મૃત કાગડાઓના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા
તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનિટાઈઝન અને દવાનો છાંટકાવ
શહેર-જિલ્લામાં પોલટ્રી ફાર્મ અને ચિકન શોપ પર પશુપાલન વિભાગની ટીમોનો સર્વે
એક પણ પક્ષીઓમાં હજી H5N1બર્ડફ્લુના લક્ષણો નહિ
કાગડાઓના મોત સડી ગયેલો ઝેરી ખોરાક ખાવાથી થયા હોવાનું પ્રાથમિક અનુમાન
WatchGujarat કોરોના બાદ એવીયન ફ્લૂએ દેખા દીધા વચ્ચે ભરૂચ શહેરના વેજલપુર બામણિયા ઓવરા નજીક 20 કાગડા રહસ્યમય મૃત હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. બર્ડફ્લૂની તપાસ અંગે મૃત કાગડાના સેમ્પલ તપાસ અર્થે મોકલી સફાઈ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.
રાજ્યમાં કોરોના મહામારી સાથે બર્ડફ્લૂ એ દેખા દેતા તંત્રની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં પણ પશુ પાલન વિભાગે બર્ડફ્લુને લઈ સર્વે અને તપાસની કામગીરી હાથ ધરી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડો. નાઈ દ્વારા ટીમો બનાવી શહેર સહિત 9 તાલુકામાં આવેલા પોલટ્રી ફાર્મ, ચિકન શોપ, તળાવો, નદી કાંઠા, પક્ષીઓના આશ્રયસ્થાનો પર સર્વે હાથ ધરાયો હતો.
જોકે હજી સુધી જિલ્લામાં H5N1 એવીયન ફલૂ પક્ષીઓમાં મળી આવ્યો નથી. દરમિયાન ભરૂચ શહેરના વેજલપુર સ્થિત બામણિયા ઓવારે શંકાસ્પદ 20 કાગડા મૃત હાલતમાં મળી આવતા પાલિકા અને પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું. ઓવરા ખાતેથી 20 કાગડા ઓના મૃતદેહને હટાવી સેમ્પલો ટેસ્ટિંગ માટે મોકલાયા છે. વિસ્તારમાં સેનિટાઈઝેશન સાથે સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
શહેરના નદી કિનારે સઘન તપાસ, સર્વે અને સફાઈ હાથ ધરવામાં આવી છે. કાગડાઓના મોત નું કારણ સેમ્પલના રિપોર્ટ બાદ જ બહાર આવશે. જોકે પ્રાથમિક તબક્કે ઓવરા ખાતે વાસી અને સળી ગયેલો ઝેરી ખોરાક આરોગતા કાગડાઓના મોત નિપજ્યા હોવાનું હાલ અનુમાન લગાવાય રહ્યું છે. શનિવારે ભરૂચ જિલ્લા પશુપાલન વિભાગે શહેર અને જિલ્લાના મરઘાં ઉછેર કેન્દ્રો અને ચિકન શોપ ઉપર ટીમો ઉતારી સર્વે હાથ ધર્યો હતો. સર્વ માં એક પણ પક્ષીઓમાં બર્ડફ્લુના લક્ષણો જણાઈ આવ્યા ન હતા.
જિલ્લા મદદનીશ પશુપાલક નિયામક ડો. કુશલ વસાવા એ જણાવ્યું હતું કે, ભરૂચમાં શુક્રવારે સાંજે 20 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા બાદ શનિવારે સર્વે, સફાઈ અને સેનિટાઈઝરની કામગીરી હાથ ધરાઈ છે. ચિકન શોપ અને પોલટ્રી ફાર્મના સંચાલકોને પક્ષીઓમાં બીમારી ના કોઈપણ લક્ષણ કે મોત દેખાઈ તો પશુપાલન વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
મૃત કાગડાઓના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા
તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનિટાઈઝન અને દવાનો છાંટકાવ
શહેર-જિલ્લામાં પોલટ્રી ફાર્મ અને ચિકન શોપ પર પશુપાલન વિભાગની ટીમોનો સર્વે
એક પણ પક્ષીઓમાં હજી H5N1બર્ડફ્લુના લક્ષણો નહિ
કાગડાઓના મોત સડી ગયેલો ઝેરી ખોરાક ખાવાથી થયા હોવાનું પ્રાથમિક અનુમાન
WatchGujarat કોરોના બાદ એવીયન ફ્લૂએ દેખા દીધા વચ્ચે ભરૂચ શહેરના વેજલપુર બામણિયા ઓવરા નજીક 20 કાગડા રહસ્યમય મૃત હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. બર્ડફ્લૂની તપાસ અંગે મૃત કાગડાના સેમ્પલ તપાસ અર્થે મોકલી સફાઈ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.
રાજ્યમાં કોરોના મહામારી સાથે બર્ડફ્લૂ એ દેખા દેતા તંત્રની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં પણ પશુ પાલન વિભાગે બર્ડફ્લુને લઈ સર્વે અને તપાસની કામગીરી હાથ ધરી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડો. નાઈ દ્વારા ટીમો બનાવી શહેર સહિત 9 તાલુકામાં આવેલા પોલટ્રી ફાર્મ, ચિકન શોપ, તળાવો, નદી કાંઠા, પક્ષીઓના આશ્રયસ્થાનો પર સર્વે હાથ ધરાયો હતો.
જોકે હજી સુધી જિલ્લામાં H5N1 એવીયન ફલૂ પક્ષીઓમાં મળી આવ્યો નથી. દરમિયાન ભરૂચ શહેરના વેજલપુર સ્થિત બામણિયા ઓવારે શંકાસ્પદ 20 કાગડા મૃત હાલતમાં મળી આવતા પાલિકા અને પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું. ઓવરા ખાતેથી 20 કાગડા ઓના મૃતદેહને હટાવી સેમ્પલો ટેસ્ટિંગ માટે મોકલાયા છે. વિસ્તારમાં સેનિટાઈઝેશન સાથે સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
શહેરના નદી કિનારે સઘન તપાસ, સર્વે અને સફાઈ હાથ ધરવામાં આવી છે. કાગડાઓના મોત નું કારણ સેમ્પલના રિપોર્ટ બાદ જ બહાર આવશે. જોકે પ્રાથમિક તબક્કે ઓવરા ખાતે વાસી અને સળી ગયેલો ઝેરી ખોરાક આરોગતા કાગડાઓના મોત નિપજ્યા હોવાનું હાલ અનુમાન લગાવાય રહ્યું છે. શનિવારે ભરૂચ જિલ્લા પશુપાલન વિભાગે શહેર અને જિલ્લાના મરઘાં ઉછેર કેન્દ્રો અને ચિકન શોપ ઉપર ટીમો ઉતારી સર્વે હાથ ધર્યો હતો. સર્વ માં એક પણ પક્ષીઓમાં બર્ડફ્લુના લક્ષણો જણાઈ આવ્યા ન હતા.
જિલ્લા મદદનીશ પશુપાલક નિયામક ડો. કુશલ વસાવા એ જણાવ્યું હતું કે, ભરૂચમાં શુક્રવારે સાંજે 20 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા બાદ શનિવારે સર્વે, સફાઈ અને સેનિટાઈઝરની કામગીરી હાથ ધરાઈ છે. ચિકન શોપ અને પોલટ્રી ફાર્મના સંચાલકોને પક્ષીઓમાં બીમારી ના કોઈપણ લક્ષણ કે મોત દેખાઈ તો પશુપાલન વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.