COVID -19 ની સારવારમાં જ્યાં રોજના હજારોનો ખર્ચ થાય છે ત્યાં તબીબે પોતાની હોસ્પિટલને 28 બેડની કોવિડ હોસ્પિટલમાં તબદિલ કરી મફત ઈલાજ શરૂ કર્યો
ડો. કૌશલ પટેલની વેદાંત હોસ્પિટલમાં 2 બાયપેપ, 20 ઓક્સિજન અને બાકી જનરલ બેડ
નાણાં અને સારવાર અભાવે કોઈ દર્દી મૃત્યુ ન પામે તેવો અભિગમ, RSS ના સ્વંયસેવકો આપી રહ્યાં છે નિસ્વાર્થ સેવા, દાનની સરવાણીનો ધોધ
WatchGujarat. કોરોનાકાળમાં સારવાર પાછળ લાખોના ખર્ચ થઈ રહ્યા છે તેવા સમયમાં ભરૂચના એક તબીબે સારવારના અભાવે કોઈ દર્દી મૃત્યુ ન પામે તે માટે પોતાની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી નિ:શુલ્ક સારવાર આપવાની શરૂઆત કરી છે.
કોરોના દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ એક દિવસનો 20 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવે છે તેવામાં ડો. કૌશલ પટેલ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સાથે સારવાર એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર કરી રહ્યા છે.
એક તરફ કોરોના હોસ્પિટલોમાં બેફામ ચાર્જ, મોંઘા મેડિકલ રિપોર્ટસ અને દવાઓ સહીત દેવું કરાવે તેટલા મોટા ખર્ચના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ સામે તબીબી ક્ષેત્રમાં માનવીય અભિગમ દાખવનાર ડો. કૌશલ પટેલ ધ્યાન ખેંચી રહ્યા છે. આફતમાંથી અવસર ઉભી કરનાર લોકો સામે આ તબીબ મસમોટી આવક જતી કરવા સાથે દર્દીઓની સેવા પાછળ પોતાના ખિસ્સાની રકમ ખર્ચી રહ્યા છે.
28 દર્દીઓનો મફત ઈલાજ થાય છે
ડો. કૌશલ પટેલે પોતાની વેદાંત હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. આ હોસ્પિટલને 28 બેડની પરવાનગી મળી છે. હોસ્પિટલમાં બેડ , ઓક્સિજન અને તબીબી સારવારનો એકપણ રૂપિયાનો ચાર્જ વસુલાતો નથી જયારે દવા અને રિપોર્ટ્સ હોસ્પિટલ પડતર કિંમતે ઉપલબ્ધ કરાવે છે.
હોસ્પિટલમાં BiPap સુધીની સુવવિધઓ ઉપલબ્ધ
28 બેડની કોવીડ હોસ્પિટલમાં 20 ઓક્સિજન બેડ, 2 BiPap અને 3 અન્ય બેડ ઉપલબ્ધ છે. દર્દીઓને ચિકિત્સાની જરૂર અનુસાર દાખલ કરવામાં આવે છે. દર્દીનું નામ, ધર્મ કે જાતિ પૂછ્યા વગર જરૂરિયાતના આધારે નિ:શુલ્ક સારવાર અપાઈ રહી છે.
તબીબની સેવાભાવના જોઈ દાતાઓએ કતાર લગાવી
કમાણી અવસર તરીકે જોવાતા કોરોનના રોગચાળા દરમ્યાન પણ તબીબ આવક નહિ પણ દર્દીઓની સેવા પાછળ ખિસ્સાના પૈસા ખર્ચી નાખતા હોસ્પિટલમા દવા, મશીનરી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવા દાતાઓએ કતાર લગાવી છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની મદદ માટે શ્રમદાન પણ મોટી સંખ્યામાં કરાઈ રહ્યું છે . RSS ના સ્વયંસેવકો પણ હોસ્પિટલમાં સેવા આપે છે.
ગરીબોને અપાતી પ્રાથમિકતા
ખાનગી હોસ્પિટલોમાં શ્રેષ્ઠ ગણી શકાય તેવી સુવિધા ભરૂચની વેદાંત હોસ્પિટલ આપી રહી છે જ્યાં દાખલ થવા ભલામણ , ધર્મ કે જાતિ નહિ આર્થિક નિર્બળતા અને સારવારની જરૂરની આવશ્યકતા ઉપર કામ થાય છે.
COVID -19 ની સારવારમાં જ્યાં રોજના હજારોનો ખર્ચ થાય છે ત્યાં તબીબે પોતાની હોસ્પિટલને 28 બેડની કોવિડ હોસ્પિટલમાં તબદિલ કરી મફત ઈલાજ શરૂ કર્યો
નાણાં અને સારવાર અભાવે કોઈ દર્દી મૃત્યુ ન પામે તેવો અભિગમ, RSS ના સ્વંયસેવકો આપી રહ્યાં છે નિસ્વાર્થ સેવા, દાનની સરવાણીનો ધોધ
WatchGujarat. કોરોનાકાળમાં સારવાર પાછળ લાખોના ખર્ચ થઈ રહ્યા છે તેવા સમયમાં ભરૂચના એક તબીબે સારવારના અભાવે કોઈ દર્દી મૃત્યુ ન પામે તે માટે પોતાની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી નિ:શુલ્ક સારવાર આપવાની શરૂઆત કરી છે.
કોરોના દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ એક દિવસનો 20 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવે છે તેવામાં ડો. કૌશલ પટેલ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સાથે સારવાર એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર કરી રહ્યા છે.
એક તરફ કોરોના હોસ્પિટલોમાં બેફામ ચાર્જ, મોંઘા મેડિકલ રિપોર્ટસ અને દવાઓ સહીત દેવું કરાવે તેટલા મોટા ખર્ચના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ સામે તબીબી ક્ષેત્રમાં માનવીય અભિગમ દાખવનાર ડો. કૌશલ પટેલ ધ્યાન ખેંચી રહ્યા છે. આફતમાંથી અવસર ઉભી કરનાર લોકો સામે આ તબીબ મસમોટી આવક જતી કરવા સાથે દર્દીઓની સેવા પાછળ પોતાના ખિસ્સાની રકમ ખર્ચી રહ્યા છે.
28 દર્દીઓનો મફત ઈલાજ થાય છે
ડો. કૌશલ પટેલે પોતાની વેદાંત હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. આ હોસ્પિટલને 28 બેડની પરવાનગી મળી છે. હોસ્પિટલમાં બેડ , ઓક્સિજન અને તબીબી સારવારનો એકપણ રૂપિયાનો ચાર્જ વસુલાતો નથી જયારે દવા અને રિપોર્ટ્સ હોસ્પિટલ પડતર કિંમતે ઉપલબ્ધ કરાવે છે.
હોસ્પિટલમાં BiPap સુધીની સુવવિધઓ ઉપલબ્ધ
28 બેડની કોવીડ હોસ્પિટલમાં 20 ઓક્સિજન બેડ, 2 BiPap અને 3 અન્ય બેડ ઉપલબ્ધ છે. દર્દીઓને ચિકિત્સાની જરૂર અનુસાર દાખલ કરવામાં આવે છે. દર્દીનું નામ, ધર્મ કે જાતિ પૂછ્યા વગર જરૂરિયાતના આધારે નિ:શુલ્ક સારવાર અપાઈ રહી છે.
તબીબની સેવાભાવના જોઈ દાતાઓએ કતાર લગાવી
કમાણી અવસર તરીકે જોવાતા કોરોનના રોગચાળા દરમ્યાન પણ તબીબ આવક નહિ પણ દર્દીઓની સેવા પાછળ ખિસ્સાના પૈસા ખર્ચી નાખતા હોસ્પિટલમા દવા, મશીનરી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવા દાતાઓએ કતાર લગાવી છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની મદદ માટે શ્રમદાન પણ મોટી સંખ્યામાં કરાઈ રહ્યું છે . RSS ના સ્વયંસેવકો પણ હોસ્પિટલમાં સેવા આપે છે.
ગરીબોને અપાતી પ્રાથમિકતા
ખાનગી હોસ્પિટલોમાં શ્રેષ્ઠ ગણી શકાય તેવી સુવિધા ભરૂચની વેદાંત હોસ્પિટલ આપી રહી છે જ્યાં દાખલ થવા ભલામણ , ધર્મ કે જાતિ નહિ આર્થિક નિર્બળતા અને સારવારની જરૂરની આવશ્યકતા ઉપર કામ થાય છે.