ગત વર્ષે લોકડાઉનમાં અટવાયેલા ભરૂચ અને ગુજરાતના પરપ્રાંતિયોનું વતન જવા ટ્રેનોમાં રિઝર્વેશન માટે દોડ
અંકલેશ્વર-ભરૂચ-સુરતથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઇટિંગનું વધતું જતું લિસ્ટ
UP- બિહાર જવા માટે ઘસારો વધતા ટ્રેનો હાઉસફુલ
મહારાષ્ટ્રની હાલની સ્ફોટક સ્થિતિને લઈ ગુજરાતથી મહારાષ્ટ્રની ટ્રેનો ખાલી જઇ રહી છે
મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવવા મુસાફરોની સંખ્યા વધુ
WatchGujarat. ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછતની ઉભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા કોરોનાના કેસોથી હવે જો સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લદાવાની દહેશત લોકોમાં વ્યાપક ઘર કરી રહી છે.
જેને લઈ ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો સહિત ગુજરાતમાં ગુજરાન માટે સ્થિર થયેલા અન્ય રાજ્યોના પરિવારો ગત વર્ષની વતન જવા માટે સર્જાયેલી દારુણ સ્થિતિને અત્યારથી જ ધ્યાને રાખી જો અને તો ની લોકડાઉનની શક્યતાઓ વચ્ચે પાણી પેહલા પાળ બાંધવા દોટ લગાવી રહ્યા છે.
ગત વર્ષે લોકડાઉનમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 35 વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી 45000 થી વધુ પરપ્રાંતિયોને વતન રવાના કરાયા હતા. ભરૂચ હાઇવે પરથી ચાલતા તેમજ જે વાહનો મળે તેમાં સવાર થઈ વતન જવા માટે ઉમટી પડેલા શ્રમિક પરિવારોની હિજરતનો આંક તો ગણી શકાય તેમ ન હતો.
આ વર્ષે કોરોનાનો બીજી લહેર ઘાતક સાબિત થવા સાથે ત્રીજી લહેર પણ એક્ટિવ થઈ રહી હોવાની આલબેલ પોકારવામાં આવી રહી છે. ગુજરાતમાં વધતા કેસો અને મૃત્યુ વચ્ચે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઇન્જેક્શનોની ગંભીર કટોકટીની સ્થિતિ ઉડ ઉદભવી રહી છે.
રાત્રી કરફ્યુ, સ્વૈચ્છીક લોકડાઉન સહિતના પગલાં છતાં કાતિલ કોરોનાનું સંક્રમણ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યું છે ત્યારે છેલ્લે ફરી લોકડાઉન એ જ વિકલ્પની દહેશતને લઈ ગુજરાતમાં રોજીરોટી માટે સ્થાયી પરપ્રાંતીય પરિવારો ફરી ચિંતિત થઈ ઉઠ્યા છે.
રેલવેમાં હવે ઉત્તર અને દક્ષિણ ભારતની ટ્રેનોમાં રિઝર્વેશન ફૂલ થઈ રહ્યા છે. ભરૂચ-અંકલેશ્વર, વડોદરા, સુરતથી પસાર થતી બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત સાઉથની સ્પેશ્યલ ટ્રેનોમાં રિઝર્વેશન 15 જૂન સુધી ફૂલ થઈ ગયું છે.
ઉત્તર ભારત અને સાઉથની ટ્રેનોમાં ભરૂચ-અંકલેશ્વરથી જ વેઇટિંગનો આંકડો આગામી 52 દિવસ સુધી 48 થઈ લઈ 133 થી વધુનો થઈ ગયો છે. મહારાષ્ટ્રની કોરોના પરિસ્થિતિ ગુજરાત કરતા પણ અત્યન્ત વિકટ હોય ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનોમાં ન છૂટકે જ કામ કે મજબૂરી વશ જવાની ફરજ પડતા લોકો જઇ રહ્યા છે. જેને લઈ ગુજરાતથી મહારાષ્ટ્ર જતી મોટા ભાગની સ્પેશ્યલ ટ્રેનો ખાલી જઈ રહી છે. જોકે મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરોની સંખ્યા વધુ છે.
ખાનગી ટ્રાવેલ્સને તડાકો, લોકોની મજબૂરીનો ઉઠાવતો ગેરલાભ
હાલ સ્પેશ્યલ ટ્રેનો જ દોડતી હોય અને તે પણ અમુક સ્થળો માટે વળી તેમાં પણ રિઝર્વેશન મળતું ન હોય ત્યારે વતન જવા પરપ્રાંતિયો અને શ્રમિક વર્ગ ખાનગી ટ્રાવેલ્સ તરફ દોડી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ વાળા કમાઈ લેવા પરપ્રાંતિયોમાં લોકડાઉનનો ખોટો હાઉ ઉભો કરી લૂંટ ચલાવી રહ્યા છે. ભરૂચમાંથી પોલીસે દરોડો પાડી એક ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ પણ કરી હતી.
ગત વર્ષે લોકડાઉનમાં અટવાયેલા ભરૂચ અને ગુજરાતના પરપ્રાંતિયોનું વતન જવા ટ્રેનોમાં રિઝર્વેશન માટે દોડ
અંકલેશ્વર-ભરૂચ-સુરતથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઇટિંગનું વધતું જતું લિસ્ટ
UP- બિહાર જવા માટે ઘસારો વધતા ટ્રેનો હાઉસફુલ
મહારાષ્ટ્રની હાલની સ્ફોટક સ્થિતિને લઈ ગુજરાતથી મહારાષ્ટ્રની ટ્રેનો ખાલી જઇ રહી છે
મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવવા મુસાફરોની સંખ્યા વધુ
WatchGujarat. ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછતની ઉભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા કોરોનાના કેસોથી હવે જો સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લદાવાની દહેશત લોકોમાં વ્યાપક ઘર કરી રહી છે.
જેને લઈ ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો સહિત ગુજરાતમાં ગુજરાન માટે સ્થિર થયેલા અન્ય રાજ્યોના પરિવારો ગત વર્ષની વતન જવા માટે સર્જાયેલી દારુણ સ્થિતિને અત્યારથી જ ધ્યાને રાખી જો અને તો ની લોકડાઉનની શક્યતાઓ વચ્ચે પાણી પેહલા પાળ બાંધવા દોટ લગાવી રહ્યા છે.
ગત વર્ષે લોકડાઉનમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 35 વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી 45000 થી વધુ પરપ્રાંતિયોને વતન રવાના કરાયા હતા. ભરૂચ હાઇવે પરથી ચાલતા તેમજ જે વાહનો મળે તેમાં સવાર થઈ વતન જવા માટે ઉમટી પડેલા શ્રમિક પરિવારોની હિજરતનો આંક તો ગણી શકાય તેમ ન હતો.
આ વર્ષે કોરોનાનો બીજી લહેર ઘાતક સાબિત થવા સાથે ત્રીજી લહેર પણ એક્ટિવ થઈ રહી હોવાની આલબેલ પોકારવામાં આવી રહી છે. ગુજરાતમાં વધતા કેસો અને મૃત્યુ વચ્ચે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઇન્જેક્શનોની ગંભીર કટોકટીની સ્થિતિ ઉડ ઉદભવી રહી છે.
રાત્રી કરફ્યુ, સ્વૈચ્છીક લોકડાઉન સહિતના પગલાં છતાં કાતિલ કોરોનાનું સંક્રમણ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યું છે ત્યારે છેલ્લે ફરી લોકડાઉન એ જ વિકલ્પની દહેશતને લઈ ગુજરાતમાં રોજીરોટી માટે સ્થાયી પરપ્રાંતીય પરિવારો ફરી ચિંતિત થઈ ઉઠ્યા છે.
રેલવેમાં હવે ઉત્તર અને દક્ષિણ ભારતની ટ્રેનોમાં રિઝર્વેશન ફૂલ થઈ રહ્યા છે. ભરૂચ-અંકલેશ્વર, વડોદરા, સુરતથી પસાર થતી બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત સાઉથની સ્પેશ્યલ ટ્રેનોમાં રિઝર્વેશન 15 જૂન સુધી ફૂલ થઈ ગયું છે.
ઉત્તર ભારત અને સાઉથની ટ્રેનોમાં ભરૂચ-અંકલેશ્વરથી જ વેઇટિંગનો આંકડો આગામી 52 દિવસ સુધી 48 થઈ લઈ 133 થી વધુનો થઈ ગયો છે. મહારાષ્ટ્રની કોરોના પરિસ્થિતિ ગુજરાત કરતા પણ અત્યન્ત વિકટ હોય ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનોમાં ન છૂટકે જ કામ કે મજબૂરી વશ જવાની ફરજ પડતા લોકો જઇ રહ્યા છે. જેને લઈ ગુજરાતથી મહારાષ્ટ્ર જતી મોટા ભાગની સ્પેશ્યલ ટ્રેનો ખાલી જઈ રહી છે. જોકે મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરોની સંખ્યા વધુ છે.
ખાનગી ટ્રાવેલ્સને તડાકો, લોકોની મજબૂરીનો ઉઠાવતો ગેરલાભ
હાલ સ્પેશ્યલ ટ્રેનો જ દોડતી હોય અને તે પણ અમુક સ્થળો માટે વળી તેમાં પણ રિઝર્વેશન મળતું ન હોય ત્યારે વતન જવા પરપ્રાંતિયો અને શ્રમિક વર્ગ ખાનગી ટ્રાવેલ્સ તરફ દોડી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ વાળા કમાઈ લેવા પરપ્રાંતિયોમાં લોકડાઉનનો ખોટો હાઉ ઉભો કરી લૂંટ ચલાવી રહ્યા છે. ભરૂચમાંથી પોલીસે દરોડો પાડી એક ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ પણ કરી હતી.