શહેરના ઐતિહાસિક સ્મશાનમાં કોરોના પેહલા નોર્મલ મૃતદેહો રોજ 6 થી 7 આવતા હતા તે આ એપ્રિલમાં વધીને 10 થી 11 થયા
દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે પણ નોર્મલ મૃતદેહના અગ્નિદાહમાં હાર્ટએટેક કે ગભરામણથી મૃત્યુનો આંક વધુ
WatchGujarat. કોરોનાની બીજી લહેરે જ્યાં સરકારી તંત્ર, અર્થવ્યવસ્થા અને આરોગ્ય સિસ્ટમ સાથે લોકોનું મનોબળ પણ હચમચાવી દીધું છે ત્યાં અછત, લાઈનો, લૂંટફાટ અને કાળાબજાર વચ્ચે લોકોની માનસિક સ્થિતિ પણ ડામાડોળ થઈ રહી છે.
કોરોના કયારે નાબૂદ થશે, વેપાર-ધંધા ફરી ધમધમતા થશે, અર્થ તંત્ર કયારે પાટે ચઢશે, આપણે કોરોના સંક્રમણથી બચી શકીશું કે નહીં,ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનો સમયસર મળી શકશે કે નહીં, આ મહામારીથી ક્યારે ઉગરી શકાશે, મને કંઈ થઈ ગયું તો મારા પરિવારનું શુ.
આવા અનેક સવાલો અને ચિંતાઓથી હાલ સામાન્ય માણસ ગ્રસિત છે જેની રાતોની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ ગયું છે. લોકો હવે એક જ વસ્તુ વિચારી રહ્યા છે કે,અમે અને અમારું પરિવાર આમાંથી બચી શકીશુ કે નહીં.
આટલી ચિંતાઓ અને રોજે રોજ વધતા મૃત્યુ, ખૂટતા શ્વાસ અને અછતોથી લોકો શારીરિક, આર્થિક અને માનસિક રીતે હવે હારી રહ્યા છે. ભરૂચની જ વાત કરીએ તો આ એપ્રિલ મહિનાના 25 દિવસમાં જ ફક્ત કોવિડ સ્મશાનમાં 575 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે. જેની સામે નોર્મલ દશાશ્વમેઘ સ્મશાનમાં પણ મૃતદેહોની અંતિમ સંસ્કારનો આંક રોજ 10 થી 11 થઈ રહ્યો છે.
સામાન્ય શહેરના સ્મશાનમાં રોજ સરેરાશ 5 થી 6 મૃતદેહો અંતિમવિધિ માટે આવતા હતા. જે એપ્રિલ મહિનાના 25 દિવસમાં જ અત્યાર સુધી રેકોર્ડ બ્રેક 270 નોંધાયા છે.
કોવિડ અને રોટરી દશાશ્વમેઘ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે ,કોવિડ સ્મશાનમાં રોજના સરેરાશ 25 થી 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર વચ્ચે સામાન્ય સ્મશાનમાં પણ પેહલા સરેરાશ 6 થી 7 મૃતદેહો આવતા હતા તેની સામે હાલ 10 થી 11 મૃતદેહો આવી રહ્યા છે.
સામાન્ય સ્મશાનમાં પણ આવતા મૃતદેહોમાં મોટા ભાવે હાર્ટએટેક કે ગભરામણથી લોકોના મૃત્યુનો આંકડો વધુ છે, જે પાછળ પણ કોરોનાનો હાઉ કે ટેસ્ટ કરાવ્યા વગર પોઝિટિવ દર્દીઓ હોવાની શક્યતા નકારી શકાતી નથી તેમ નિષ્ણાતો જણાવી રહ્યાં છે.
શહેરના ઐતિહાસિક સ્મશાનમાં કોરોના પેહલા નોર્મલ મૃતદેહો રોજ 6 થી 7 આવતા હતા તે આ એપ્રિલમાં વધીને 10 થી 11 થયા
દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે પણ નોર્મલ મૃતદેહના અગ્નિદાહમાં હાર્ટએટેક કે ગભરામણથી મૃત્યુનો આંક વધુ
WatchGujarat. કોરોનાની બીજી લહેરે જ્યાં સરકારી તંત્ર, અર્થવ્યવસ્થા અને આરોગ્ય સિસ્ટમ સાથે લોકોનું મનોબળ પણ હચમચાવી દીધું છે ત્યાં અછત, લાઈનો, લૂંટફાટ અને કાળાબજાર વચ્ચે લોકોની માનસિક સ્થિતિ પણ ડામાડોળ થઈ રહી છે.
કોરોના કયારે નાબૂદ થશે, વેપાર-ધંધા ફરી ધમધમતા થશે, અર્થ તંત્ર કયારે પાટે ચઢશે, આપણે કોરોના સંક્રમણથી બચી શકીશું કે નહીં,ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનો સમયસર મળી શકશે કે નહીં, આ મહામારીથી ક્યારે ઉગરી શકાશે, મને કંઈ થઈ ગયું તો મારા પરિવારનું શુ.
આવા અનેક સવાલો અને ચિંતાઓથી હાલ સામાન્ય માણસ ગ્રસિત છે જેની રાતોની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ ગયું છે. લોકો હવે એક જ વસ્તુ વિચારી રહ્યા છે કે,અમે અને અમારું પરિવાર આમાંથી બચી શકીશુ કે નહીં.
આટલી ચિંતાઓ અને રોજે રોજ વધતા મૃત્યુ, ખૂટતા શ્વાસ અને અછતોથી લોકો શારીરિક, આર્થિક અને માનસિક રીતે હવે હારી રહ્યા છે. ભરૂચની જ વાત કરીએ તો આ એપ્રિલ મહિનાના 25 દિવસમાં જ ફક્ત કોવિડ સ્મશાનમાં 575 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે. જેની સામે નોર્મલ દશાશ્વમેઘ સ્મશાનમાં પણ મૃતદેહોની અંતિમ સંસ્કારનો આંક રોજ 10 થી 11 થઈ રહ્યો છે.
સામાન્ય શહેરના સ્મશાનમાં રોજ સરેરાશ 5 થી 6 મૃતદેહો અંતિમવિધિ માટે આવતા હતા. જે એપ્રિલ મહિનાના 25 દિવસમાં જ અત્યાર સુધી રેકોર્ડ બ્રેક 270 નોંધાયા છે.
કોવિડ અને રોટરી દશાશ્વમેઘ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે ,કોવિડ સ્મશાનમાં રોજના સરેરાશ 25 થી 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર વચ્ચે સામાન્ય સ્મશાનમાં પણ પેહલા સરેરાશ 6 થી 7 મૃતદેહો આવતા હતા તેની સામે હાલ 10 થી 11 મૃતદેહો આવી રહ્યા છે.
સામાન્ય સ્મશાનમાં પણ આવતા મૃતદેહોમાં મોટા ભાવે હાર્ટએટેક કે ગભરામણથી લોકોના મૃત્યુનો આંકડો વધુ છે, જે પાછળ પણ કોરોનાનો હાઉ કે ટેસ્ટ કરાવ્યા વગર પોઝિટિવ દર્દીઓ હોવાની શક્યતા નકારી શકાતી નથી તેમ નિષ્ણાતો જણાવી રહ્યાં છે.