ઓક્સિજન પાઇપ લાઇન ધરાવતા DCHC સેન્ટરમાં એક પણ દર્દી રહ્યા નથી
આજ સુધીમાં આ સેન્ટરમાં 1075 કોરોના દર્દીઓએ સારવાર લીધી છે.
ઓકસિજન કોવિડ સેન્ટર બંધ કરાતા ત્યાં ફરજ ઉપર રહેલ 45 સ્ટાફને પરત સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
રાજકોટ. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાનો કહેર ઘટતા રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે ઉભું કરાયેલ ઓક્સિજન પાઇપ લાઇનવાળુ DCHC એટલે કે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર હવે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
https://youtu.be/UPD5E2gxiiQ
સમરસ ઓક્સિજન સેન્ટરમાં એક પણ દર્દી ના રહેતાં આજથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. કલેકટરની સુચના બાદ આ સેન્ટરનો ખાસ હવાલો સંભાળતા ચરણસિંહ ગોહીલ તથા સ્ટાફે આ સેન્ટર બંધ કરવાની કાર્યવાહી કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ઓક્સિજન પાઇપ લાઇન ધરાવતા DCHC સેન્ટરમાં એક પણ દર્દી રહ્યા નથી. આજ સુધીમાં આ સેન્ટરમાં 1075 કોરોના દર્દીઓએ સારવાર લીધી છે. ત્યાં રહેવું કોવિડ સેન્ટર કે જેમાં હાલ 50થી વધુ દર્દી છે તે હાલ ચાલુ રખાયું છે.
આ ઓકસિજન કોવિડ સેન્ટર બંધ કરાતા ત્યાં ફરજ ઉપર રહેલ 45 સ્ટાફને પરત સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. આજે DCHC બંધ કરવા સમયે ડોકટર્સ તથા કોરોના વોરિયર્સનું ખાસ સન્માન કરાયું હતું, આ સેન્ટર ભલે બંધ કરાયું. પરંતુ ત્યાં ઓક્સિજન લાઇન તથા અન્ય સુવિધા ચાલુ રખાશે અને જરૂર પડયે એક દિવસમાં આ સેન્ટર ચાલુ કરી દેવાશે. આજે બંધ કરવા સમયે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ, મામલતદાર જીનેશ મહેતા, કેપ્ટન જયદેવ જોશી, ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા, ડો. જયદીપ તથા અન્યો હાજર રહ્યા હતા.
- ઓક્સિજન પાઇપ લાઇન ધરાવતા DCHC સેન્ટરમાં એક પણ દર્દી રહ્યા નથી
- આજ સુધીમાં આ સેન્ટરમાં 1075 કોરોના દર્દીઓએ સારવાર લીધી છે.
- ઓકસિજન કોવિડ સેન્ટર બંધ કરાતા ત્યાં ફરજ ઉપર રહેલ 45 સ્ટાફને પરત સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
રાજકોટ. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાનો કહેર ઘટતા રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે ઉભું કરાયેલ ઓક્સિજન પાઇપ લાઇનવાળુ DCHC એટલે કે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર હવે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
સમરસ ઓક્સિજન સેન્ટરમાં એક પણ દર્દી ના રહેતાં આજથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. કલેકટરની સુચના બાદ આ સેન્ટરનો ખાસ હવાલો સંભાળતા ચરણસિંહ ગોહીલ તથા સ્ટાફે આ સેન્ટર બંધ કરવાની કાર્યવાહી કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ઓક્સિજન પાઇપ લાઇન ધરાવતા DCHC સેન્ટરમાં એક પણ દર્દી રહ્યા નથી. આજ સુધીમાં આ સેન્ટરમાં 1075 કોરોના દર્દીઓએ સારવાર લીધી છે. ત્યાં રહેવું કોવિડ સેન્ટર કે જેમાં હાલ 50થી વધુ દર્દી છે તે હાલ ચાલુ રખાયું છે.
આ ઓકસિજન કોવિડ સેન્ટર બંધ કરાતા ત્યાં ફરજ ઉપર રહેલ 45 સ્ટાફને પરત સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. આજે DCHC બંધ કરવા સમયે ડોકટર્સ તથા કોરોના વોરિયર્સનું ખાસ સન્માન કરાયું હતું, આ સેન્ટર ભલે બંધ કરાયું. પરંતુ ત્યાં ઓક્સિજન લાઇન તથા અન્ય સુવિધા ચાલુ રખાશે અને જરૂર પડયે એક દિવસમાં આ સેન્ટર ચાલુ કરી દેવાશે. આજે બંધ કરવા સમયે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ, મામલતદાર જીનેશ મહેતા, કેપ્ટન જયદેવ જોશી, ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા, ડો. જયદીપ તથા અન્યો હાજર રહ્યા હતા.