતિના કહ્યા પ્રમાણે આઇશાએ વિડિઓ બનાવી તેના પતિને મોકલી આપ્યો હતો. ત્યારબાદ માતા-પિતા સાથે પણ અંતિમ વખત ફોન પર વાત કરી જીવનનો અંત લાવી દીધો હતો. બનાવને પગલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આરીફ ખાનની રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી આઇશાના વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે આરીફ ખાન સાથે નિકાહ થયા હતા. જોકે પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હોવાથી આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરૂદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સની ફરીયાદ કરી હતી. તેવામાં ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આઇશાએ દિલમાં દર્દ છુપાવી હસંતા હસંતા સાબમરતી નદીમાં પડતુ મુકી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.
આપઘાત કરતા પહેલા આઇશાએ તેના પતિ માટે વિડિઓ બનાવી તેને મોકલ્યો હતો. તથા આઇશાએ માતા-પિતા સાથે ફોન ઉપર પણ વાત કરી હતી. પરંતુ આઇશાએ કરેલો નિર્ણય પરત નહીં ખેંચવાનુ મન મનાવી લીધુ હતુ. અને આખરે તેણીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ચકચારીત ઘટનાનો વિડિઓ અને આઇશાની માતા-પિતા સાથેની વાતચિતનો ઓડિયો સાંભળનાર સ્તબ્ધ રહીં ગયા હતા. બનાવને પગલે આઇશાના પિતાએ જમાઇ આરીફ ખાન વિરૂદ્ધ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી આરીફની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં પોલીસને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાનના પાલી ખાતેથી આરીફને ઝડપી પાડી અમદાવાદ લાવવા માટે કવાયત હાથ ધરી છે