ભરૂચમાં BJP પ્રદેશ અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રીના હિન્દુવાદી નિવેદનને યોગ્ય ઠેરવ્યું
મારા શબ્દો લખીને રાખજો...:જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે: નીતિન પટેલે ગાંધીનગરમાં શનિવારે કહ્યું હતું
આજે આપણે અને વિશ્વ જોઈ રહ્યું છે, અફઘાનિસ્તાનમાં સરકાર તૂટી અને તાલિબાનીઓએ કબજો જમાવી લીધો : સી.આર. પાટીલ
[caption id="attachment_1388654" align="aligncenter" width="2048"] I am with Nitin Patel Said Gujarat State BJP President C R PATIL[/caption]
WatchGujarat. હું Dy. CM નીતિન ભાઈ સાથે સમંત છું, નાયબ મુખ્યમંત્રીએ આવનાર દિવસોનું ભવિષ્ય જોઇ હિંદુ અંગેની વાત કરી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે તેમ આજે ભરૂચમાં PM નરેન્દ્ર મોદીના મન કી બાત અને કોવેકસીનની પ્રથમ બેચને રિલીઝ કરવા પ્રસંગે BJP પ્રદેશ પ્રમુખ C R પાટીલે કહ્યું છે.
શુક્રવારે ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી Dy. CM નીતિન પટેલે આપેલું હિન્દુઓનું નિવેદન દેશભરમાં છવાઈ ગયું છે.
ડે. મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. નીતિન પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યાં હતાં. પટેલે તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇકોર્ટમાં પડકારનારાઓની ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુની ઝાટકણી કાઢી હતી અને રામ મંદિર તથા કલમ 370ની નાબૂદી જેવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા.
રવિવારે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી. આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. CR પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિન ભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે.
આજે આપણે તાલિબાન અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યાં છે કે, જેવી રીતે ત્યાં સરકાર તૂટી અને તાલિબાનીઓએ ત્યાં કબજો લીધો. આખી દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે. ત્યારે નીતિન ભાઈ એ અગમચેતી રીતે જ જ્યાં સુધી દેશમાં હિંદુઓની બહુમતી છે ત્યાં સુધી જ દેશમાં બંધારણ અને કાયદો છે જે વાત સાથે CR પાટીલે પોતે સમંત હોવાનું અંતે કહ્યું હતું.
ભરૂચમાં BJP પ્રદેશ અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રીના હિન્દુવાદી નિવેદનને યોગ્ય ઠેરવ્યું
મારા શબ્દો લખીને રાખજો...:જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે: નીતિન પટેલે ગાંધીનગરમાં શનિવારે કહ્યું હતું
આજે આપણે અને વિશ્વ જોઈ રહ્યું છે, અફઘાનિસ્તાનમાં સરકાર તૂટી અને તાલિબાનીઓએ કબજો જમાવી લીધો : સી.આર. પાટીલ
[caption id="attachment_1388654" align="aligncenter" width="2048"] I am with Nitin Patel Said Gujarat State BJP President C R PATIL[/caption]
WatchGujarat. હું Dy. CM નીતિન ભાઈ સાથે સમંત છું, નાયબ મુખ્યમંત્રીએ આવનાર દિવસોનું ભવિષ્ય જોઇ હિંદુ અંગેની વાત કરી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે તેમ આજે ભરૂચમાં PM નરેન્દ્ર મોદીના મન કી બાત અને કોવેકસીનની પ્રથમ બેચને રિલીઝ કરવા પ્રસંગે BJP પ્રદેશ પ્રમુખ C R પાટીલે કહ્યું છે.
ડે. મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. નીતિન પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યાં હતાં. પટેલે તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇકોર્ટમાં પડકારનારાઓની ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુની ઝાટકણી કાઢી હતી અને રામ મંદિર તથા કલમ 370ની નાબૂદી જેવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા.
રવિવારે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી. આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યથાર્થ ગણાવ્યું છે. CR પાટીલે કહ્યું હતું કે, મને લાગે છે કે, નીતિન ભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે.
આજે આપણે તાલિબાન અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યાં છે કે, જેવી રીતે ત્યાં સરકાર તૂટી અને તાલિબાનીઓએ ત્યાં કબજો લીધો. આખી દુનિયામાં એની અસરો જોવા મળી રહી છે. ત્યારે નીતિન ભાઈ એ અગમચેતી રીતે જ જ્યાં સુધી દેશમાં હિંદુઓની બહુમતી છે ત્યાં સુધી જ દેશમાં બંધારણ અને કાયદો છે જે વાત સાથે CR પાટીલે પોતે સમંત હોવાનું અંતે કહ્યું હતું.