કૃષિબિલ તેમજ વિદ્યાર્થીઓની ફી માફીની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરાયું હતું
અમરેલીમાં પોલીસ સાથે ઘર્ષણમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાટ્યો
રાજકોટ. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર થયેલા કૃષિબિલ તેમજ વિદ્યાર્થીઓની ફી માફીની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરાયું હતું. જે અંતર્ગત સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા કરાયા હતા. જો કે આ સમયે રાજકોટમાં હાર્દિક પટેલની ગેરહાજરીને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. તેમજ અમરેલીમાં પોલીસ સાથે ઘર્ષણમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાટ્યો હતો. અને ધાનાણીએ જામીન લેવાનો પણ ઈન્કાર કરી પોલીસ મથકમાં ધરણા શરૂ કરતા પોલીસ પણ મૂંઝાઈ છે.
અમરેલીનાં ગાંધીબાગ ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એકલા ધરણા પર બેઠા હતા. દરમિયાન પોલીસ આવી હતી. જેને લઈને ધાનાણીએ સવાલ ઉઠાવ્યો હતો કે, આજે ગાંધી જયંતિ છે અને હું એકલો જ માસ્ક પહેરી બેઠો છું. ત્યારે તમે ક્યાં ગુના હેઠળ મારી અટકાયત કરો છો ? અમારૂ આંદોલન રાજ્યનાં દોઢ કરોડ વિદ્યાર્થીઓ માટે છે., જેમાં તમારા બાળકો પણ સામેલ છે. જો કે પોલીસે મંજૂરી વિના ધરણાનો કક્કો ઘૂંટીને ધાનાણીની અટકાયત કરવાનો પ્રયાસ કરતા થયેલ ઝપાઝપીમાં જ પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો. તેમજ પોલીસે ટીંગટોળી કરી તેમને વાનમાં બેસાડી દીધા હતા.
બાદમાં પરેશ ધાનાણીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં તેમણે જામીન લેવાનો ઇન્કાર કરી અને પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા. અહીં પણ ધનાનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ ખાનગી શાળા સંચાલકોના ખોળે બેસીને ગુજરાતના દોઢ કરોડ યુવાઓનું ભાવી અંધકારમાં ધકેલવાનું ષડયંત્ર ઘડ્યું છે. હવે અહિંસાના માર્ગે અમે ફી માફીના આ આંદોલનને આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે સરકારનાં ઈશારે જ પોલીસ દ્વારા આંદોલનને દબાવી દેવાનો પ્રયાસ કરાયો છે. જેમાં ગુનેગારની માફક અમારા કોલર પકડવામાં આવ્યા અને શર્ટ ફાડી નાખવામાં આવ્યા છે. અમને શા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તેનું કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. આ લોકશાહીનું અપમાન છે.
રાજકોટમાં હાર્દિક પટેલની ગેરહાજરીથી ઉઠયા સવાલ
રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસનાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હાર્દિક પટેલ પણ આવનાર હતા. પરંતુ કોઈ કારણોસર હાર્દિક ન આવતા સ્થાનિક આગેવાનો દ્વારા રામધૂન સહિત ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. જો કે મંજૂરી વગર શરૂ થયેલા ધરણાને પગલે પ્રદેશ મંત્રી મનોજ રાઠોડ , વિપક્ષ નેતા વશરામ સાગઠીયા , પ્રમુખ અશોક ડાંગર , હિતેશ વોરા સહિત 50 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ ખાસ રાજ્યવ્યાપી મહત્વ ધરાવતા કાર્યક્રમમાં હાર્દિક પટેલ ન આવતા ફરી એકવાર કોંગ્રેસનાં આંતરિક જૂથવાદની વાતો વહેતી થઈ છે.
કૃષિબિલ તેમજ વિદ્યાર્થીઓની ફી માફીની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરાયું હતું
અમરેલીમાં પોલીસ સાથે ઘર્ષણમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાટ્યો
રાજકોટ. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર થયેલા કૃષિબિલ તેમજ વિદ્યાર્થીઓની ફી માફીની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરાયું હતું. જે અંતર્ગત સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા કરાયા હતા. જો કે આ સમયે રાજકોટમાં હાર્દિક પટેલની ગેરહાજરીને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. તેમજ અમરેલીમાં પોલીસ સાથે ઘર્ષણમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાટ્યો હતો. અને ધાનાણીએ જામીન લેવાનો પણ ઈન્કાર કરી પોલીસ મથકમાં ધરણા શરૂ કરતા પોલીસ પણ મૂંઝાઈ છે.
અમરેલીનાં ગાંધીબાગ ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એકલા ધરણા પર બેઠા હતા. દરમિયાન પોલીસ આવી હતી. જેને લઈને ધાનાણીએ સવાલ ઉઠાવ્યો હતો કે, આજે ગાંધી જયંતિ છે અને હું એકલો જ માસ્ક પહેરી બેઠો છું. ત્યારે તમે ક્યાં ગુના હેઠળ મારી અટકાયત કરો છો ? અમારૂ આંદોલન રાજ્યનાં દોઢ કરોડ વિદ્યાર્થીઓ માટે છે., જેમાં તમારા બાળકો પણ સામેલ છે. જો કે પોલીસે મંજૂરી વિના ધરણાનો કક્કો ઘૂંટીને ધાનાણીની અટકાયત કરવાનો પ્રયાસ કરતા થયેલ ઝપાઝપીમાં જ પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો. તેમજ પોલીસે ટીંગટોળી કરી તેમને વાનમાં બેસાડી દીધા હતા.
બાદમાં પરેશ ધાનાણીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં તેમણે જામીન લેવાનો ઇન્કાર કરી અને પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા. અહીં પણ ધનાનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ ખાનગી શાળા સંચાલકોના ખોળે બેસીને ગુજરાતના દોઢ કરોડ યુવાઓનું ભાવી અંધકારમાં ધકેલવાનું ષડયંત્ર ઘડ્યું છે. હવે અહિંસાના માર્ગે અમે ફી માફીના આ આંદોલનને આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે સરકારનાં ઈશારે જ પોલીસ દ્વારા આંદોલનને દબાવી દેવાનો પ્રયાસ કરાયો છે. જેમાં ગુનેગારની માફક અમારા કોલર પકડવામાં આવ્યા અને શર્ટ ફાડી નાખવામાં આવ્યા છે. અમને શા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તેનું કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. આ લોકશાહીનું અપમાન છે.
રાજકોટમાં હાર્દિક પટેલની ગેરહાજરીથી ઉઠયા સવાલ
રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસનાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હાર્દિક પટેલ પણ આવનાર હતા. પરંતુ કોઈ કારણોસર હાર્દિક ન આવતા સ્થાનિક આગેવાનો દ્વારા રામધૂન સહિત ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. જો કે મંજૂરી વગર શરૂ થયેલા ધરણાને પગલે પ્રદેશ મંત્રી મનોજ રાઠોડ , વિપક્ષ નેતા વશરામ સાગઠીયા , પ્રમુખ અશોક ડાંગર , હિતેશ વોરા સહિત 50 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ ખાસ રાજ્યવ્યાપી મહત્વ ધરાવતા કાર્યક્રમમાં હાર્દિક પટેલ ન આવતા ફરી એકવાર કોંગ્રેસનાં આંતરિક જૂથવાદની વાતો વહેતી થઈ છે.