રાજપારડીમાં બે મહિના અગાઉ અકસ્માતમાં નહી પરંતુ વૃદ્ધાની હત્યાનુ કરાઇ હોવાનો પર્દાફાશ
પીકવાનને ટક્કરે એક બાઇક પર પાછળ બેઠેલી વૃદ્ધાનુ મોત નિપજ્યું હતુ.
પત્નીના પ્રેમીને મારવા પિકઅપ વાનની ટક્કર, બાઈક પર પાછળ બેસેલી પ્રેમીની માતાનું મોત
2 મહિના પહેલાના અકસ્માતનો ભેદ ઉકેલાતા હત્યાના કાવતરાનો ખુલાસો
ભરૂચ. જિલ્લાના રાજપારડીમાં 2 મહિના અગાઉ પીકઅપવેનની અડફેટે વૃદ્ધાના મૃત્યુની ઘટના અકસ્માત નહિ પરંતુ હત્યાનું કાવતરું હોવાનો પર્દાફાશ થતા પોલીસે પીકઅપ વેન ચાલકની ધરપકડ કરી છે. ઘટનામાં પીકઅપ વેન ચાલકે તેની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતા શખ્સની અકસ્માત કરી હત્યા કરી નાખવા બાઇકને ટક્કર મારી હતી પરંતુ ચાલકના સ્થાને પાછળ બેઠેલી વૃદ્ધાનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું.
ગત ૪ જુલાઈએ રાજપારડી નજીક પીકઅપ વેનએ બાઇકને અડફેટમાં લઇ પલ્ટી ખાધી હતી. આ અકસ્માતમાં વનીતાબેન વસાવા નામની વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં દિનેશ નામનો વ્યક્તિ તેની દીકરી દેવિકા અને માતા વનિતા વસાવા સાથે મોટરસાઇક ઉપર રાજપારડી મેઇનરોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી અચાનક બોલેરો જીપના ચાલક અશોક વસાવાએ તેની પીકઅપ વેનથી બાઇકને અડફેટમાં લઇ પલ્ટી ખવડાવી હતી ઘટનામાં બાઈક સવાર વનિતાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે પિતા પુત્રીનો બચાવ થયો હતો.
ઘટના બાદ દિનેશે સતત ઘટના અકસ્માત નહિ પરંતુ કચડી મારી હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. એફએસએલની મદદ અને સ્થાનિકોનું પુછ્તાછના આધારે પોલીસને પણ મામલે શંકા જતા પીકઅપ વેન ચાલક અશોકની પૂછપરછ કરાઈ હતી જેમાં આખરે અશોકે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે દિનેશનો છેલ્લા ૫ વર્ષથી તેની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જે બાબતની રીસ રાખી તેને દિનેશની હત્યા કરવા અકસ્માત સર્જ્યો હતો પરંતુ દિનેશની માતા મૃત્યુ પામી હતી ઘટના બાબતે પોલીસે હત્યાનો ગુનો નોંધી અશોક વાસવૈઃ ધરપકડ કરી છે.
રાજપારડીમાં બે મહિના અગાઉ અકસ્માતમાં નહી પરંતુ વૃદ્ધાની હત્યાનુ કરાઇ હોવાનો પર્દાફાશ
પીકવાનને ટક્કરે એક બાઇક પર પાછળ બેઠેલી વૃદ્ધાનુ મોત નિપજ્યું હતુ.
ભરૂચ. જિલ્લાના રાજપારડીમાં 2 મહિના અગાઉ પીકઅપવેનની અડફેટે વૃદ્ધાના મૃત્યુની ઘટના અકસ્માત નહિ પરંતુ હત્યાનું કાવતરું હોવાનો પર્દાફાશ થતા પોલીસે પીકઅપ વેન ચાલકની ધરપકડ કરી છે. ઘટનામાં પીકઅપ વેન ચાલકે તેની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતા શખ્સની અકસ્માત કરી હત્યા કરી નાખવા બાઇકને ટક્કર મારી હતી પરંતુ ચાલકના સ્થાને પાછળ બેઠેલી વૃદ્ધાનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું.
ગત ૪ જુલાઈએ રાજપારડી નજીક પીકઅપ વેનએ બાઇકને અડફેટમાં લઇ પલ્ટી ખાધી હતી. આ અકસ્માતમાં વનીતાબેન વસાવા નામની વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં દિનેશ નામનો વ્યક્તિ તેની દીકરી દેવિકા અને માતા વનિતા વસાવા સાથે મોટરસાઇક ઉપર રાજપારડી મેઇનરોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી અચાનક બોલેરો જીપના ચાલક અશોક વસાવાએ તેની પીકઅપ વેનથી બાઇકને અડફેટમાં લઇ પલ્ટી ખવડાવી હતી ઘટનામાં બાઈક સવાર વનિતાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે પિતા પુત્રીનો બચાવ થયો હતો.
ઘટના બાદ દિનેશે સતત ઘટના અકસ્માત નહિ પરંતુ કચડી મારી હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. એફએસએલની મદદ અને સ્થાનિકોનું પુછ્તાછના આધારે પોલીસને પણ મામલે શંકા જતા પીકઅપ વેન ચાલક અશોકની પૂછપરછ કરાઈ હતી જેમાં આખરે અશોકે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે દિનેશનો છેલ્લા ૫ વર્ષથી તેની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જે બાબતની રીસ રાખી તેને દિનેશની હત્યા કરવા અકસ્માત સર્જ્યો હતો પરંતુ દિનેશની માતા મૃત્યુ પામી હતી ઘટના બાબતે પોલીસે હત્યાનો ગુનો નોંધી અશોક વાસવૈઃ ધરપકડ કરી છે.