હાઇકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી દીધી છે.
રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાતા હાઇકોર્ટે દરમિયાનગીરી કરવાની ફરજ પડી
કોરોના સામેની કામગીરીમાં સરકાર પર ઉઠાવ્યા સવાલ
આવતિકાલે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ રાજ્યમાં વકરેલી કોરોનાની સ્થિતિના અનેક મુદ્દાઓ પર કરશે સુનવણી
WatchGujarat. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે તમામ હદો વટાવી ચૂંકી છે. હોસ્પિટલમાં દાખલ કરવા માટે દર્દીઓને બેડ નથી મળી રહ્યાં, બીજી તરફ જીવનરક્ષણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. આવી પરિસ્થિતિ પર હાઇકોર્ટ ખુદ મેદાને આવી છે. રાજ્યામાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનુ હાઇકોર્ટનુ તારણ છે. જેને લઇ કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી છે. જેમા સ્મશાન ગૃહોવની સ્થિતિ હોસ્પિટલમાં બેડની અછત, ઇન્જેકશનની અછત વગેરે મુદ્દાઓ પર સુનવણી આવતિકાલે સવારે 11 વાગે યોજાશે. તેમજ કેસમાં પક્ષકાર તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકાને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે, જે બાબત નકારી શકાય તેમ નથી. કોરોનાની સેકન્ડ વેવમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા સત્તાવાર કોરોના પોઝિટીવ દર્દીઓ અને મૃતકોના આકડા આપવામાં આવી રહ્યાં છે. તેના કરતા વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન જૂદી છે. રોજે રોજે કોરોનાની વકરેલી પરિસ્થિતિને લઇ અનેક જુદા જુદા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઇ હોવાનુ હાઇકોર્ટનુ તારણ છે.
સાથે હાઇકોર્ટે કોવિડ-19ના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારી કામગીર પર સવાર ઉઠાવ્યાં છે. આ સમગ્ર અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની વડાપણવાળી બેચ સુનવણી પણ કરશે. રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનુ હાઇકોર્ટે તારણ કાઢ્યુ છે.
- હાઇકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી દીધી છે.
- રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાતા હાઇકોર્ટે દરમિયાનગીરી કરવાની ફરજ પડી
- કોરોના સામેની કામગીરીમાં સરકાર પર ઉઠાવ્યા સવાલ
- આવતિકાલે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ રાજ્યમાં વકરેલી કોરોનાની સ્થિતિના અનેક મુદ્દાઓ પર કરશે સુનવણી
WatchGujarat. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે તમામ હદો વટાવી ચૂંકી છે. હોસ્પિટલમાં દાખલ કરવા માટે દર્દીઓને બેડ નથી મળી રહ્યાં, બીજી તરફ જીવનરક્ષણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. આવી પરિસ્થિતિ પર હાઇકોર્ટ ખુદ મેદાને આવી છે. રાજ્યામાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનુ હાઇકોર્ટનુ તારણ છે. જેને લઇ કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી છે. જેમા સ્મશાન ગૃહોવની સ્થિતિ હોસ્પિટલમાં બેડની અછત, ઇન્જેકશનની અછત વગેરે મુદ્દાઓ પર સુનવણી આવતિકાલે સવારે 11 વાગે યોજાશે. તેમજ કેસમાં પક્ષકાર તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકાને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે, જે બાબત નકારી શકાય તેમ નથી. કોરોનાની સેકન્ડ વેવમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા સત્તાવાર કોરોના પોઝિટીવ દર્દીઓ અને મૃતકોના આકડા આપવામાં આવી રહ્યાં છે. તેના કરતા વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન જૂદી છે. રોજે રોજે કોરોનાની વકરેલી પરિસ્થિતિને લઇ અનેક જુદા જુદા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઇ હોવાનુ હાઇકોર્ટનુ તારણ છે.
સાથે હાઇકોર્ટે કોવિડ-19ના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારી કામગીર પર સવાર ઉઠાવ્યાં છે. આ સમગ્ર અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની વડાપણવાળી બેચ સુનવણી પણ કરશે. રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનુ હાઇકોર્ટે તારણ કાઢ્યુ છે.