ખેડૂત સંગઠનોનો દાવો , APMC , વેપારીઓ અને બજારો પાળશે સ્વૈચ્છીક બંધ
ભરૂચ વડદલા APMC સ્વૈચ્છીક કાર્યરત રહેશે : ચેરમેન અરુણસિંહ રણા
ખેડૂત આંદોલનમાં બંધને લઈ ભરૂચમાં મંગળવારે જોવા મળશે રાજકીય રંગ
પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા રાતથી જ ખડેપગે
WatchGujarat કિસાન આંદોલનને લઈ મંગળવારે અપાયેલા ભારત બંધના એલાનમાં હરહંમેશ ની જેમ ભરૂચ બે ભાગમાં વિભાજીત થયેલું જોવા મળશે તેવી શકયતા સેવાઇ રહી છે. વિવિધ ખેડૂત સનગઠનોએ અન્ય વેપારી મંડળો અને APMC બંધમાં સ્વૈચ્છીક જોડાવાનો દાવો કર્યો છે. ત્યાં ભરૂચ વડદલા APMC સ્વૈચ્છીક કાર્યરત રહેનાર હોવાનું ચેરમેને જણાવ્યું છે.
કિસાનોના 3 ખેડૂત વિરોધી બિલ ના વિરોધ માં ચાલતા આંદોલનના સમર્થનમાં મંગળવારે વિવિધ ખેડૂત યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને લઈ ભરૂચમાં સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યું છે. ભારત બંધ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેટલાક લોકો સ્વંય જ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાનું મુનાસીબ માની રહ્યા છે. ભરૂચ-નર્મદા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્ર કરમરીયા એ જણાવ્યું છે કે, વિવિધ ખેડૂત સંગઠનો, સંસ્થાઓ, મંડળીઓ અને APMC સ્વૈચ્છીક બંધમાં જોડાવાની છે. જેમાં ભરૂચ મહમદપુરા અને અંકલેશ્વર APMC સામેલ છે.
રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ના પ્રમુખ અરવિંદ રણા એ પણ તમામ ને ખેડૂતોના હિત માં બંધ પાળવા અપીલ કરી દાવો કર્યો છે કે, ભરૂચ APMC, ખેડૂતો, વેપારીઓ, કતોપોર બજાર બંધમાં સ્વૈચ્છીક જોડાશે. ભરૂચ જિલ્લા વેપારી એસોસિયેશનના પ્રમુખ નાગજી ગાંધીએ જણાવ્યું છે કે, તેઓ બંધમાં જોડાવવાના નથી. આ ખેડૂતોને નામે હવે રાજકીય રંગ અપાઈ રહ્યો છે. ખાંડ, તેલ, અનાજ કરિયાણા ના વેપારી દુકાનો ખુલી રાખશે. ભરૂચ APMC ચેરમેન અરુણસિંહ રણા એ પણ જણાવ્યું છે કે, વડદલા APMC ના વેપારીઓએ બંધમાં સ્વૈચ્છીક નહિ જોડાવવા હાંકલ કરી છે અને વડદલા APMC કાર્યરત રહેશે.
ભરૂચ હમેશા બંધ ને લઈ બે ભાગમાં વહેચાયું છે. મંગળવારે પણ કિસનોના સમર્થનમાં અપાયેલા ભારત બંધમાં પશ્ચિમ વિસ્તાર, સ્ટેશન રોડની કેટલીક દુકાનો બંધ રહેશે જ્યારે પૂર્વ ભરૂચ અને શક્તિનાથ થી લિંક રોડ વિસ્તારમાં બંધની અસર જોવા મળશે નહીં. મંગળવાર ના બંધને લઈ ભરૂચમાં ખેડૂત સનગઠનો વચ્ચે રાજકીય રંગ પણ જોવા મળશે જેમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બંધના સમર્થનમાં જ્યારે ભાજપ બંધ સફળ ન રહે અને બજારો કાર્યરત રહે તેના પ્રયાસો માં જોતરાયું છે.
બીજી તરફ બંધને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ તે માટે ભરૂચ જિલ્લા પોલીસ રાતથી જ વિવિધ પોઈન્ટ પર તહેનાત થઈ ગઈ છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈપણ અનિચ્છનીય બનાવ સાખી નહિ લેવાઈ તેમ પોલીસે જણાવી લોકોને પણ અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.
More #ભારત બંધ #Farmers Protest #APMC #Bharuch News
ભરૂચ વડદલા APMC સ્વૈચ્છીક કાર્યરત રહેશે : ચેરમેન અરુણસિંહ રણા
ખેડૂત આંદોલનમાં બંધને લઈ ભરૂચમાં મંગળવારે જોવા મળશે રાજકીય રંગ
પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા રાતથી જ ખડેપગે
WatchGujarat કિસાન આંદોલનને લઈ મંગળવારે અપાયેલા ભારત બંધના એલાનમાં હરહંમેશ ની જેમ ભરૂચ બે ભાગમાં વિભાજીત થયેલું જોવા મળશે તેવી શકયતા સેવાઇ રહી છે. વિવિધ ખેડૂત સનગઠનોએ અન્ય વેપારી મંડળો અને APMC બંધમાં સ્વૈચ્છીક જોડાવાનો દાવો કર્યો છે. ત્યાં ભરૂચ વડદલા APMC સ્વૈચ્છીક કાર્યરત રહેનાર હોવાનું ચેરમેને જણાવ્યું છે.
કિસાનોના 3 ખેડૂત વિરોધી બિલ ના વિરોધ માં ચાલતા આંદોલનના સમર્થનમાં મંગળવારે વિવિધ ખેડૂત યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને લઈ ભરૂચમાં સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યું છે. ભારત બંધ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેટલાક લોકો સ્વંય જ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાનું મુનાસીબ માની રહ્યા છે. ભરૂચ-નર્મદા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્ર કરમરીયા એ જણાવ્યું છે કે, વિવિધ ખેડૂત સંગઠનો, સંસ્થાઓ, મંડળીઓ અને APMC સ્વૈચ્છીક બંધમાં જોડાવાની છે. જેમાં ભરૂચ મહમદપુરા અને અંકલેશ્વર APMC સામેલ છે.
રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ના પ્રમુખ અરવિંદ રણા એ પણ તમામ ને ખેડૂતોના હિત માં બંધ પાળવા અપીલ કરી દાવો કર્યો છે કે, ભરૂચ APMC, ખેડૂતો, વેપારીઓ, કતોપોર બજાર બંધમાં સ્વૈચ્છીક જોડાશે. ભરૂચ જિલ્લા વેપારી એસોસિયેશનના પ્રમુખ નાગજી ગાંધીએ જણાવ્યું છે કે, તેઓ બંધમાં જોડાવવાના નથી. આ ખેડૂતોને નામે હવે રાજકીય રંગ અપાઈ રહ્યો છે. ખાંડ, તેલ, અનાજ કરિયાણા ના વેપારી દુકાનો ખુલી રાખશે. ભરૂચ APMC ચેરમેન અરુણસિંહ રણા એ પણ જણાવ્યું છે કે, વડદલા APMC ના વેપારીઓએ બંધમાં સ્વૈચ્છીક નહિ જોડાવવા હાંકલ કરી છે અને વડદલા APMC કાર્યરત રહેશે.
ભરૂચ હમેશા બંધ ને લઈ બે ભાગમાં વહેચાયું છે. મંગળવારે પણ કિસનોના સમર્થનમાં અપાયેલા ભારત બંધમાં પશ્ચિમ વિસ્તાર, સ્ટેશન રોડની કેટલીક દુકાનો બંધ રહેશે જ્યારે પૂર્વ ભરૂચ અને શક્તિનાથ થી લિંક રોડ વિસ્તારમાં બંધની અસર જોવા મળશે નહીં. મંગળવાર ના બંધને લઈ ભરૂચમાં ખેડૂત સનગઠનો વચ્ચે રાજકીય રંગ પણ જોવા મળશે જેમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બંધના સમર્થનમાં જ્યારે ભાજપ બંધ સફળ ન રહે અને બજારો કાર્યરત રહે તેના પ્રયાસો માં જોતરાયું છે.
બીજી તરફ બંધને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ તે માટે ભરૂચ જિલ્લા પોલીસ રાતથી જ વિવિધ પોઈન્ટ પર તહેનાત થઈ ગઈ છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈપણ અનિચ્છનીય બનાવ સાખી નહિ લેવાઈ તેમ પોલીસે જણાવી લોકોને પણ અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.
More #ભારત બંધ #Farmers Protest #APMC #Bharuch News