અંકલેશ્વર તરફના બ્રિજના છેડેથી પ્રતિબંધ હોવા છતાં મહાકાય ટ્રેલર ઘુસ્યું અને ભરૂચના છેડેથી છુમંતર પણ થયું
બન્ને છેડે નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોને રોકવા પોલીસ પહેરો હોવા છતાં ટ્રેલર ઘુસ્યું કઈ રીતે
નવા બ્રિજ ઉપરથી આ વાહનના પગલે પાછળ ચાલતી ફોર વ્હિલરો પણ ઓવરટેકની જગ્યા નહિ હોવાથી અટવાઈ
[caption id="attachment_1282950" align="aligncenter" width="1600"] Gujarat newly inaugrated Narmada maiya bridge[/caption]
WatchGujarat. ભરૂચનો નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ નિર્માણ પેહલા બાદ અને હાલ કાર્યરત થવા વચ્ચે પણ લાઈમ લાઈટમાં જોવા મળી રહ્યો છે. હવે આ ₹430 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ચર્ચામાં રહેવાનું કારણ તેના પરથી અવેધ અને પ્રતિબંધ હોવા છતાં પસાર થયેલું 40 પૈડાનું તોતિંગ વાહન છે.
ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રા એ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે. લોકોને બ્રિજ એટલી હદે ગમી અને આંખમાં વસી ગયો છે કે લોકાર્પણના ત્રીજા રવિવારે પણ ભરૂચ અને અંકલેશ્વર તરફથી પ્રજા અહીં મજા માણવા અને સેલ્ફીઓ લેવા પડાપડી કરી રહી છે.
બ્રિજ ઉપરથી માટે હળવા વાહનો જ પસાર કરવાની હાલ મંજૂરી અપાઈ છે. જેને લઈ ટુ, થ્રિ અને ફોર વ્હીલર પસાર થઈ રહ્યાં છે. સરકારી બસો બ્રિજ પરથી કાર્યરત થઈ ગઈ છે અને ટ્વીન સિટીની તર્જ ઉપર ગુરૂવારથી સિટી બસ સેવા પણ શરૂ થઈ જવાની છે.
https://twitter.com/WatchGujarat/status/1416780610652172292?s=08
જોકે સરકારી GSRTC ની ST બસો અને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સિટી બસ પણ દોડતી થઈ જશે. બ્રિજ ઉપરથી ખાનગી ભારે વાહનોને પાબંદી હોવા છતાં અંકલેશ્વર તરફથી નર્મદા મૈયા બ્રિજ ઉપર બિન્દાસ્ત બેરોકટોક મસમોટું ટ્રેલર નીકળી ગયું હતું.
અહીં સવાલ એ થાય છે કે બ્રિજના બન્ને છેડે લોકોની ઉમટતી ભીડ, LED સર્કિટની થયેલી ચોરી અને સેલ્ફીઓ માટે પડાપડી વચ્ચે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. બ્રિજના બન્ને છેડે પોલીસ પણ ભારે વાહનોને અટકાવવા પહેરામાં હોય છે ત્યારે 40 જેટલા ટાયરો ધરાવતું મશીનરીથી લોડેડ ટ્રેલર કઈ રીતે અંકલેશ્વરથી ચઢી ભરૂચ તરફ 5 કિલોમીટરનું અંતર કાપી ઉતરી ગયું અને કોઈની નજરમાં પણ ન આવ્યું.
બ્રિજ ઉપરથી જ્યારે આ મશીનરી થી સજ્જ તોતિંગ વાહન પસાર થતું હતું ત્યારે તેની વધુ પોહળાઈ ને લીધે પાછળ આવતી કારોને પણ અવરોધ ઉભો થયો હતો. જેઓ આ ટ્રેલરનો ઓવરટેક ન કરી શકવા સાથે તેની પાછળ પાછળ જ પોતાનું વાહન હંકારવાની ફરજ પડી હતી.
ભારે વાહનથી બ્રિજને પણ જોખમ સાથે મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ હોય ત્યારે પાછળથી પસાર થતી કારના ચાલકે જ આ ગેરકાયદે પ્રવેશેલા ભારે વાહનનો વિડીયો ઉતારી લીધો હતો. હવે તંત્ર બ્રિજના બન્ને છેડે પોલીસ પોઇન્ટ બનાવી દઇ બ્રિજ પરથી જાણ્યે કે અજાણ્યે પસાર થવા જતા ભારદાયી ખાનગી વાહનોને અટકાવે અને વોચ રાખે તેવી માંગ ઉઠી રહી છે.
અંકલેશ્વર તરફના બ્રિજના છેડેથી પ્રતિબંધ હોવા છતાં મહાકાય ટ્રેલર ઘુસ્યું અને ભરૂચના છેડેથી છુમંતર પણ થયું
બન્ને છેડે નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોને રોકવા પોલીસ પહેરો હોવા છતાં ટ્રેલર ઘુસ્યું કઈ રીતે
નવા બ્રિજ ઉપરથી આ વાહનના પગલે પાછળ ચાલતી ફોર વ્હિલરો પણ ઓવરટેકની જગ્યા નહિ હોવાથી અટવાઈ
[caption id="attachment_1282950" align="aligncenter" width="1600"] Gujarat newly inaugrated Narmada maiya bridge[/caption]
WatchGujarat. ભરૂચનો નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ નિર્માણ પેહલા બાદ અને હાલ કાર્યરત થવા વચ્ચે પણ લાઈમ લાઈટમાં જોવા મળી રહ્યો છે. હવે આ ₹430 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ચર્ચામાં રહેવાનું કારણ તેના પરથી અવેધ અને પ્રતિબંધ હોવા છતાં પસાર થયેલું 40 પૈડાનું તોતિંગ વાહન છે.
ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રા એ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે. લોકોને બ્રિજ એટલી હદે ગમી અને આંખમાં વસી ગયો છે કે લોકાર્પણના ત્રીજા રવિવારે પણ ભરૂચ અને અંકલેશ્વર તરફથી પ્રજા અહીં મજા માણવા અને સેલ્ફીઓ લેવા પડાપડી કરી રહી છે.
બ્રિજ ઉપરથી માટે હળવા વાહનો જ પસાર કરવાની હાલ મંજૂરી અપાઈ છે. જેને લઈ ટુ, થ્રિ અને ફોર વ્હીલર પસાર થઈ રહ્યાં છે. સરકારી બસો બ્રિજ પરથી કાર્યરત થઈ ગઈ છે અને ટ્વીન સિટીની તર્જ ઉપર ગુરૂવારથી સિટી બસ સેવા પણ શરૂ થઈ જવાની છે.
https://twitter.com/WatchGujarat/status/1416780610652172292?s=08
જોકે સરકારી GSRTC ની ST બસો અને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સિટી બસ પણ દોડતી થઈ જશે. બ્રિજ ઉપરથી ખાનગી ભારે વાહનોને પાબંદી હોવા છતાં અંકલેશ્વર તરફથી નર્મદા મૈયા બ્રિજ ઉપર બિન્દાસ્ત બેરોકટોક મસમોટું ટ્રેલર નીકળી ગયું હતું.
અહીં સવાલ એ થાય છે કે બ્રિજના બન્ને છેડે લોકોની ઉમટતી ભીડ, LED સર્કિટની થયેલી ચોરી અને સેલ્ફીઓ માટે પડાપડી વચ્ચે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. બ્રિજના બન્ને છેડે પોલીસ પણ ભારે વાહનોને અટકાવવા પહેરામાં હોય છે ત્યારે 40 જેટલા ટાયરો ધરાવતું મશીનરીથી લોડેડ ટ્રેલર કઈ રીતે અંકલેશ્વરથી ચઢી ભરૂચ તરફ 5 કિલોમીટરનું અંતર કાપી ઉતરી ગયું અને કોઈની નજરમાં પણ ન આવ્યું.
બ્રિજ ઉપરથી જ્યારે આ મશીનરી થી સજ્જ તોતિંગ વાહન પસાર થતું હતું ત્યારે તેની વધુ પોહળાઈ ને લીધે પાછળ આવતી કારોને પણ અવરોધ ઉભો થયો હતો. જેઓ આ ટ્રેલરનો ઓવરટેક ન કરી શકવા સાથે તેની પાછળ પાછળ જ પોતાનું વાહન હંકારવાની ફરજ પડી હતી.
ભારે વાહનથી બ્રિજને પણ જોખમ સાથે મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ હોય ત્યારે પાછળથી પસાર થતી કારના ચાલકે જ આ ગેરકાયદે પ્રવેશેલા ભારે વાહનનો વિડીયો ઉતારી લીધો હતો. હવે તંત્ર બ્રિજના બન્ને છેડે પોલીસ પોઇન્ટ બનાવી દઇ બ્રિજ પરથી જાણ્યે કે અજાણ્યે પસાર થવા જતા ભારદાયી ખાનગી વાહનોને અટકાવે અને વોચ રાખે તેવી માંગ ઉઠી રહી છે.