રાજકોટ. દેશ અને દુનિયામાં કોરોનાનો આતંક સતત વધી રહ્યો છે. અને વિવિધ દેશોની સરકારો દ્વારા થતા પ્રયાસોને પણ આ મહામારીને રોકવામાં સફળતા મળી નથી. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામે કોરોનાને હજુ તો ગામનાં પ્રવેશદ્વારની બહાર રાખવામાં સફળતા મળી છે. ગામમાં પાળવામાં આવતા ચુસ્ત લોકડાઉનને લઈને અહીં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો જ નથી.
કણકોટનાં સરપંચનાં જણાવ્યા મુજબ, ગામમાં માત્ર 1500 લોકોની વસ્તી છે. અમારા ગામમાં ચુસ્ત પણે સરકારની ગાઇડ લાઈનનું પાલન કરીએ છીએ. હાલ લોકડાઉન પૂર્ણ થઈ ચૂક્યું છે, અને અનલૉક ચાલી રહ્યું છે. છતાં હજુપણ ગામમાં બહારની વ્યક્તિને એન્ટ્રી આપવામાં નથી આવતી. ત્યાં સુધી કે ગામની દીકરી જો સાસરે હોય તો તેને પણ અહીં પ્રવેશવા પર રોક લગાવવામાં આવી છે. ગામનાં લોકો પણ આ નિર્ણયમાં પોતાનો પૂરો સહકાર આપી રહ્યા છે.
ગ્રામજનોનાં કહેવા મુજબ, સરપંચ ખૂબ સારી રીતે પરિસ્થિતિ પર કાબૂ રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ વખત સંપૂર્ણ ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. અમે પણ સોશીયલ ડિસ્ટનસનું ચુસ્ત પણે પાલન કરી રહ્યા છીએ. તેમજ અંતિમ ક્રિયામાં પણ 15થી વધુ લોકોનાં એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને આ અનલોકમાં લોકડાઉન જેવું જીવન જીવવાને કારણે જ હજુ સુધી કોરોનાનો કોઈ કેસ ન નોંધાયો હોવાનું પણ તેઓએ સ્વીકાર્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો પોતાનાં સ્વાર્થ ખાતર મેળાવડા કરીને લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે કણકોટ ગામનાં સરપંચ અને લોકોએ નિયમોનાં ચુસ્ત અમલ દ્વારા ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયાને પણ મહત્વનો રાહ ચીંધ્યો છે.
રાજકોટ. દેશ અને દુનિયામાં કોરોનાનો આતંક સતત વધી રહ્યો છે. અને વિવિધ દેશોની સરકારો દ્વારા થતા પ્રયાસોને પણ આ મહામારીને રોકવામાં સફળતા મળી નથી. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામે કોરોનાને હજુ તો ગામનાં પ્રવેશદ્વારની બહાર રાખવામાં સફળતા મળી છે. ગામમાં પાળવામાં આવતા ચુસ્ત લોકડાઉનને લઈને અહીં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો જ નથી.
કણકોટનાં સરપંચનાં જણાવ્યા મુજબ, ગામમાં માત્ર 1500 લોકોની વસ્તી છે. અમારા ગામમાં ચુસ્ત પણે સરકારની ગાઇડ લાઈનનું પાલન કરીએ છીએ. હાલ લોકડાઉન પૂર્ણ થઈ ચૂક્યું છે, અને અનલૉક ચાલી રહ્યું છે. છતાં હજુપણ ગામમાં બહારની વ્યક્તિને એન્ટ્રી આપવામાં નથી આવતી. ત્યાં સુધી કે ગામની દીકરી જો સાસરે હોય તો તેને પણ અહીં પ્રવેશવા પર રોક લગાવવામાં આવી છે. ગામનાં લોકો પણ આ નિર્ણયમાં પોતાનો પૂરો સહકાર આપી રહ્યા છે.
ગ્રામજનોનાં કહેવા મુજબ, સરપંચ ખૂબ સારી રીતે પરિસ્થિતિ પર કાબૂ રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ વખત સંપૂર્ણ ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. અમે પણ સોશીયલ ડિસ્ટનસનું ચુસ્ત પણે પાલન કરી રહ્યા છીએ. તેમજ અંતિમ ક્રિયામાં પણ 15થી વધુ લોકોનાં એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને આ અનલોકમાં લોકડાઉન જેવું જીવન જીવવાને કારણે જ હજુ સુધી કોરોનાનો કોઈ કેસ ન નોંધાયો હોવાનું પણ તેઓએ સ્વીકાર્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો પોતાનાં સ્વાર્થ ખાતર મેળાવડા કરીને લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે કણકોટ ગામનાં સરપંચ અને લોકોએ નિયમોનાં ચુસ્ત અમલ દ્વારા ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયાને પણ મહત્વનો રાહ ચીંધ્યો છે.