દાહોદ ગોધરા રોડ પર આવેલા સુજાઇબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના
ડિસ્પોઝીબલ સામાનનો વ્યવસાય કરતા વેપારી સહીત પરિવારના પાંચ સભ્યોનો આપઘાત
વેપારીએ પિતાનો ફોન ન ઉપાડતા સમગ્ર મામલો બહાર આવ્યો
વેપારીએ પોતુ ઝેરી દવા અને દિકરીઓને ઝેરી મીઠાઇ ખવડાવી આપઘાત કર્યો હોવાની ચર્ચા
ગુજરાત. દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઇબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારીએ પત્ની સહીત ત્રણ પુત્રીઓ સાથે સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના બની છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમો મોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારી સહીત પરિવારના સામૂહિક આપઘાતનુ કારણ આર્થિક સંકળામણ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જોકે હજી સુધી આ વાતને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
આ બનાવની વિગત એવી છે, સુજાઇબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં રહેતા સૈફતભાઇ દુધિયાવાલા તેમની પત્ની મહેઝબીન, મોટી દિકરી અરવા,નાની ઝેનલ અને હુસૈના સાથે સુખી જીવન જીવી રહ્યાં હતા. સૈફતભાઇ ડિસ્પોઝીબલ ડીશ વિગેરે સામાનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન આજે સવારે વેપારીએ પરિવારના સભ્યો સાથે મળી સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના ઘટી હતી.
મળતી માહિતી મનુસાર, સૈફતભાઇને તેમના પિતા સતત ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ ન મળતા આખરે સૈફતભાઇના પિતાએ નજીકમાં રહેતી દિકરીને જાણ કરતા તે ઘરે પહોંચી હતી. જોકે ઘરનો દરવાજો બંધ હોવાથી આખરે તોડીની અંદર જોતા પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યાં હતા. સામૂહિક આપઘાતની ચકચારી આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ ગોધરા રોડ પર આવેલા સુજાઇબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના
ડિસ્પોઝીબલ સામાનનો વ્યવસાય કરતા વેપારી સહીત પરિવારના પાંચ સભ્યોનો આપઘાત
વેપારીએ પિતાનો ફોન ન ઉપાડતા સમગ્ર મામલો બહાર આવ્યો
વેપારીએ પોતુ ઝેરી દવા અને દિકરીઓને ઝેરી મીઠાઇ ખવડાવી આપઘાત કર્યો હોવાની ચર્ચા
ગુજરાત. દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઇબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારીએ પત્ની સહીત ત્રણ પુત્રીઓ સાથે સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના બની છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમો મોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારી સહીત પરિવારના સામૂહિક આપઘાતનુ કારણ આર્થિક સંકળામણ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જોકે હજી સુધી આ વાતને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
આ બનાવની વિગત એવી છે, સુજાઇબાગ વિસ્તારના બેતુલ એપાર્ટમેન્ટમાં રહેતા સૈફતભાઇ દુધિયાવાલા તેમની પત્ની મહેઝબીન, મોટી દિકરી અરવા,નાની ઝેનલ અને હુસૈના સાથે સુખી જીવન જીવી રહ્યાં હતા. સૈફતભાઇ ડિસ્પોઝીબલ ડીશ વિગેરે સામાનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન આજે સવારે વેપારીએ પરિવારના સભ્યો સાથે મળી સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના ઘટી હતી.
મળતી માહિતી મનુસાર, સૈફતભાઇને તેમના પિતા સતત ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ ન મળતા આખરે સૈફતભાઇના પિતાએ નજીકમાં રહેતી દિકરીને જાણ કરતા તે ઘરે પહોંચી હતી. જોકે ઘરનો દરવાજો બંધ હોવાથી આખરે તોડીની અંદર જોતા પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યાં હતા. સામૂહિક આપઘાતની ચકચારી આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.