અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ થયા બાદ જ ફરી પૂર્વવત બસ સેવા શરૂ કરાશે
હાલ રાજકોટથી દર કલાકે અમદાવાદમાં વોલ્વો ઉપડતી હતી પરંતુ પરિસ્થિતિને જોતા બપોરે 3 વાગ્યાથી બંધ કરવાની સૂચના અપાઇ
WatchGujarat. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસોમાં અચાનક વધારો થતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી બે દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ અને અમદાવાદ વચ્ચે આવજા કરતી ખાનગી તથા એસ.ટી.ની 150થી વધુ બસોને આજ બપોર બાદ બ્રેક લગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ બસ વ્યવહાર અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ થયા બાદ જ ફરી પૂર્વવત શરૂ કરવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં બે દિવસનો સંપૂર્ણ કર્ફયુ લાદવામાં આવ્યો છે. તેમજ માત્ર દૂધ તથા દવાની જ છૂટ આપવામાં આવતા એસ.ટી. તથા ખાનગી બસ સહિતના તમામ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. રાજકોટ ટ્રાવલર્સ એસો.ના પ્રમુખે જણાવ્યા અનુસાર આજે રાતે 9 વાગ્યાથી અમદાવાદમાં કર્ફયુ લાગી રહ્યો છે માટે રાત્રે 9 વાગ્યા પહેલા જે ખાનગી બસો અમદાવાદ પહોંચી શકે તે જ બસો રાજકોટથી ઉપડશે. આવી અંદાજે 50થી પણ વધુ ખાનગી બસ આજે બપોર બાદ બંધ કરી દેવામાં આવી છે.
બીજીતરફ એસટી વિભાગનાં જણાવ્યા મુજબ, હાલ દર કલાકે રાજકોટથી અમદાવાદની વોલ્વો દોડતી હતી. તે બપોરે 3 વાગ્યાથી બંધ કરી દેવાની સુચના અપાઈ છે. તેવી જ રીતે અમદાવાદ જતી તમામ એકસપ્રેસ પણ બપોરે 3 વાગ્યા બાદ રાજકોટથી મોકલાશે નહીં. આ ઉપરાંત જામનગર-ભાવનગર સહિતના વિવિધ શહેરમાંથી રાજકોટ થઈને જતી બસ પણ અમદાવાદ સુધી નહિં જાય તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ થયા બાદ જ ફરી પૂર્વવત બસ સેવા શરૂ કરાશે
હાલ રાજકોટથી દર કલાકે અમદાવાદમાં વોલ્વો ઉપડતી હતી પરંતુ પરિસ્થિતિને જોતા બપોરે 3 વાગ્યાથી બંધ કરવાની સૂચના અપાઇ
WatchGujarat. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસોમાં અચાનક વધારો થતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી બે દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ અને અમદાવાદ વચ્ચે આવજા કરતી ખાનગી તથા એસ.ટી.ની 150થી વધુ બસોને આજ બપોર બાદ બ્રેક લગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ બસ વ્યવહાર અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ થયા બાદ જ ફરી પૂર્વવત શરૂ કરવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં બે દિવસનો સંપૂર્ણ કર્ફયુ લાદવામાં આવ્યો છે. તેમજ માત્ર દૂધ તથા દવાની જ છૂટ આપવામાં આવતા એસ.ટી. તથા ખાનગી બસ સહિતના તમામ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. રાજકોટ ટ્રાવલર્સ એસો.ના પ્રમુખે જણાવ્યા અનુસાર આજે રાતે 9 વાગ્યાથી અમદાવાદમાં કર્ફયુ લાગી રહ્યો છે માટે રાત્રે 9 વાગ્યા પહેલા જે ખાનગી બસો અમદાવાદ પહોંચી શકે તે જ બસો રાજકોટથી ઉપડશે. આવી અંદાજે 50થી પણ વધુ ખાનગી બસ આજે બપોર બાદ બંધ કરી દેવામાં આવી છે.
બીજીતરફ એસટી વિભાગનાં જણાવ્યા મુજબ, હાલ દર કલાકે રાજકોટથી અમદાવાદની વોલ્વો દોડતી હતી. તે બપોરે 3 વાગ્યાથી બંધ કરી દેવાની સુચના અપાઈ છે. તેવી જ રીતે અમદાવાદ જતી તમામ એકસપ્રેસ પણ બપોરે 3 વાગ્યા બાદ રાજકોટથી મોકલાશે નહીં. આ ઉપરાંત જામનગર-ભાવનગર સહિતના વિવિધ શહેરમાંથી રાજકોટ થઈને જતી બસ પણ અમદાવાદ સુધી નહિં જાય તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.