પ્રદુષણથી મૃતપ્રાય બનેલા પાકની કાઢેલી અંતિમયાત્રામાં ખેડૂત બહેનોએ છાજિયા લઈ સરકાર અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
દુકાળની સ્થિતિ વચ્ચે પણ સરકાર પાક નુકશાની વળતરની મર્યાદાને વળગીને બેઠી હોય ખેડૂતોમાં ભભૂકી ઉઠેલો ભારે દાવાનળ
તેગવા ગામે કપાસની ઠાઠડી બાંધી ગામલોકોએ મરસિયા ગાઈ હાય હાય બોલાવી
WatchGujarat. કોટન કિંગ ભરૂચ જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. કાનમ પ્રદેશના 4 તાલુકામાં તંત્રની તપાસ અને સર્વે છતાં પાયમાલ બનેલા ખેડૂતોને વળતર અંગે સરકાર કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
ઔદ્યોગિક આફત બાદ હવે દુકાળ જેવી સ્થિતિમાં આભમાંથી પણ વરસાદ નહિ વરસતા બેવડી માર વચ્ચે જગતનો તાત લાચાર બન્યો છે. આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગુરુવારે કપાસના મૃત પાકની સ્મશાન યાત્રા કાઢી હતી. જેમાં પ્રદૂષણથી મૃત પ્રાય બનેલા કપાસની નનામી બનાવી તેમાં ખેડૂતો જોડાયા હતા.
https://youtu.be/WegiVWi9Dy4
ખેડૂત બહેનોએ છાજિયા લઈ સરકાર અને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ભારે હૈયે ખેડૂતો અને ગ્રામજનોએ મૃત કપાસનો અગ્નિસંસ્કાર હિંદુ વિધિ મુજબ કર્યો હતો. આમોદ તાલુકામા કંપનીઓના પ્રદુષણના કારણે ખેતીને પારાવાર નુકસાન થયું છે. ખેતી નષ્ટ થઈ છે ત્યારે દુકાળગ્રસ્ત ચોમાસાને લઈ ખેડૂતો મરવાના વાંકે છે.
ખેડૂતોની આર્થિક સ્થિતી નબળી હોય ત્યારે વળતર નહિ ચૂકવાતા હવે સ્થિતિ દુકાળના ડાકલા વચ્ચે ભયંકર બનવા જઈ રહી છે. ત્યારે તાલુકાના તેગવા, નિણમ, સોનામાં અને આસનેરા ગામના ખેડૂતો સરકાર ને સહાય ચૂકવવા માટે આજીજી કરી રહ્યાં છે.
ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓને કોઈ વાચા નહિ આપતા ગુરુવારે તાલુકાના તેગવા ગામના ખેડૂતોએ ખેતરના નુકસાની પાકની નનામી કાઢી સરકાર પાસે પાક ને થયેલ નુકસાન પૂરેપૂરું ચૂકવવા માંગણી કરી હતી. ખેડૂતો અને ગ્રામજનોએ હિન્દૂ સંસ્કૃતિ રિવાજ મુજબ મૃત કપાસની સ્મશાન યાત્રા કાઢી હતી. જેમાં ખેડૂત બહેનોએ છાઝિયા મરણ રિવાજ ના કર્યા હતા.
[caption id="attachment_1387008" align="aligncenter" width="1600"] Bharuch Amod Cotton King[/caption]
ખેડૂતોએ મૃત કપાસની વિધિવત અગ્નિદાહ આપી સરકાર પાસે પાક નુકશાનીનું પૂરેપૂરું વળતર આપવા માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં ઉધોગોના કારણે પાકને નુકશાન ન થાય તે માટે કાર્યવાહી કરવા અરજ કરી છે.
આમોદ તાલુકા પંચાયત ખાતે કોંગી ધારાસભ્યની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટીઓની બેઠક
આમોદ નગર સહિત પંથકમાં ખેતીના પાકમાં વિકૃતિ આવતા આમોદ પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જે બાબતની અનેક રજુઆત ધારાસભ્યને મળતા આજ રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અઘ્યક્ષતામાં ગામના સરપંચ અને તલાટીઓની તાકીદની બેઠક મળી હતી. જેમાં જંબુસરના નાયબ કલેકટર, આમોદ નાયબ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી અને નહિવત વરસાદને કારણે પશુઓ માટે વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડે તેવી માંગ કરી હતી.
પ્રદુષણથી મૃતપ્રાય બનેલા પાકની કાઢેલી અંતિમયાત્રામાં ખેડૂત બહેનોએ છાજિયા લઈ સરકાર અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
દુકાળની સ્થિતિ વચ્ચે પણ સરકાર પાક નુકશાની વળતરની મર્યાદાને વળગીને બેઠી હોય ખેડૂતોમાં ભભૂકી ઉઠેલો ભારે દાવાનળ
WatchGujarat. કોટન કિંગ ભરૂચ જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. કાનમ પ્રદેશના 4 તાલુકામાં તંત્રની તપાસ અને સર્વે છતાં પાયમાલ બનેલા ખેડૂતોને વળતર અંગે સરકાર કે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નથી.
ઔદ્યોગિક આફત બાદ હવે દુકાળ જેવી સ્થિતિમાં આભમાંથી પણ વરસાદ નહિ વરસતા બેવડી માર વચ્ચે જગતનો તાત લાચાર બન્યો છે. આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગુરુવારે કપાસના મૃત પાકની સ્મશાન યાત્રા કાઢી હતી. જેમાં પ્રદૂષણથી મૃત પ્રાય બનેલા કપાસની નનામી બનાવી તેમાં ખેડૂતો જોડાયા હતા.
ખેડૂત બહેનોએ છાજિયા લઈ સરકાર અને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ભારે હૈયે ખેડૂતો અને ગ્રામજનોએ મૃત કપાસનો અગ્નિસંસ્કાર હિંદુ વિધિ મુજબ કર્યો હતો. આમોદ તાલુકામા કંપનીઓના પ્રદુષણના કારણે ખેતીને પારાવાર નુકસાન થયું છે. ખેતી નષ્ટ થઈ છે ત્યારે દુકાળગ્રસ્ત ચોમાસાને લઈ ખેડૂતો મરવાના વાંકે છે.
ખેડૂતોની આર્થિક સ્થિતી નબળી હોય ત્યારે વળતર નહિ ચૂકવાતા હવે સ્થિતિ દુકાળના ડાકલા વચ્ચે ભયંકર બનવા જઈ રહી છે. ત્યારે તાલુકાના તેગવા, નિણમ, સોનામાં અને આસનેરા ગામના ખેડૂતો સરકાર ને સહાય ચૂકવવા માટે આજીજી કરી રહ્યાં છે.
ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓને કોઈ વાચા નહિ આપતા ગુરુવારે તાલુકાના તેગવા ગામના ખેડૂતોએ ખેતરના નુકસાની પાકની નનામી કાઢી સરકાર પાસે પાક ને થયેલ નુકસાન પૂરેપૂરું ચૂકવવા માંગણી કરી હતી. ખેડૂતો અને ગ્રામજનોએ હિન્દૂ સંસ્કૃતિ રિવાજ મુજબ મૃત કપાસની સ્મશાન યાત્રા કાઢી હતી. જેમાં ખેડૂત બહેનોએ છાઝિયા મરણ રિવાજ ના કર્યા હતા.
ખેડૂતોએ મૃત કપાસની વિધિવત અગ્નિદાહ આપી સરકાર પાસે પાક નુકશાનીનું પૂરેપૂરું વળતર આપવા માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં ઉધોગોના કારણે પાકને નુકશાન ન થાય તે માટે કાર્યવાહી કરવા અરજ કરી છે.
આમોદ તાલુકા પંચાયત ખાતે કોંગી ધારાસભ્યની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટીઓની બેઠક
આમોદ નગર સહિત પંથકમાં ખેતીના પાકમાં વિકૃતિ આવતા આમોદ પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જે બાબતની અનેક રજુઆત ધારાસભ્યને મળતા આજ રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અઘ્યક્ષતામાં ગામના સરપંચ અને તલાટીઓની તાકીદની બેઠક મળી હતી. જેમાં જંબુસરના નાયબ કલેકટર, આમોદ નાયબ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી અને નહિવત વરસાદને કારણે પશુઓ માટે વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડે તેવી માંગ કરી હતી.