ચૂંટણી પહેલા ભાજપે તેના કાવાદાની નીતિ શરૂ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવી રહી છે. ત્યારે ભાજપે તેના કાવાદાવાની નીતિ શરૂ કરી દીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટમાં લેન્ડ ગ્રેબીંગનો વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાની લેન્ડ ગ્રેબીંગનાં એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ચૂકી છે. કોંગ્રેસનાં નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ જ લેન્ડ ગ્રેબર છે. સરકાર સત્તાનો દુરઉપયોગ કરી કોંગ્રેસના નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ભાજપએ એક સિક્કાની બે બાજુ છે. ભાજપના નેતાઓ અને તેમના માણસો શહેરના ચારેય ખૂણે ભયંકર લેન્ડ ગ્રેબીંગના ધંધા ચલાવે છે. ભ્રષ્ટાચારમાં ઊંડે સુધી ઉતરેલું ભાજપ સત્તાના જોરે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રનો ભારે દુરઉપયોગ છે. અને અનેક જગ્યાએ અનુકૂળ કાયદા હેઠળ હંમેશા ખેલ માંડતી આવી છે. PPE યોજના હોય કે સૂચિત સોસાયટી હોય ભાજપ સરકાર આવા નાના માણસોને પોલીસનો ભય દેખાડી અનેક જગ્યાએ લેન્ડ ગ્રેબીંગ કરી રહ્યું છે. કોઠારીયામાં સરકારી જમીન પર ભાજપના મળતીયાઓએ આખુ બિલ્ડીંગ ખડકી આપી અનેક ગેરકાનૂની ધંધા આચાર્ય છે. તેઓને ફક્ત દંડથી રેગ્યુલર કરી આપવાની વેતરણમાં કલેક્ટર તંત્રનો દુરઉપયોગ થઇ રહ્યો છે.
ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ કેસ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશ્નર પાસે ધરણાંની મંજુરી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વાટાઘાટો બાદ પોલીસ કમિશ્નરે કોંગ્રેસને શરતોને આધીન ધરણાંની મંજૂરી આપી છે. જેને લઈને ગુરુવારે બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસના નેતાઓ ધરણાં પર બેસી કાર્યક્રમ આપશે. જો કે તેમાં નિયમોનો ભંગ થશે તો અટકાયત કરવામાં આવશે.
ચૂંટણી પહેલા ભાજપે તેના કાવાદાની નીતિ શરૂ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવી રહી છે. ત્યારે ભાજપે તેના કાવાદાવાની નીતિ શરૂ કરી દીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટમાં લેન્ડ ગ્રેબીંગનો વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાની લેન્ડ ગ્રેબીંગનાં એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ચૂકી છે. કોંગ્રેસનાં નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ જ લેન્ડ ગ્રેબર છે. સરકાર સત્તાનો દુરઉપયોગ કરી કોંગ્રેસના નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ભાજપએ એક સિક્કાની બે બાજુ છે. ભાજપના નેતાઓ અને તેમના માણસો શહેરના ચારેય ખૂણે ભયંકર લેન્ડ ગ્રેબીંગના ધંધા ચલાવે છે. ભ્રષ્ટાચારમાં ઊંડે સુધી ઉતરેલું ભાજપ સત્તાના જોરે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રનો ભારે દુરઉપયોગ છે. અને અનેક જગ્યાએ અનુકૂળ કાયદા હેઠળ હંમેશા ખેલ માંડતી આવી છે. PPE યોજના હોય કે સૂચિત સોસાયટી હોય ભાજપ સરકાર આવા નાના માણસોને પોલીસનો ભય દેખાડી અનેક જગ્યાએ લેન્ડ ગ્રેબીંગ કરી રહ્યું છે. કોઠારીયામાં સરકારી જમીન પર ભાજપના મળતીયાઓએ આખુ બિલ્ડીંગ ખડકી આપી અનેક ગેરકાનૂની ધંધા આચાર્ય છે. તેઓને ફક્ત દંડથી રેગ્યુલર કરી આપવાની વેતરણમાં કલેક્ટર તંત્રનો દુરઉપયોગ થઇ રહ્યો છે.
ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ કેસ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશ્નર પાસે ધરણાંની મંજુરી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વાટાઘાટો બાદ પોલીસ કમિશ્નરે કોંગ્રેસને શરતોને આધીન ધરણાંની મંજૂરી આપી છે. જેને લઈને ગુરુવારે બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસના નેતાઓ ધરણાં પર બેસી કાર્યક્રમ આપશે. જો કે તેમાં નિયમોનો ભંગ થશે તો અટકાયત કરવામાં આવશે.