વડોદરાના અંખોલ ગામ ખાતે સરદાર ધામ પ્રોજેક્ટનુ રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો.
સરદાર ધામ પ્રોજક્ટના શુભારંભ પ્રસંગે પ્રવચનમાં મુખ્યમંત્રીએ કોરોનાની વેકસીન અંગે સંકેત આપ્યાં હતા.
વડોદરા. સમગ્ર વિશ્વામાં કોરોના વાયરસની મહામારીએ હડકંપ મચાવી દીધો છે. અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવેલા અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને તેના કરતા પણ વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે ગુજરાતમાં નજીકના સમયમાં કોરોનાની વેકસીન આવી શકે છે, તેવા સંકેેત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા હતા.
શહેર નજીક આવેલા અંખોલ ગામની સીમમાં 5 લાખ ચો.મી જમીનમાં રૂ. 100 કરોડના ખર્ચે આકાર લેનાર સરદાર ધામ- મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો રવિવારે મુખ્મંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. સરદાર ધામ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પ્રવચન આપવામાં આવ્યાં હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતુ કે, લોકડાઉન દરમિયાન ગુજરાત સરકારે વિકાસને અટકવા દીધો નથી, આ દરમિયાન 13,000 કરોડના ખાતમુહર્તો અને લોકાર્પણ ઓનલાઇન કર્યાં છે. કોરોનાના કપરા કાળમાં પણ આપણે આગળને આગળ વધતા રહ્યાં છે.
આમ મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં કોરોના અંગેની અનેક સારી બાબતો જણાવી હતી. જોકે પ્રવચનના અંતે મુખ્યમંત્રીએ વિજ્યા દશમીની શુભકામનાઓ પાઠવી અને વાત વાતમાં સંકેત આપ્યો કે," ગગજીભાઇને બધા મળવા આવ્યાં હતા અને તેમનો આગ્રહ હતો કે, સાહેબ તમે રૂબરૂ આવો, પછી મેં પણ હીમ્મત કરી કે સોશિયલ ડીસ્ટન્સ જળવાશે ને, અને મને આનંદ છે કે સોશિયલ ડિસટન્સ સાથે બધા બેઠા છે, માસ્ક પહેરીને બેઠા છે, અને આ સિવાય તો આપળી પાસે બીજો કોઇ વિકલ્પ નથી, વેક્સીન આવશે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં, ત્યાં સુધી આજ આપળા માટે વેક્સીન અને એનુ આપળે બરોબર ધ્યાન રાખીશું, તો જાન ભી હૈં જહાન ભી હૈં"….
આમ મુખ્યમંત્રી દ્વારા સરદાર ધામના શુભારંભ પ્રસંગે પ્રવચન આપતા સંકેત આપી દીધો હતો કે, ગુજરાતમાં આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેકસીન આવી શકે છે.
વડોદરાના અંખોલ ગામ ખાતે સરદાર ધામ પ્રોજેક્ટનુ રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો.
સરદાર ધામ પ્રોજક્ટના શુભારંભ પ્રસંગે પ્રવચનમાં મુખ્યમંત્રીએ કોરોનાની વેકસીન અંગે સંકેત આપ્યાં હતા.
વડોદરા. સમગ્ર વિશ્વામાં કોરોના વાયરસની મહામારીએ હડકંપ મચાવી દીધો છે. અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવેલા અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને તેના કરતા પણ વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે ગુજરાતમાં નજીકના સમયમાં કોરોનાની વેકસીન આવી શકે છે, તેવા સંકેેત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા હતા.
શહેર નજીક આવેલા અંખોલ ગામની સીમમાં 5 લાખ ચો.મી જમીનમાં રૂ. 100 કરોડના ખર્ચે આકાર લેનાર સરદાર ધામ- મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો રવિવારે મુખ્મંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. સરદાર ધામ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પ્રવચન આપવામાં આવ્યાં હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતુ કે, લોકડાઉન દરમિયાન ગુજરાત સરકારે વિકાસને અટકવા દીધો નથી, આ દરમિયાન 13,000 કરોડના ખાતમુહર્તો અને લોકાર્પણ ઓનલાઇન કર્યાં છે. કોરોનાના કપરા કાળમાં પણ આપણે આગળને આગળ વધતા રહ્યાં છે.
આમ મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં કોરોના અંગેની અનેક સારી બાબતો જણાવી હતી. જોકે પ્રવચનના અંતે મુખ્યમંત્રીએ વિજ્યા દશમીની શુભકામનાઓ પાઠવી અને વાત વાતમાં સંકેત આપ્યો કે," ગગજીભાઇને બધા મળવા આવ્યાં હતા અને તેમનો આગ્રહ હતો કે, સાહેબ તમે રૂબરૂ આવો, પછી મેં પણ હીમ્મત કરી કે સોશિયલ ડીસ્ટન્સ જળવાશે ને, અને મને આનંદ છે કે સોશિયલ ડિસટન્સ સાથે બધા બેઠા છે, માસ્ક પહેરીને બેઠા છે, અને આ સિવાય તો આપળી પાસે બીજો કોઇ વિકલ્પ નથી, વેક્સીન આવશે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં, ત્યાં સુધી આજ આપળા માટે વેક્સીન અને એનુ આપળે બરોબર ધ્યાન રાખીશું, તો જાન ભી હૈં જહાન ભી હૈં"….
આમ મુખ્યમંત્રી દ્વારા સરદાર ધામના શુભારંભ પ્રસંગે પ્રવચન આપતા સંકેત આપી દીધો હતો કે, ગુજરાતમાં આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેકસીન આવી શકે છે.