1 કલાકમાં 60 મુજબ 10 સ્લોટમાં 600 લોકોને દિવસ દરમિયાન પ્રવેશ અપાશે
સરકારી ગાઈડલાઈન મુજબ એક બાદ એક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનધામો ખુલ્લા મુકાઈ રહ્યા છે
ભરૂચ. દેશમાં માર્ચ મહીનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળો બંધ કરાયા હતાં. સરકારની ગાઇડલાઇન મુજબ એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લાં થઇ રહ્યાં છે. વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલશે.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં આવેલું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક 1 સપ્ટેમ્બર 2020થી પ્રવાસીઓ માટે ખુલ્લુું મુકાયા બાદ હવે આગામી 10 ઓક્ટોબર 2020થી વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. માર્ચ મહીનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળો બંધ કરાયા હતાં. જો કે હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લાં મુકાઇ રહ્યાં છે.
1લી ઓક્ટોબરથી સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક, જંગલ સફારી-કેવડીયાને COVID-19ની ગાઈડલાઇનનાં ચુસ્ત પાલન સાથે પ્રવાસીઓની સેવામાં ખુલ્લા મુકાયા બાદ હવે વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લા મુકાશે. આ માટે COVID-19ની સ્થિતિને ધ્યાને લઇને કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. જે પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.
એક સ્લોટ એક કલાકનો રહેશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાશે. સમગ્ર દિવસ દરમ્યાન માત્ર 600 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનો સમય સવારે 10:30 થી રાતનાં 08:30 સુધીનો રહેશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે. હાલની કોરોનાની સ્થિતિને જોતા મળેલ ગાઈડલાઈન પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કમાં અગાઉથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ આપવામાં આવશે.
અનેકતામાં એકતાનો સંદેશો ફેલાવતા એકતા મોલ પણ આગામી 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. જ્યાં સમગ્ર ભારત દેશનાં હાથ બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. એકતા મોલમાં COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. મોલમાં પ્રવેશ સમયે અને દુકાનમાં પ્રવેશ સમયે સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ આપવામાં આવશે. એકતા મોલમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે
soutickets.in પર log in કરીને ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કની ટિકિટ બુકિંગ કરી શકાશે. ટિકિટ બુકિંગ સહિતની અન્ય સમસ્યા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સંપર્ક કરી શકો છો.
- 1 કલાકમાં 60 મુજબ 10 સ્લોટમાં 600 લોકોને દિવસ દરમિયાન પ્રવેશ અપાશે
- સરકારી ગાઈડલાઈન મુજબ એક બાદ એક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનધામો ખુલ્લા મુકાઈ રહ્યા છે
ભરૂચ. દેશમાં માર્ચ મહીનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળો બંધ કરાયા હતાં. સરકારની ગાઇડલાઇન મુજબ એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લાં થઇ રહ્યાં છે. વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલશે.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં આવેલું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક 1 સપ્ટેમ્બર 2020થી પ્રવાસીઓ માટે ખુલ્લુું મુકાયા બાદ હવે આગામી 10 ઓક્ટોબર 2020થી વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. માર્ચ મહીનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળો બંધ કરાયા હતાં. જો કે હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લાં મુકાઇ રહ્યાં છે.
1લી ઓક્ટોબરથી સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક, જંગલ સફારી-કેવડીયાને COVID-19ની ગાઈડલાઇનનાં ચુસ્ત પાલન સાથે પ્રવાસીઓની સેવામાં ખુલ્લા મુકાયા બાદ હવે વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લા મુકાશે. આ માટે COVID-19ની સ્થિતિને ધ્યાને લઇને કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. જે પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.
એક સ્લોટ એક કલાકનો રહેશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાશે. સમગ્ર દિવસ દરમ્યાન માત્ર 600 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનો સમય સવારે 10:30 થી રાતનાં 08:30 સુધીનો રહેશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે. હાલની કોરોનાની સ્થિતિને જોતા મળેલ ગાઈડલાઈન પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કમાં અગાઉથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ આપવામાં આવશે.
અનેકતામાં એકતાનો સંદેશો ફેલાવતા એકતા મોલ પણ આગામી 10 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. જ્યાં સમગ્ર ભારત દેશનાં હાથ બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. એકતા મોલમાં COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. મોલમાં પ્રવેશ સમયે અને દુકાનમાં પ્રવેશ સમયે સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ આપવામાં આવશે. એકતા મોલમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે
soutickets.in પર log in કરીને ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કની ટિકિટ બુકિંગ કરી શકાશે. ટિકિટ બુકિંગ સહિતની અન્ય સમસ્યા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સંપર્ક કરી શકો છો.