3 દિવસથી 20 KM લાંબી કતારોના પગલે 4 લાખ લીટર ડિઝલનો ધુમાડો
નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા બાદ અજગરી ભરડામાંથી હાઇવે કાયમી મુક્ત થવાની એકમાત્ર આશ
ટ્રાફિક જામથી ઇંઘણના વ્યયની સાથે માનવ કલાકો પણ બગડી રહયાં છે તેમજ માલની ડીલીવરીમાં પણ વિલંબ
ભરૂચ. મુંબઇ- દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર સર્જાતી ટ્રાફિક જામની 3 દિવસથી સર્જાઈ રહેલી વિકરાળ ચક્કાજમની સમસ્યાને કારણે શુક્રવારે વાહનોની 20 કિમી સુધી લાંબી કતારોનો ખડકલો થઈ ગયો હતો. સતત 3 દિવસ હાઇવે જામ રહેતા અને હજારો વાહન ચાલકો કલાકો સુધી ફસાતા ₹3 કરોડના ઇંધણનો વ્યય થયો છે.
વડોદરાથી સુરત જતી લેનમાં મુલદ ટોલ પ્લાઝા થી પાલેજ સુધી વાહનોની 20 કિલોમીટર લાંબી કતારો શુક્રવારે ત્રીજા દિવસે ખડકાઈ ગઈ હતી. દેશના અતિવ્યસ્ત નેશનલ હાઇવે નંબર 48 ઉપર સતત 3 દિવસથી ટ્રાફિક જામ થતો હોવાને કારણે 4 લાખ લીટર કરતાં વધારે ડીઝલનો ધુમાડો થઇ રહ્યો છે.
નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજને સમાંતર 4 લેન નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થતા હજી 6 મહિનાથી વધુ સમય નીકળી જશે. આવા સમયે હાઇવેને ટ્રાફિકના અજગરી ભરડામાંથી મુક્ત કરવા યુદ્ધના ધોરણે માર્ગનું સમારકામ એ જ એકમાત્ર હાલ પૂરતો ઉપાય છે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. છાશવારે ટ્રાફિક જામ થતો હોવાથી કરોડો રૂપિયાના ઇંઘણ તથા માનવ કલાકોનો વ્યય થઇ રહયો છે.
ભારે વરસાદને કારણે માર્ગ પર ખાડાઓ પડી જતાં 3 દિવસથી ટ્રાફિક જામ થઇ રહયો છે. સરદાર બ્રિજની વડોદરાથી સુરત જતી લેન પર 20 કી.મી. સુધી વાહનોની લાઇન લાગતી હોવાથી હજારો વાહનચાલકો અટવાઇ રહ્યા છે. નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતો હોવાથી 20,000 જેટલી ટ્રકો અટવાઇ જાય છે. 20 કી.મી.નું અંતર કાપતા ટ્રક ચાલકોને સરેરાશ 5 થી 6 કલાકનો સમય લાગી જાય છે. એક ટ્રક 5 કલાક માટે ઉભી રહે તો દર કલાકે સરેરાશ 20 લીટર ડીઝલનો વ્યય થાય છે.
20 હજાર ટ્રકો 5 કલાક માટે ઉભી રહે તો 4 લાખ લીટર જેટલા ડીઝલનો ધુમાડો થઇ જાય છે. આ ડીઝલની કિંમત ₹3 કરોડ ઉપરાંત થવા જાય છે. આમ નેશનલ હાઇવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે ₹3 કરોડના ડીઝલનો ધુમાડો થઇ રહયો છે. ટ્રાફિક જામને કારણે ઇંઘણના વ્યયની સાથે માનવ કલાકો પણ બગડી રહયાં છે તેમજ માલની ડીલીવરીમાં પણ વિલંબ થઇ રહયો છે.
20 KM ના જામમાં 2500 ટ્રક અને 5000 કાર ફસાય
એક ટ્રક ની સામાન્ય લંબાઈ 8 મીટર જેટલી હોય છે. જયારે કાર 3 થી 4 મીટર લાંબી હોય છે. હવે 20 કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાય તો 20,000 મીટરમાં 5000 કાર અને 2500 ટ્રક ની કતાર પડી જાય.
હાઇવેનો જામ ગોલ્ડનબ્રિજના ટ્રાફિકને પણ બાધક
સતત 3 દિવસથી બિસ્માર હાઇવેને માર્ગો અને ખાડાઓ ને લઈ ટ્રાફિકજામને પગલે નાના વાહન ચાલકો પાલેજ, નબીપુર, નર્મદા ચોકડી થી ચાવજ તરફના રસ્તે થઈ ગોલ્ડનબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તેની અસર ગોલ્ડનબ્રિજના ટ્રાફિક ઉપર પણ પડી રહી છે. વડોદરા લેન પર પાલેજ-નબીપુરથી કતારોને લઈ કેટલાય વાહનચાલકો રોંગ સાઇડ સુરત-વડોદરા લેનમાં ઘૂસતા અકસ્માતનું જોખમ સાથે ત્યાં પણ ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે.
- 3 દિવસથી 20 KM લાંબી કતારોના પગલે 4 લાખ લીટર ડિઝલનો ધુમાડો
- નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા બાદ અજગરી ભરડામાંથી હાઇવે કાયમી મુક્ત થવાની એકમાત્ર આશ
- ટ્રાફિક જામથી ઇંઘણના વ્યયની સાથે માનવ કલાકો પણ બગડી રહયાં છે તેમજ માલની ડીલીવરીમાં પણ વિલંબ
ભરૂચ. મુંબઇ- દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર સર્જાતી ટ્રાફિક જામની 3 દિવસથી સર્જાઈ રહેલી વિકરાળ ચક્કાજમની સમસ્યાને કારણે શુક્રવારે વાહનોની 20 કિમી સુધી લાંબી કતારોનો ખડકલો થઈ ગયો હતો. સતત 3 દિવસ હાઇવે જામ રહેતા અને હજારો વાહન ચાલકો કલાકો સુધી ફસાતા ₹3 કરોડના ઇંધણનો વ્યય થયો છે.
વડોદરાથી સુરત જતી લેનમાં મુલદ ટોલ પ્લાઝા થી પાલેજ સુધી વાહનોની 20 કિલોમીટર લાંબી કતારો શુક્રવારે ત્રીજા દિવસે ખડકાઈ ગઈ હતી. દેશના અતિવ્યસ્ત નેશનલ હાઇવે નંબર 48 ઉપર સતત 3 દિવસથી ટ્રાફિક જામ થતો હોવાને કારણે 4 લાખ લીટર કરતાં વધારે ડીઝલનો ધુમાડો થઇ રહ્યો છે.
નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજને સમાંતર 4 લેન નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થતા હજી 6 મહિનાથી વધુ સમય નીકળી જશે. આવા સમયે હાઇવેને ટ્રાફિકના અજગરી ભરડામાંથી મુક્ત કરવા યુદ્ધના ધોરણે માર્ગનું સમારકામ એ જ એકમાત્ર હાલ પૂરતો ઉપાય છે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. છાશવારે ટ્રાફિક જામ થતો હોવાથી કરોડો રૂપિયાના ઇંઘણ તથા માનવ કલાકોનો વ્યય થઇ રહયો છે.
ભારે વરસાદને કારણે માર્ગ પર ખાડાઓ પડી જતાં 3 દિવસથી ટ્રાફિક જામ થઇ રહયો છે. સરદાર બ્રિજની વડોદરાથી સુરત જતી લેન પર 20 કી.મી. સુધી વાહનોની લાઇન લાગતી હોવાથી હજારો વાહનચાલકો અટવાઇ રહ્યા છે. નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતો હોવાથી 20,000 જેટલી ટ્રકો અટવાઇ જાય છે. 20 કી.મી.નું અંતર કાપતા ટ્રક ચાલકોને સરેરાશ 5 થી 6 કલાકનો સમય લાગી જાય છે. એક ટ્રક 5 કલાક માટે ઉભી રહે તો દર કલાકે સરેરાશ 20 લીટર ડીઝલનો વ્યય થાય છે.
20 હજાર ટ્રકો 5 કલાક માટે ઉભી રહે તો 4 લાખ લીટર જેટલા ડીઝલનો ધુમાડો થઇ જાય છે. આ ડીઝલની કિંમત ₹3 કરોડ ઉપરાંત થવા જાય છે. આમ નેશનલ હાઇવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે ₹3 કરોડના ડીઝલનો ધુમાડો થઇ રહયો છે. ટ્રાફિક જામને કારણે ઇંઘણના વ્યયની સાથે માનવ કલાકો પણ બગડી રહયાં છે તેમજ માલની ડીલીવરીમાં પણ વિલંબ થઇ રહયો છે.
20 KM ના જામમાં 2500 ટ્રક અને 5000 કાર ફસાય
એક ટ્રક ની સામાન્ય લંબાઈ 8 મીટર જેટલી હોય છે. જયારે કાર 3 થી 4 મીટર લાંબી હોય છે. હવે 20 કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાય તો 20,000 મીટરમાં 5000 કાર અને 2500 ટ્રક ની કતાર પડી જાય.
હાઇવેનો જામ ગોલ્ડનબ્રિજના ટ્રાફિકને પણ બાધક
સતત 3 દિવસથી બિસ્માર હાઇવેને માર્ગો અને ખાડાઓ ને લઈ ટ્રાફિકજામને પગલે નાના વાહન ચાલકો પાલેજ, નબીપુર, નર્મદા ચોકડી થી ચાવજ તરફના રસ્તે થઈ ગોલ્ડનબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તેની અસર ગોલ્ડનબ્રિજના ટ્રાફિક ઉપર પણ પડી રહી છે. વડોદરા લેન પર પાલેજ-નબીપુરથી કતારોને લઈ કેટલાય વાહનચાલકો રોંગ સાઇડ સુરત-વડોદરા લેનમાં ઘૂસતા અકસ્માતનું જોખમ સાથે ત્યાં પણ ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે.