રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર માટે MLA તરીકેની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ ફાળવ્યા
બે ધારાસભ્યઓએ પણ 20-20 લાખની ગ્રાન્ટ ફાળવી છે.
પાલિકાના 68 કોર્પોરેટરોને શરમાવતા કોંગ્રેસના 5 કોર્પોરેટરો
WatchGujarat. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અને કોરોના સામેની લડાઈમાં ડગલે-પગલે રૂપિયાની જરૂર પડી રહી છે. જેને લઈને ભાજપનાં બે MLA એ રૂ. 20-20 લાખ તો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં કોંગ્રેસનાં એકમાત્ર વોર્ડ નંબર-15 ખાતે જીત મેળવનાર ચારેય કોર્પોરેટરોએ પણ રૂ. 2.5-2.5 લાખ મળી રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવાનું જાહેર કર્યું છે. છતાં પણ ખોબલે-ખોબલે મત લેનાર ભાજપનાં 68 કોર્પોરેટર ચૂપચાપ બેઠા છે. ત્યારે ઝોળીઓ ભરીને મત લેનાર આ કોર્પોરેટરો મામલે હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે.
રાજકોટ શહેરમાં તાજેતરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં જનતાએ ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર્સને વિજેતા બનાવ્યા હતા. ત્યારે ભાજપના 68 કોર્પોરેટરે તો હજુસુધી કંઇ ખાસ ઉકાળ્યું નથી. પણ કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરો મહામારીના કપરા સમયમાં લોકોની વ્હારે આવ્યા છે. અને ચારેય નગરસેવકોએ મળી રૂ. લાખની ગ્રાન્ટ આપવાનું જાહેર કર્યું છે. અને ગ્રાન્ટનો ઉપયોગ દવા, ઇન્જેક્શન, ઓક્સિજન અને ટેસ્ટિંગ કિટ ખરીદવા માટેનું સૂચન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. જે સાચા અર્થમાં સરાહનીય છે.
હાલ રાજકોટ મનપામાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. પણ મહામારીના સમયમાં સત્તાધારી પક્ષ ભાજપનાં 68 કોર્પોરેટરો તો જાણે ઘર-ઓફિસમાં પુરાઈ ગયા હોય તેમ ભાજપનાં કાર્યક્રમો સિવાય ક્યાંય જોવા મળતા નથી. તેમજ ગ્રાન્ટમાંથી દનીયું પણ છોડી શકતા નથી. જેની સામે કોંગ્રેસનાં ચારેય કોર્પોરેટરોએ આ કપરા સમયમાં સતત પ્રજાની પડખે રહેવાની સાથે સાથે તેમને મળતી ગ્રાન્ટ પૈકીની રૂપિયા 2.50 લાખની રકમ એટલે કે ચાર કોર્પોરેટરની કુલ રૂપિયા 10 લાખની ગ્રાન્ટની રકમ જનતાના આરોગ્ય માટે ફાળવી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર માટે MLA તરીકેની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ ફાળવ્યા
WatchGujarat. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અને કોરોના સામેની લડાઈમાં ડગલે-પગલે રૂપિયાની જરૂર પડી રહી છે. જેને લઈને ભાજપનાં બે MLA એ રૂ. 20-20 લાખ તો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં કોંગ્રેસનાં એકમાત્ર વોર્ડ નંબર-15 ખાતે જીત મેળવનાર ચારેય કોર્પોરેટરોએ પણ રૂ. 2.5-2.5 લાખ મળી રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવાનું જાહેર કર્યું છે. છતાં પણ ખોબલે-ખોબલે મત લેનાર ભાજપનાં 68 કોર્પોરેટર ચૂપચાપ બેઠા છે. ત્યારે ઝોળીઓ ભરીને મત લેનાર આ કોર્પોરેટરો મામલે હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે.
રાજકોટ શહેરમાં તાજેતરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં જનતાએ ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર્સને વિજેતા બનાવ્યા હતા. ત્યારે ભાજપના 68 કોર્પોરેટરે તો હજુસુધી કંઇ ખાસ ઉકાળ્યું નથી. પણ કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરો મહામારીના કપરા સમયમાં લોકોની વ્હારે આવ્યા છે. અને ચારેય નગરસેવકોએ મળી રૂ. લાખની ગ્રાન્ટ આપવાનું જાહેર કર્યું છે. અને ગ્રાન્ટનો ઉપયોગ દવા, ઇન્જેક્શન, ઓક્સિજન અને ટેસ્ટિંગ કિટ ખરીદવા માટેનું સૂચન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. જે સાચા અર્થમાં સરાહનીય છે.
હાલ રાજકોટ મનપામાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. પણ મહામારીના સમયમાં સત્તાધારી પક્ષ ભાજપનાં 68 કોર્પોરેટરો તો જાણે ઘર-ઓફિસમાં પુરાઈ ગયા હોય તેમ ભાજપનાં કાર્યક્રમો સિવાય ક્યાંય જોવા મળતા નથી. તેમજ ગ્રાન્ટમાંથી દનીયું પણ છોડી શકતા નથી. જેની સામે કોંગ્રેસનાં ચારેય કોર્પોરેટરોએ આ કપરા સમયમાં સતત પ્રજાની પડખે રહેવાની સાથે સાથે તેમને મળતી ગ્રાન્ટ પૈકીની રૂપિયા 2.50 લાખની રકમ એટલે કે ચાર કોર્પોરેટરની કુલ રૂપિયા 10 લાખની ગ્રાન્ટની રકમ જનતાના આરોગ્ય માટે ફાળવી છે.