ગત તા. 28 ડીસેમ્બરના રોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે રવિ પંડ્યાના પહરણની ફરીયાદ નોંધાઇ
અપહરણના ગુનાની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ
અપહરણકરતા રવિ પંડ્યાની પત્ની અને તેના માતા-પિતાને ફોન મેસેજ કરી રૂ. 3 લાખની માગણી કરતો
જયપુર પહોંચેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિને જોઇ ચોંકી
[caption id="attachment_1458262" align="aligncenter" width="1280"] (રવિ પંડ્યા)[/caption]
WatchGujarat. અપહરણ જેવી ઘટના બને ત્યારે સ્વાભવિક છે સ્થાનિક પોલીસની સાથે પોલીસની વિવિધ શાખાઓ ગુનાનો ભેદ ઉકેલવામાં લાગી જાય છે. એવુ જ કંઇ અમદાવાદના નરોડા વિસ્તારમાં બન્યું હતુ. નરોડા પોલીસ સ્ટેશન ખાતે રવિ પંડ્યા નામની વ્યક્તિના અપહરણની ફરીયાદ નોંધાઇ હતી. રવિનુ અપહરણ કરનાર તેના પરિવારને ફોન, મેસેજ અને વોટ્સઅપથી કોન્ટેક્ટ કરતો અને રૂ. 3 લાખની માગણી કરવામાં આવી રહીં હતી. આ તમામ વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમે એકઠી કરી અને તપાસનો ધમધમાટ શરૂ થયો.
એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડના (Anti Organised Squad) ઇન્સપેકટર એચ.એમ. વ્યાસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. રવિનુ અપહરણ કરનાર તેના પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી રૂ. 3 લાખની માગણી કરી રહ્યો હતો. જેથી પોલીસે એક તરફ આ મોબાઇલ નંબરનનુ સર્વેલન્સ શરૂ કર્યુ અને બીજી તરફ રવિ પંડ્યાના ફોટો તમામ રાજ્ય ભરના તમામ બાતમીદારોને મોકલી આપ્યો હતો. સમય વિતી રહ્યો હતો, રવિના પરિવારની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો હતો. તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીદારે સચોટ માહિતી આપતા કહ્યું, સાહેબ તમે જે ફોટો મોકલ્યો છે, તે વ્યક્તિ તો અમારા જયપુરના બસ સ્ટેન્ડ પર એકલો ફરી રહ્યો છે.
અમદાવદા ક્રાઇમ બ્રાન્ચને બાતમીદારે આપેલી જાણકારી મહત્વની હતી, પરંતુ તેઓ મુંજવણમાં મુકાયા કે, રવિનુ તો અપહરણ થયું છે, અને તેનુ અપહરણ કરનાર રૂ. 3 લાખની માગણી પણ કરી રહ્યો છે. આ મુંજવણ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જયપુર બસ ડેપો પર પહોંચી અને રવિને એકલો ફરતો જોઇ તેઓ ચોંકી ગયા હતા. પોલીસે રવિને ઝડપી લીધો અને તેની પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
રવિની પુછતાછ કબૂલાત કરતા જણાવ્યુ કે, ગત તા. 27 ડીસેમ્બરના રોજ આધારકાર્ડ લઇ મોબાઇલ નંબર બદલવાના બહાને એ ઘરેથી નિકળ્યો હતો. ઘરેથી નિકળ્યા બાદ એ શાહીબાગ નમસ્તે સર્કલથી બસમાં બેસી પહેલા જોધપુર પહોંચ્યો, ત્યાંથી જયપુર, ત્યાંથી દિલ્હી, ત્યાંથી જમ્મુ અને ત્યારબાદ પરત દિલ્હી આવી જયપુર પહોંચ્યો હતો. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો હતો.
પોલીસે રવિની વધુ પુછતાછ કરતા જાણવા મળ્યું કે, વર્ષ 2011માં એ ઇસ્ટ આફ્રિકા ગયો હતો. ત્યારબાદ ભારત પરત ફરી આવી નોકરી માટે તાનઝાનીયા ગયો, તાનઝાનીયાથી પરત આવવા માટે તેની પાસે રૂપિયા પણ ન્હોતા, જેથી વર્ષ 2020માં તેના પિતાએ દેવુ કરી રૂ. 2 લાખ મોકલતા રવિ પરત ભારત આવ્યો હતો.
ભારત આવ્યા બાદ તેણે કોમોડીટીનો વ્યાપર શરૂ કર્યો પણ કોરોના કાળ દરમિયાન ધંધો ઠપ થઇ જતા ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી તેણે ખાનગી કંપનીમાં નજીવા પગારે નોકરી શરૂ કરી પણ આર્થિક પરિસ્થિતિ ખુબ જ લથડી જતા તે દેવુ પણ ચુંકવી શક્યો ન્હોતો. આમ નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી ગયેલા રવિએ પોતાના જ અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
ગત તા. 28 ડીસેમ્બરના રોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે રવિ પંડ્યાના પહરણની ફરીયાદ નોંધાઇ
અપહરણના ગુનાની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ
અપહરણકરતા રવિ પંડ્યાની પત્ની અને તેના માતા-પિતાને ફોન મેસેજ કરી રૂ. 3 લાખની માગણી કરતો
જયપુર પહોંચેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિને જોઇ ચોંકી
WatchGujarat. અપહરણ જેવી ઘટના બને ત્યારે સ્વાભવિક છે સ્થાનિક પોલીસની સાથે પોલીસની વિવિધ શાખાઓ ગુનાનો ભેદ ઉકેલવામાં લાગી જાય છે. એવુ જ કંઇ અમદાવાદના નરોડા વિસ્તારમાં બન્યું હતુ. નરોડા પોલીસ સ્ટેશન ખાતે રવિ પંડ્યા નામની વ્યક્તિના અપહરણની ફરીયાદ નોંધાઇ હતી. રવિનુ અપહરણ કરનાર તેના પરિવારને ફોન, મેસેજ અને વોટ્સઅપથી કોન્ટેક્ટ કરતો અને રૂ. 3 લાખની માગણી કરવામાં આવી રહીં હતી. આ તમામ વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમે એકઠી કરી અને તપાસનો ધમધમાટ શરૂ થયો.
એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડના (Anti Organised Squad) ઇન્સપેકટર એચ.એમ. વ્યાસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. રવિનુ અપહરણ કરનાર તેના પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી રૂ. 3 લાખની માગણી કરી રહ્યો હતો. જેથી પોલીસે એક તરફ આ મોબાઇલ નંબરનનુ સર્વેલન્સ શરૂ કર્યુ અને બીજી તરફ રવિ પંડ્યાના ફોટો તમામ રાજ્ય ભરના તમામ બાતમીદારોને મોકલી આપ્યો હતો. સમય વિતી રહ્યો હતો, રવિના પરિવારની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો હતો. તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીદારે સચોટ માહિતી આપતા કહ્યું, સાહેબ તમે જે ફોટો મોકલ્યો છે, તે વ્યક્તિ તો અમારા જયપુરના બસ સ્ટેન્ડ પર એકલો ફરી રહ્યો છે.
અમદાવદા ક્રાઇમ બ્રાન્ચને બાતમીદારે આપેલી જાણકારી મહત્વની હતી, પરંતુ તેઓ મુંજવણમાં મુકાયા કે, રવિનુ તો અપહરણ થયું છે, અને તેનુ અપહરણ કરનાર રૂ. 3 લાખની માગણી પણ કરી રહ્યો છે. આ મુંજવણ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જયપુર બસ ડેપો પર પહોંચી અને રવિને એકલો ફરતો જોઇ તેઓ ચોંકી ગયા હતા. પોલીસે રવિને ઝડપી લીધો અને તેની પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
રવિની પુછતાછ કબૂલાત કરતા જણાવ્યુ કે, ગત તા. 27 ડીસેમ્બરના રોજ આધારકાર્ડ લઇ મોબાઇલ નંબર બદલવાના બહાને એ ઘરેથી નિકળ્યો હતો. ઘરેથી નિકળ્યા બાદ એ શાહીબાગ નમસ્તે સર્કલથી બસમાં બેસી પહેલા જોધપુર પહોંચ્યો, ત્યાંથી જયપુર, ત્યાંથી દિલ્હી, ત્યાંથી જમ્મુ અને ત્યારબાદ પરત દિલ્હી આવી જયપુર પહોંચ્યો હતો. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો હતો.
પોલીસે રવિની વધુ પુછતાછ કરતા જાણવા મળ્યું કે, વર્ષ 2011માં એ ઇસ્ટ આફ્રિકા ગયો હતો. ત્યારબાદ ભારત પરત ફરી આવી નોકરી માટે તાનઝાનીયા ગયો, તાનઝાનીયાથી પરત આવવા માટે તેની પાસે રૂપિયા પણ ન્હોતા, જેથી વર્ષ 2020માં તેના પિતાએ દેવુ કરી રૂ. 2 લાખ મોકલતા રવિ પરત ભારત આવ્યો હતો.
ભારત આવ્યા બાદ તેણે કોમોડીટીનો વ્યાપર શરૂ કર્યો પણ કોરોના કાળ દરમિયાન ધંધો ઠપ થઇ જતા ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી તેણે ખાનગી કંપનીમાં નજીવા પગારે નોકરી શરૂ કરી પણ આર્થિક પરિસ્થિતિ ખુબ જ લથડી જતા તે દેવુ પણ ચુંકવી શક્યો ન્હોતો. આમ નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી ગયેલા રવિએ પોતાના જ અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો હતો.