સત્તત છઠ્ઠી ટર્મમાં ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો, તમામ પદાધિકારી બિનહરીફ વિજેતા બન્યા બાદ બોર્ડ મિટિંગ લેવાયેલો નિર્ણય
ઉપ પ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક
WatchGujarat પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સર્વાનુમતે આરૂઢ થયા છે. સત્તત છઠ્ઠી ટર્મથી ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં તમામ પદાધિકારી બિનહરીફ વિજેતા બન્યા બાદ યોજાયેલ બોર્ડ મિટિંગ નિર્ણય કરાતા ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. #Bharuch
રાજ્યના સહકાર મંત્રી અને પંડવાઈ સુગર ના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂત ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં પેનલ ઉતારવામાં આવી હતી. જે રાજ્યના ખાંડ ઉદ્યોગ સંઘની વિવિધ મંડળી માં પ્રથમ વખત કોઈ ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણી બિન હરીફ રહી હતી.
પંડવાઈ સુગરની કુલ 16 સભ્યો માટે જેમા 15 ઉત્પાદક અને 1 બિનઉત્પાદક સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. સુરત અને ભરૂચ જિલ્લા ના 6 તાલુકાના 400 થ વધુ ગામો મા 29000 થી વધુ સભાસદ સાથે મળી 6000 હજા રઉત્પાદક સભાસદ ધરાવે છે. સહકાર ક્ષેત્ર ના નવા નિયમ આધારે યોજાય રહેલ ચૂંટણી બિન હરીફ રહી હતી જે બિનહરીફ નીવડ્યા બાદ ચૂંટાયેલા સભ્યો ની પ્રથમ બોર્ડ મીટીંગ આજરોજ મળી હતી.#Bharuch
જેમાં પંડવાઈ સુગર ના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની તેમજ ઉપ ચેરમેન તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી હતી. પંડવાઈ સુગરની 1990 મા સ્થાપના બાદ 1995 થી સુગર ફેક્ટરી કાર્યરત છે. જેમા રાજ્ય ના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ ની પેનલ છેલ્લા 23 વર્ષ થી સત્તા રૂઢ છે. કુલ 6 ચૂંટણી યોજાય છે. જે પંડવાઈ સુગર ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ પેનલ બિન હરીફ બની છે. જે બદલ નવ નિયુક્ત ચેરમન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. #Bharuch
પંડવાઈ સુગરના છઠી વખત ચેરમેન તરીકે સત્તા સંભાળતા સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગત 5 વર્ષમાં 40 કરોડનું દેવું પુરી સુગર દેવા મુક્ત બનાવી સુશાસન સાથે 25 ટન ની કેપેસીટી પર થી 45 ટન કેપેસીટી સુધીનો વિકાસ આપવા ની સાથે ઇથેનોલ પ્લાન્ટ પણ સ્થાપી પંડવાઈ સુગર ને વધુ સધ્ધર બનાવી ખેડૂતો વધુ માં વધુ ઉપજ આપી પોષણ ક્ષમ્ય ભાવ આપ્યા છે. જે આવનારા દિવસો માં પણ ખેડૂત વધુ પોષણ ક્ષમ્ય ભાવ મળે તેવા પ્રયત્ન આગામી 5 વર્ષ સુધી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
More #Minister #Ishwarsinh Patel #Chairman #Pandvai Sugar #As Six time #Bharuch News
સત્તત છઠ્ઠી ટર્મમાં ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો, તમામ પદાધિકારી બિનહરીફ વિજેતા બન્યા બાદ બોર્ડ મિટિંગ લેવાયેલો નિર્ણય
ઉપ પ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક
WatchGujarat પંડવાઈ સુગરના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સર્વાનુમતે આરૂઢ થયા છે. સત્તત છઠ્ઠી ટર્મથી ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં તમામ પદાધિકારી બિનહરીફ વિજેતા બન્યા બાદ યોજાયેલ બોર્ડ મિટિંગ નિર્ણય કરાતા ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. #Bharuch
રાજ્યના સહકાર મંત્રી અને પંડવાઈ સુગર ના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂત ખાંડ ઉદ્યોગ સંઘ પંડવાઈ સુગરની ચૂંટણીમાં પેનલ ઉતારવામાં આવી હતી. જે રાજ્યના ખાંડ ઉદ્યોગ સંઘની વિવિધ મંડળી માં પ્રથમ વખત કોઈ ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણી બિન હરીફ રહી હતી.
પંડવાઈ સુગરની કુલ 16 સભ્યો માટે જેમા 15 ઉત્પાદક અને 1 બિનઉત્પાદક સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. સુરત અને ભરૂચ જિલ્લા ના 6 તાલુકાના 400 થ વધુ ગામો મા 29000 થી વધુ સભાસદ સાથે મળી 6000 હજા રઉત્પાદક સભાસદ ધરાવે છે. સહકાર ક્ષેત્ર ના નવા નિયમ આધારે યોજાય રહેલ ચૂંટણી બિન હરીફ રહી હતી જે બિનહરીફ નીવડ્યા બાદ ચૂંટાયેલા સભ્યો ની પ્રથમ બોર્ડ મીટીંગ આજરોજ મળી હતી.#Bharuch
જેમાં પંડવાઈ સુગર ના ચેરમેન તરીકે ફરી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની તેમજ ઉપ ચેરમેન તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી હતી. પંડવાઈ સુગરની 1990 મા સ્થાપના બાદ 1995 થી સુગર ફેક્ટરી કાર્યરત છે. જેમા રાજ્ય ના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ ની પેનલ છેલ્લા 23 વર્ષ થી સત્તા રૂઢ છે. કુલ 6 ચૂંટણી યોજાય છે. જે પંડવાઈ સુગર ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ પેનલ બિન હરીફ બની છે. જે બદલ નવ નિયુક્ત ચેરમન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. #Bharuch
પંડવાઈ સુગરના છઠી વખત ચેરમેન તરીકે સત્તા સંભાળતા સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગત 5 વર્ષમાં 40 કરોડનું દેવું પુરી સુગર દેવા મુક્ત બનાવી સુશાસન સાથે 25 ટન ની કેપેસીટી પર થી 45 ટન કેપેસીટી સુધીનો વિકાસ આપવા ની સાથે ઇથેનોલ પ્લાન્ટ પણ સ્થાપી પંડવાઈ સુગર ને વધુ સધ્ધર બનાવી ખેડૂતો વધુ માં વધુ ઉપજ આપી પોષણ ક્ષમ્ય ભાવ આપ્યા છે. જે આવનારા દિવસો માં પણ ખેડૂત વધુ પોષણ ક્ષમ્ય ભાવ મળે તેવા પ્રયત્ન આગામી 5 વર્ષ સુધી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
More #Minister #Ishwarsinh Patel #Chairman #Pandvai Sugar #As Six time #Bharuch News