સરકારી ભરતી મામલે તાજેતરમાંજ અમરેશ ડેરે પોતાના પાર્મ હાઉસ પર સરકારી ભરતી મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
અમરેલી. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને સૌરાષ્ટ્રનાં ભાજપ-કોંગ્રેસનાં અનેક નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જેને લઈને હજારો વિધાર્થીઓ પણ જોખમમાં મુકાયા છે. કારણ કે તાજેતરમાં જ સરકારી ભરતી મામલે આંદોલન કરી રહેલા નેતાઓ સાથે તેમણે પોતાના ફાર્મ હાઉસમાં મુલાકાત કરી હતી.
ધારાસભ્ય અંબરીશ ડેરને પોઝિટિવ આવતા સ્વૈચ્છિક પોતાના ફાર્મ હાઉસ ખાતે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ જોન જાહેર કર્યું છે. જો કે હાલ તો ધારાસભ્યની તબીયત સ્વસ્થ હોવાનું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓમાં કોરોનાના લક્ષણ નહી હોવાનાં કારણે તેઓ પોતાના ફાર્મ હાઉસ પર હોમ ક્વોરન્ટાઇન થયા છે.
અમરીશ ડેરે હાલમાં જ પોતાનાં ફાર્મ હાઉસ ખાતે સરકારી ભરતી મુદ્દે આંદોલન કરી રહેલા યુવરાજસિંહ અને તેમના સાથીઓ સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત સરકારી ભરતીની તૈયારીઓ કરી રહેલા અમરેલી જિલ્લાનાં મોટા પ્રમાણમાં યુવાનો પણ અમરીશ ડેરના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં તેઓએ સરકાર પર દબાણ લાવવા માટે બેઠક પણ યોજી હતી. જેથી અમરીશ ડેર સાથે તમામ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. હવે અમરીશ ડેરનો કોરોનારિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તમામ લોકો ટેન્શનમાં મુકાયા છે.
- સરકારી ભરતી મામલે તાજેતરમાંજ અમરેશ ડેરે પોતાના પાર્મ હાઉસ પર સરકારી ભરતી મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
અમરેલી. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને સૌરાષ્ટ્રનાં ભાજપ-કોંગ્રેસનાં અનેક નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જેને લઈને હજારો વિધાર્થીઓ પણ જોખમમાં મુકાયા છે. કારણ કે તાજેતરમાં જ સરકારી ભરતી મામલે આંદોલન કરી રહેલા નેતાઓ સાથે તેમણે પોતાના ફાર્મ હાઉસમાં મુલાકાત કરી હતી.
ધારાસભ્ય અંબરીશ ડેરને પોઝિટિવ આવતા સ્વૈચ્છિક પોતાના ફાર્મ હાઉસ ખાતે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ જોન જાહેર કર્યું છે. જો કે હાલ તો ધારાસભ્યની તબીયત સ્વસ્થ હોવાનું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓમાં કોરોનાના લક્ષણ નહી હોવાનાં કારણે તેઓ પોતાના ફાર્મ હાઉસ પર હોમ ક્વોરન્ટાઇન થયા છે.
અમરીશ ડેરે હાલમાં જ પોતાનાં ફાર્મ હાઉસ ખાતે સરકારી ભરતી મુદ્દે આંદોલન કરી રહેલા યુવરાજસિંહ અને તેમના સાથીઓ સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત સરકારી ભરતીની તૈયારીઓ કરી રહેલા અમરેલી જિલ્લાનાં મોટા પ્રમાણમાં યુવાનો પણ અમરીશ ડેરના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં તેઓએ સરકાર પર દબાણ લાવવા માટે બેઠક પણ યોજી હતી. જેથી અમરીશ ડેર સાથે તમામ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. હવે અમરીશ ડેરનો કોરોનારિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તમામ લોકો ટેન્શનમાં મુકાયા છે.