વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું ઉદ્ઘાટન કર્યુ
પહેલા જે અંતરને કવર કરવામાં 10થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે આ સફરમાં 3-4 કલાક જ લાગશે : PM મોદી
છેલ્લા બે દાયકામાં ભારત દેશમાં સમુદ્રીય વ્યવસાય થયો તેમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. : PM મોદી
સુરત. પીએમ મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન આજે થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ અને હજીરાથી ઘોઘાની વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને વિસ્તારના લોકોનું વર્ષો જૂનું સપનુ પુરુ થયુ છે. વર્ષોની રાહ પૂરી થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વધુ એક ભેટ આપી છે. પીએમ મોદીએ આજે સુરતને સૌરાષ્ટ્ર સાથે જળમાર્ગે જોડનારા હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યુ. આ સેવા શરૂ થવાથી ઘોઘા અને હજીરાની વચ્ચે રોડનું જે અંતર 375 કિલોમીટરનું છે, તે સમુદ્રના માર્ગે ઘટીને માત્ર 90 કિલોમીટરનું જ થઈ જશે. પીએમ મોદીએ કહ્યુ કે પહેલા જે અંતરને કવર કરવામાં 10થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે આ સફરમાં 3-4 કલાક જ લાગશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ અને હજીરાથી ઘોઘાની વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી. પીએમ મોદીએ કહ્યુ કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને વિસ્તારના લોકોનું વર્ષો જૂનું સપનુ પુરુ થયુ છે. વર્ષોની રાહ પૂરી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતનો સમુદ્ર માર્ગો દ્વારા થતા વ્યવસાયની હજારો વર્ષ પુરાણો છે. આઝાદીના 70 વર્ષ સુધી સમુદ્રી વારસાને જાળવવા માટે કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી.2014 બાદ સમુદ્ર માર્ગે અને વિકાસ કરવા માટે સતત એક પછી એક નવા યોજનાઓ જાહેર કરવામાં આવી છે. હજીરા ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસ માટે અનેક અડચણો હતી. તેમ છતાં આ પ્રોજેક્ટ સાકાર થયો છે. તેને માટે તમામ અધિકારીઓને અભિનંદન છે. ગુજરાત અને ભારતનો દરિયાકિનારો ઘણો વિશાળ છે તેને ડેવલોપ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ગુજરાતીઓને પણ આ વાતની ખબર નહીં હશે કે છેલ્લા બે દાયકામાં ભારત દેશમાં સમુદ્રીય વ્યવસાય થયો તેમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતનો દરિયા કિનારો હવે સમુદ્રી વ્યવસાય માટે ગેટવે ઓફ ઇન્ડિયા બનવા જઈ રહ્યો છે. ગુજરાતના લોથલમાં દેશનો સમુદ્રી ઇતિહાસ છે.
સુરતના હજીરા ખાતે અદાણી દ્વારા બનાવવામાં આવેલા ટર્મિનલ ખાતે મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા. જ્યારે ભાવનગરના ઘોઘા ખાતે પણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈલ લાઈન નું ચુસ્ત પાલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મહુવા,પાલીતાણા ગારીયાધાર ના ધારાસભ્ય અને કલેક્ટર, ડીડીઓ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પહેલા જે અંતરને કવર કરવામાં 10થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે આ સફરમાં 3-4 કલાક જ લાગશે : PM મોદી
છેલ્લા બે દાયકામાં ભારત દેશમાં સમુદ્રીય વ્યવસાય થયો તેમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. : PM મોદી
સુરત. પીએમ મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન આજે થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ અને હજીરાથી ઘોઘાની વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને વિસ્તારના લોકોનું વર્ષો જૂનું સપનુ પુરુ થયુ છે. વર્ષોની રાહ પૂરી થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વધુ એક ભેટ આપી છે. પીએમ મોદીએ આજે સુરતને સૌરાષ્ટ્ર સાથે જળમાર્ગે જોડનારા હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યુ. આ સેવા શરૂ થવાથી ઘોઘા અને હજીરાની વચ્ચે રોડનું જે અંતર 375 કિલોમીટરનું છે, તે સમુદ્રના માર્ગે ઘટીને માત્ર 90 કિલોમીટરનું જ થઈ જશે. પીએમ મોદીએ કહ્યુ કે પહેલા જે અંતરને કવર કરવામાં 10થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે આ સફરમાં 3-4 કલાક જ લાગશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ અને હજીરાથી ઘોઘાની વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી. પીએમ મોદીએ કહ્યુ કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને વિસ્તારના લોકોનું વર્ષો જૂનું સપનુ પુરુ થયુ છે. વર્ષોની રાહ પૂરી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતનો સમુદ્ર માર્ગો દ્વારા થતા વ્યવસાયની હજારો વર્ષ પુરાણો છે. આઝાદીના 70 વર્ષ સુધી સમુદ્રી વારસાને જાળવવા માટે કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી.2014 બાદ સમુદ્ર માર્ગે અને વિકાસ કરવા માટે સતત એક પછી એક નવા યોજનાઓ જાહેર કરવામાં આવી છે. હજીરા ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસ માટે અનેક અડચણો હતી. તેમ છતાં આ પ્રોજેક્ટ સાકાર થયો છે. તેને માટે તમામ અધિકારીઓને અભિનંદન છે. ગુજરાત અને ભારતનો દરિયાકિનારો ઘણો વિશાળ છે તેને ડેવલોપ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ગુજરાતીઓને પણ આ વાતની ખબર નહીં હશે કે છેલ્લા બે દાયકામાં ભારત દેશમાં સમુદ્રીય વ્યવસાય થયો તેમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતનો દરિયા કિનારો હવે સમુદ્રી વ્યવસાય માટે ગેટવે ઓફ ઇન્ડિયા બનવા જઈ રહ્યો છે. ગુજરાતના લોથલમાં દેશનો સમુદ્રી ઇતિહાસ છે.
સુરતના હજીરા ખાતે અદાણી દ્વારા બનાવવામાં આવેલા ટર્મિનલ ખાતે મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા. જ્યારે ભાવનગરના ઘોઘા ખાતે પણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈલ લાઈન નું ચુસ્ત પાલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મહુવા,પાલીતાણા ગારીયાધાર ના ધારાસભ્ય અને કલેક્ટર, ડીડીઓ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.