મુખ્ય આરોપી ભરત રાવલ સહિત 10 શખ્સોને ઝડપી લીધા બાદ આજે પાંચમા દિવસે પરિવારે લાશ સ્વીકારી હતી
પાંચ દિવસ અગાઉ એડવોકટ દેવજીભાઇની સરેજાહેર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઇ હતી
કચ્છ. દેનાબેન્ક ચોક ખાતે જાણીતા એડવોકેટ દેવજી મહેશ્વરીની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. અને પરિવાર દ્વારા જ્યાં સુધી તમામ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો. જેને પગલે પોલીસે છેક મુંબઈ સુધી દોડધામ કરી મુખ્ય આરોપી ભરત રાવલ સહિત 10 શખ્સોને ઝડપી લીધા બાદ આજે પાંચમા દિવસે પરિવારે લાશ સ્વીકારી હતી. અને દલિત નેતા જીગ્નેશ મેવાણી સહિત હજારો લોકોની હાજરીમાં "જય ભીમ"નાં નાદ સાથે મૃતકની ભવ્ય અંતિમયાત્રા નીકળી હતી.
દેવજીભાઈની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ 'જય ભીમ' નાં નાદ સાથે તેમને ભાવભીની અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. જેને લઈને સમગ્ર શહેરમાં 'જય ભીમ'નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ તકે મેવાણીએ સરકારની દલિતોની નીતિને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે, આજે પણ ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે કે પછી ચક્કાજામ કરવો પડે છે. જે ખરેખર દુઃખદ બાબત છે.
https://twitter.com/watchgujarat/status/1310924306809929729?s=21
ઉલ્લેખનીય છે કે, એડવોકેટની હત્યા બાદ સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યો હતો. અને જિલ્લા પંચાયત પ્રમુખનાં ભાઈ સહિત અન્ય 10 જેટલા લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. સાથે સમગ્ર ઘટનાની તપાસ માટે સીટની રચના કરીને 15 દિવસમાં અહેવાલ સોંપવા જણાવાયું હતું. ત્યારબાદ પરિવારે લાશનો સ્વીકાર કર્યો હતો. જો કે હજુ પણ સમગ્ર પંથકમાં અજંપાભરી શાંતિ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. હાલ કચ્છ પોલીસે મુખ્ય આરોપીનો કબજો લઈ પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.
મુખ્ય આરોપી ભરત રાવલ સહિત 10 શખ્સોને ઝડપી લીધા બાદ આજે પાંચમા દિવસે પરિવારે લાશ સ્વીકારી હતી
પાંચ દિવસ અગાઉ એડવોકટ દેવજીભાઇની સરેજાહેર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઇ હતી
કચ્છ. દેનાબેન્ક ચોક ખાતે જાણીતા એડવોકેટ દેવજી મહેશ્વરીની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. અને પરિવાર દ્વારા જ્યાં સુધી તમામ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો. જેને પગલે પોલીસે છેક મુંબઈ સુધી દોડધામ કરી મુખ્ય આરોપી ભરત રાવલ સહિત 10 શખ્સોને ઝડપી લીધા બાદ આજે પાંચમા દિવસે પરિવારે લાશ સ્વીકારી હતી. અને દલિત નેતા જીગ્નેશ મેવાણી સહિત હજારો લોકોની હાજરીમાં "જય ભીમ"નાં નાદ સાથે મૃતકની ભવ્ય અંતિમયાત્રા નીકળી હતી.
દેવજીભાઈની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ 'જય ભીમ' નાં નાદ સાથે તેમને ભાવભીની અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. જેને લઈને સમગ્ર શહેરમાં 'જય ભીમ'નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ તકે મેવાણીએ સરકારની દલિતોની નીતિને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે, આજે પણ ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે કે પછી ચક્કાજામ કરવો પડે છે. જે ખરેખર દુઃખદ બાબત છે.
ઉલ્લેખનીય છે કે, એડવોકેટની હત્યા બાદ સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યો હતો. અને જિલ્લા પંચાયત પ્રમુખનાં ભાઈ સહિત અન્ય 10 જેટલા લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. સાથે સમગ્ર ઘટનાની તપાસ માટે સીટની રચના કરીને 15 દિવસમાં અહેવાલ સોંપવા જણાવાયું હતું. ત્યારબાદ પરિવારે લાશનો સ્વીકાર કર્યો હતો. જો કે હજુ પણ સમગ્ર પંથકમાં અજંપાભરી શાંતિ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. હાલ કચ્છ પોલીસે મુખ્ય આરોપીનો કબજો લઈ પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.