પ્રારંભનાં ત્રીજા દિવસે આ રોપેક્ષ ફેરી ટેક્નિકલ કારણોસર બંધ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો
લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો
કલાકો સુધી પીવાનાં પાણી, લાઈટ કે એસીની પણ કોઈ વ્યવસ્થા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી નહોતી
5 કલાક બાદ શીપ કેન્સલ થયાની જાહેરાત થતા લોકોનો આખો દિવસ બરબાદ થયો હતો
હજુ બે દિવસ આ ફેરી સર્વિસ બંધ રહે તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે.
ભાવનગર. તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપીને ઘોઘા-હજીરા રો પેક્સ ફેરીનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ સૌરાષ્ટ્રથી સુરત જવામાં કલાકોનો સમય બચવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આજે પ્રારંભનાં ત્રીજા દિવસે આ રોપેક્ષ ફેરી ટેક્નિકલ કારણોસર બંધ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, આજે બપોરે 12 વાગ્યે રોપેક્ષ ફેરીનું જહાજ ઘોઘાથી હજીરા જવાનું હતું. જો કે મુસાફરો આવી પહોંચ્યા હોવા છતાં ટેક્નિકલ ખામી હોવાના કારણે ફેરી રવાના થઈ શકી નહોતી. એટલું જ નહીં મુસાફરોને છેક સાંજે 5 વાગ્યે શીપ કેન્સલ કરાઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. દરમિયાન પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ ન હોવાથી આ ફેરીના મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને રોપેક્ષ ફેરીનાં મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠયા છે.
મુસાફરોએ જણાવ્યુ હતું કે, ટીકિટ બારી પર શીપ પર ક્યારે રવાના થશે તે અંગે મેનેજમેન્ટને પૂછવા છતાં તે ક્યારે ઉપડશે તેનો સંતોષકારક જવાબ પણ કલાકો સુધી અપાયો નહોતો. એટલું જ નહીં કલાકો સુધી પીવાનાં પાણી, લાઈટ કે એસીની પણ કોઈ વ્યવસ્થા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી નહોતી. જેને લઈને મહિલાઓ તેમજ બાળકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અને 5 કલાક બાદ શીપ કેન્સલ થયાની જાહેરાત થતા લોકોનો આખો દિવસ બરબાદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ આ ફેરી સર્વિસ બંધ રહે તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ એવી રોપેક્ષ ફેરી સર્વિસ સાચા અર્થમાં ક્યારે સાકાર થશે ? રવિવારે શરૂ થયેલી આ ફેરી સર્વિસમાં બે દિવસમાં એવી તે શું ખામી ઉભી થઇ કે બે-ત્રણ દિવસ બંધ રાખવી પડે છે ? માત્ર વાહવાહી લૂંટવા જ આ ફેરી શરૂ કરવામાં આવી હતી? જેવા અનેક સવાલો લોકોને મૂંઝવી રહ્યા છે. જોકે હાલ આ પૈકીના કોઈ સવાલનો જવાબ આપવા કોઈ તૈયાર નથી.
પ્રારંભનાં ત્રીજા દિવસે આ રોપેક્ષ ફેરી ટેક્નિકલ કારણોસર બંધ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો
લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો
કલાકો સુધી પીવાનાં પાણી, લાઈટ કે એસીની પણ કોઈ વ્યવસ્થા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી નહોતી
5 કલાક બાદ શીપ કેન્સલ થયાની જાહેરાત થતા લોકોનો આખો દિવસ બરબાદ થયો હતો
હજુ બે દિવસ આ ફેરી સર્વિસ બંધ રહે તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે.
ભાવનગર. તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપીને ઘોઘા-હજીરા રો પેક્સ ફેરીનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ સૌરાષ્ટ્રથી સુરત જવામાં કલાકોનો સમય બચવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આજે પ્રારંભનાં ત્રીજા દિવસે આ રોપેક્ષ ફેરી ટેક્નિકલ કારણોસર બંધ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, આજે બપોરે 12 વાગ્યે રોપેક્ષ ફેરીનું જહાજ ઘોઘાથી હજીરા જવાનું હતું. જો કે મુસાફરો આવી પહોંચ્યા હોવા છતાં ટેક્નિકલ ખામી હોવાના કારણે ફેરી રવાના થઈ શકી નહોતી. એટલું જ નહીં મુસાફરોને છેક સાંજે 5 વાગ્યે શીપ કેન્સલ કરાઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. દરમિયાન પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ ન હોવાથી આ ફેરીના મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને રોપેક્ષ ફેરીનાં મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠયા છે.
મુસાફરોએ જણાવ્યુ હતું કે, ટીકિટ બારી પર શીપ પર ક્યારે રવાના થશે તે અંગે મેનેજમેન્ટને પૂછવા છતાં તે ક્યારે ઉપડશે તેનો સંતોષકારક જવાબ પણ કલાકો સુધી અપાયો નહોતો. એટલું જ નહીં કલાકો સુધી પીવાનાં પાણી, લાઈટ કે એસીની પણ કોઈ વ્યવસ્થા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી નહોતી. જેને લઈને મહિલાઓ તેમજ બાળકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અને 5 કલાક બાદ શીપ કેન્સલ થયાની જાહેરાત થતા લોકોનો આખો દિવસ બરબાદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ આ ફેરી સર્વિસ બંધ રહે તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ એવી રોપેક્ષ ફેરી સર્વિસ સાચા અર્થમાં ક્યારે સાકાર થશે ? રવિવારે શરૂ થયેલી આ ફેરી સર્વિસમાં બે દિવસમાં એવી તે શું ખામી ઉભી થઇ કે બે-ત્રણ દિવસ બંધ રાખવી પડે છે ? માત્ર વાહવાહી લૂંટવા જ આ ફેરી શરૂ કરવામાં આવી હતી? જેવા અનેક સવાલો લોકોને મૂંઝવી રહ્યા છે. જોકે હાલ આ પૈકીના કોઈ સવાલનો જવાબ આપવા કોઈ તૈયાર નથી.