મોરબીમાં બે વર્ષ અગાઉ પૂર્વ પતિએ પરિણીતા પર એસીડ અટેક કર્યો હતો.
મોરબી. બે વર્ષ પૂર્વે શહેરનાં નગર દરવાજા પાસે બીજા લગ્ન કરનાર પરિણીતા પર પૂર્વ પતિએ એસીડ અટેક કર્યો હતો. આ ઘટનાનાં આરોપી પૂર્વ પતિને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ અંગે ચાલી રહેલા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અને આરોપી પૂર્વ પતિને આજીવન કેદની સજા ફટકારીને ભોગ બનનારને રૂ. 7.50 લાખનું વળતર ચુકવવાનો આદેશ પણ કર્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ 19-02-2018નાં રોજ મોરબીનાં વાઘપરામાં રહેતા બીન્તાબેન વિશાલભાઈ આડેસર નામની પરિણીતા પર પૂર્વ પતિ કલ્પેશ મનસુખ ગઢિયાએ એસીડ અટેક કર્યો હતો. આ બનાવ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, તેણીએ વર્ષ 2016માં કલ્પેશ ગઢિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી થોડા સમય બાદ છૂટાછેડા લઈ વિશાલ સાથે બીજા લગ્ન કર્યા હતા.
જેને પગલે પૂર્વ પતિ કલ્પેશ દ્વારા નગર દરવાજા પાસે પોતાના પર એસીડ ફેંકાયું હોવાનું પણ તેણીએ કહ્યું હતું. પીડિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ થઈ હતી. અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીની દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી કલ્પેશને આજીવન કેદની સજા ફટકારી હતી. એટલું જ નહીં ભોગ બનનારને રૂ. 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
- મોરબીમાં બે વર્ષ અગાઉ પૂર્વ પતિએ પરિણીતા પર એસીડ અટેક કર્યો હતો.
મોરબી. બે વર્ષ પૂર્વે શહેરનાં નગર દરવાજા પાસે બીજા લગ્ન કરનાર પરિણીતા પર પૂર્વ પતિએ એસીડ અટેક કર્યો હતો. આ ઘટનાનાં આરોપી પૂર્વ પતિને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ અંગે ચાલી રહેલા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અને આરોપી પૂર્વ પતિને આજીવન કેદની સજા ફટકારીને ભોગ બનનારને રૂ. 7.50 લાખનું વળતર ચુકવવાનો આદેશ પણ કર્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ 19-02-2018નાં રોજ મોરબીનાં વાઘપરામાં રહેતા બીન્તાબેન વિશાલભાઈ આડેસર નામની પરિણીતા પર પૂર્વ પતિ કલ્પેશ મનસુખ ગઢિયાએ એસીડ અટેક કર્યો હતો. આ બનાવ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, તેણીએ વર્ષ 2016માં કલ્પેશ ગઢિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી થોડા સમય બાદ છૂટાછેડા લઈ વિશાલ સાથે બીજા લગ્ન કર્યા હતા.
જેને પગલે પૂર્વ પતિ કલ્પેશ દ્વારા નગર દરવાજા પાસે પોતાના પર એસીડ ફેંકાયું હોવાનું પણ તેણીએ કહ્યું હતું. પીડિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ થઈ હતી. અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીની દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી કલ્પેશને આજીવન કેદની સજા ફટકારી હતી. એટલું જ નહીં ભોગ બનનારને રૂ. 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.