ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો આપવાનો બંધ કરી દેવાયો
લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખુબ જ જરૂરી – કેતન ઇનામદાર
ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન બેડ તૈયાર છે અને બીજી તૈયારીઓ ચાલુ છે તેનુ શું ?
રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવામાં ખૂબ તકલીફ પડી રહીં છે, દર્દીઓના સ્વજનો ઘરના સભ્યને બચાવવા બ્લેકમાં ઇન્જેક્શન ખરીદી રહ્યાં છે – MLA કેતન ઇનામદાર
WatchGujarat. કોરોનાના પરિસ્થિતિ દર એક મીનિટ અતિ ગંભીર બની રહીં છે. રાજ્ય તમામ મહાનગરો અને શહેરોમાં ઓક્સિજનની અછત ઉભી થઇ રહીં છે. ત્યારે વડોદરામાં હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજનનો જથ્થો પુરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. તે નિર્ણય પરત ખેંચવાની માગ સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખી પરિસ્થિતિથી વાકફે કર્યા છે.
વડોદરાના જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે સંવેદનશીલ મુખ્યમંત્રીને લખેલો સ્ફોટક પત્ર
આદરણીય શ્રી,
વિજયભાઇ રૂપાણી,
આદર સહ વંદન,
વંદેમાતરમ સહ જણાવવુ કે, હાલની કોરોનાની મહામારીમાં ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરી રહીં છે. જેમાં વેકસીનેશન હોય કે લોકોમાં જાગૃત્તા હોય બધી જ રીતે લોકઉપયોગી કામગીરી થઇ રહીં છે.
પરંતુ હાલ વી.એમ.સી દ્વાર જણાવવામાં આવેલ છે કે, જે ઓક્સિજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતો હતો. તે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરે ચે. તથા હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહીં છે. તો સરકારીશ્રી તથા સેવાભોવી સંસ્થાઓ દ્વારા સાવલી/ડેસર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલ ચે. તથા બીજી તૈયારી ચાલુ છે તેનુ શું ? અને પહેલાથી જ ઓક્સિજન ગ્રામ્ય વિસ્તારમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનુ શું ? આ બાબતે મારો સખત વિરોધ નોંધાવુ છું.
આપશ્રી ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી છો આ બાબતે ગંભીરાત પૂર્વક વિચારી નિર્ણય લો. વડોદરા શહેર, જિલ્લા મધ્યમાં આવે છે. જેના કારણે આસપાસના જિલ્લાના દર્દીઓને પણ અહિંયા લાવવામાં આવ છે. જેથી ભવિષ્યમાં આ નિર્ણયથી પરિસ્થિતિ ગંભીરથી અતિગંભીર થવા જઇ રહીં હશે.
વધુમાં જણાવવાનુ કે, ગ્રામ્ય સ્તરે આ મહામારીનએ ધીરે ધીરે પગ પેસારો કરી દીધો છે. ગત વર્ષ કોરોનાના કારણે જે સામાજીક પ્રસંગો (લગ્નો) કાર્ય ન હતા. તેના કારણે હાલમા ખુબ જ સામાજીક પ્રસંગો છે. જેથી લોકોની અવર-જવર પણ ખુબ જ રહે છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે. જેથી કરીને લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે. જેથી આ મહામારીની ચેઇન તોડી શકાય.
હાલ વડોદરા શહેર તથા ગ્રામ્ય કોવિડ સેન્ટરો તથા હોસ્પિટલો કાર્યરત છે. અને પરિસ્થિતિ જોતા ગ્રામ્ય લેવલે પણ વધારે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે છે. જેમાં દર્દીના સગાઓને હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન માટે જણાવવામાં આવે છે તો તેમને જાણકારી વગર ખુબ જ ધક્કા ખાવા પડે છે. અને છેવટે પોતાના ઘરના સભ્યને બચાવવા બ્લેકમાં વધારે પૈસા આપી ઇન્જેક્શન ખરીદે છે.
એક પ્રજા પ્રતિનિધિ તરીકે મારી આપશ્રીને વિનંતી તથા અરજ છે કે વહેલી તકે જે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન બંધ કરેલ છે. તે નિર્ણયને પરત લઇ ઓક્સિજન પુરો પાડવા તથા વડાદરા જિલ્લાને રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ પુરો પાડવા મારી અરજ છે.
કેતન એમ. ઇનામદાર
સાવીલ- ધારાસભ્ય
ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો આપવાનો બંધ કરી દેવાયો
લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખુબ જ જરૂરી – કેતન ઇનામદાર
ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન બેડ તૈયાર છે અને બીજી તૈયારીઓ ચાલુ છે તેનુ શું ?
રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવામાં ખૂબ તકલીફ પડી રહીં છે, દર્દીઓના સ્વજનો ઘરના સભ્યને બચાવવા બ્લેકમાં ઇન્જેક્શન ખરીદી રહ્યાં છે – MLA કેતન ઇનામદાર
WatchGujarat. કોરોનાના પરિસ્થિતિ દર એક મીનિટ અતિ ગંભીર બની રહીં છે. રાજ્ય તમામ મહાનગરો અને શહેરોમાં ઓક્સિજનની અછત ઉભી થઇ રહીં છે. ત્યારે વડોદરામાં હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજનનો જથ્થો પુરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. તે નિર્ણય પરત ખેંચવાની માગ સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખી પરિસ્થિતિથી વાકફે કર્યા છે.
વંદેમાતરમ સહ જણાવવુ કે, હાલની કોરોનાની મહામારીમાં ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરી રહીં છે. જેમાં વેકસીનેશન હોય કે લોકોમાં જાગૃત્તા હોય બધી જ રીતે લોકઉપયોગી કામગીરી થઇ રહીં છે.
પરંતુ હાલ વી.એમ.સી દ્વાર જણાવવામાં આવેલ છે કે, જે ઓક્સિજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતો હતો. તે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરે ચે. તથા હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહીં છે. તો સરકારીશ્રી તથા સેવાભોવી સંસ્થાઓ દ્વારા સાવલી/ડેસર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલ ચે. તથા બીજી તૈયારી ચાલુ છે તેનુ શું ? અને પહેલાથી જ ઓક્સિજન ગ્રામ્ય વિસ્તારમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનુ શું ? આ બાબતે મારો સખત વિરોધ નોંધાવુ છું.
આપશ્રી ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી છો આ બાબતે ગંભીરાત પૂર્વક વિચારી નિર્ણય લો. વડોદરા શહેર, જિલ્લા મધ્યમાં આવે છે. જેના કારણે આસપાસના જિલ્લાના દર્દીઓને પણ અહિંયા લાવવામાં આવ છે. જેથી ભવિષ્યમાં આ નિર્ણયથી પરિસ્થિતિ ગંભીરથી અતિગંભીર થવા જઇ રહીં હશે.
વધુમાં જણાવવાનુ કે, ગ્રામ્ય સ્તરે આ મહામારીનએ ધીરે ધીરે પગ પેસારો કરી દીધો છે. ગત વર્ષ કોરોનાના કારણે જે સામાજીક પ્રસંગો (લગ્નો) કાર્ય ન હતા. તેના કારણે હાલમા ખુબ જ સામાજીક પ્રસંગો છે. જેથી લોકોની અવર-જવર પણ ખુબ જ રહે છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે. જેથી કરીને લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે. જેથી આ મહામારીની ચેઇન તોડી શકાય.
હાલ વડોદરા શહેર તથા ગ્રામ્ય કોવિડ સેન્ટરો તથા હોસ્પિટલો કાર્યરત છે. અને પરિસ્થિતિ જોતા ગ્રામ્ય લેવલે પણ વધારે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે છે. જેમાં દર્દીના સગાઓને હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન માટે જણાવવામાં આવે છે તો તેમને જાણકારી વગર ખુબ જ ધક્કા ખાવા પડે છે. અને છેવટે પોતાના ઘરના સભ્યને બચાવવા બ્લેકમાં વધારે પૈસા આપી ઇન્જેક્શન ખરીદે છે.
એક પ્રજા પ્રતિનિધિ તરીકે મારી આપશ્રીને વિનંતી તથા અરજ છે કે વહેલી તકે જે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન બંધ કરેલ છે. તે નિર્ણયને પરત લઇ ઓક્સિજન પુરો પાડવા તથા વડાદરા જિલ્લાને રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ પુરો પાડવા મારી અરજ છે.