પ્રતાપનગરના 10 સહિત અન્ય 6 રાજ્યના 90 પેસેન્જરે કેવડીયામાં જ રોકાણનો વારો
કેવડિયાથી 8 ટ્રેનમાં એકપણ યાત્રી પરત ન ફર્યો, કોઇ સ્થાનિકની પણ સફર નહિ
અમદાવાદ-કેવડિયા બીજી જનશતાબ્દીમાં માત્ર 1 મુસાફરની મુસાફરી
પ્રતાપનગર-કેવડિયા 2 જોડી ટ્રેનની પેહલા દિવસની આવક માત્ર ₹600
2 જનશતાબ્દીની ટિકિટ આવક ₹10555 જેટલી
રેવા મહાનામામાં 12 પેસેન્જર થકી ₹19580
ચેન્નાઇ-કેવડિયા 7 યાત્રી થી ટિકિટ આવક ₹18725
વારાણસી-કેવડીયામાં 24 મુસાફર થી 23750 જેટલી આવક
ટ્રેન દોડાવવાના ₹20 લાખથી વધુ ખર્ચ સામે ટિકિટની આવક માત્ર 80000 આસપાસ
8 ટ્રેનોમાં 6900 પેસેન્જરોની કુલ ક્ષમતા
ઐતિહાસિક ઉદ્ઘાટન બાદ નિયમિત પ્રથમ દોડમાં જ નબળો પ્રતિસાદ
વિક્કી જોષી (WatchGujarat) વિશ્વની વિરાટ પ્રતિમાને ભારતીય રેલવે સાથે રવિવારે વડાપ્રધાન PM મોદીએ 8 ટ્રેનોનું પ્રસ્થાન કરાવી જોડી હતી. સોમવારે 6 રાજ્યોમાંથી 8 ટ્રેનોએ કેવડિયા માટે પહેલી સફર શરૂ કરી હતી. SOU સોમવારે બંધ હોય 6 રાજ્યોમાંથી 8 ટ્રેનને કેવડિયા માટે માત્ર 90 જ હમસફર મળ્યા હતા.
કેવડિયાને દેશના 6 રાજ્યો સાથે રેલ કનેક્ટિવિટી મળતા જિલ્લામાં પણ લોકો માં એક ખુશી સાથે પ્રવાસીઓ માટે પણ એક સરળતા થઇ ગઈ છે કે સીધા રેલ માર્ગે કેવડિયા આવી ટેક્ષી માં ફરી સ્ટેચ્યુ કે જંગલ સફારી જોવા જઈ શકે. હવે આ એક વધુ રેલ જોડાણ મળતા પ્રવાસીઓ દૂર દૂર થી કેવડિયા આવશે પરંતુ હજુ લોકોમાં રેલ સેવા અંગે જરૂરી માહિતગાર ના હોય હાલ નિયમિત રેલવે સેવા ચાલુ થાય ત્યાં સુધી રેલવે માં પેસેન્જર ઓછા રહેવાના એ વાત ચોક્કસ છે.
સોમવારે કેવડિયા થી કોઈ પેસેન્જર ગયા નહિ પરંતુ અન્ય શહેર રાજ્ય માંથી જે પ્રવાસીઓ ટ્રેન સેવાનો આનંદ ઉઠાવવા નીકળ્યા હતા તેવા પેસેન્જરો આવ્યા કેવડિયા રેલવે સ્ટેશન પર સત્તાવાર આંકડા મુજબ 90 પેસેન્જરો વિવિધ ટ્રેનો મારફતે કેવડિયા પહોંચ્યા હતા. #SOU
રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 18 જાન્યુઆરીના રોજ 90 જેટલા પેસેન્જરો કેવડિયા ઉતાર્યા હતા.
અમદાવાદ જનશતાબ્દી : ના 2 ફેરામાં બપોરની ટ્રેનમાં માત્ર 1 પ્રવાસી સવાર થઈ કેવડિયા પોહચ્યો હતો. જ્યારે પહેલી ટ્રેનમાં 22 મુસાફરો એ જ મુસાફરી કરી હતી. જનશતાબ્દી ટ્રેનની કુલ ક્ષમતા 937 પેસેન્જર ની છે 2 ટ્રેનમાં 1874 મુસાફરો સામે ફક્ત 23 યાત્રીએ સફર કરતા આવક માત્ર ₹10555 જેટલી થઈ હતી.
પ્રતાપનગર-કેવડિયા મેમુ : 2 ટ્રેનમાં પણ કુલ 1566 મુસાફરોની કેપેસિટી સામે માત્ર 10 પેસેન્જરોએ ટિકિટ લઈ મુસાફરી કરી હતી. જેની ટિકિટની આવક 600 રૂપિયા થઈ હતી.
વારાણસી : પ્રથમ દિવસે સૌથી વધુ 24 મુસાફરો નોંધાયા. વારાણસી થી મહાનામાં ટ્રેનમાં કેવડિયા 24 જ મુસાફરો આવતા ટિકિટ થકી ₹ 23760 જેટલી આવક થઈ હતી.
રેવાથી પણ મહાનામા : ટ્રેનમાં સોમવારે માત્ર 12 પ્રવાસી કેવડિયા રેલવે સ્ટેશન પોહચ્યા હતા. જેમાં રેલવેને લગભગ ₹19580 જેટલુ ભાડુ મળ્યું હતું.
ચેન્નાઈથી કેવડિયા : સુપરફાસ્ટ ટ્રેનમાં માત્ર 7 પ્રવાસી આવતા આવક ₹18725 થઈ હતી. જયારે હજરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ મંગળવારે ઉપડી બુધવારે કેવડિયા આવનાર છે.
કેવડિયા આવી ચઢેલા 90 પ્રવાસીઓને ત્યાં જ રોકાણ કરવાનો વારો આવ્યો હતો. સોમવારે SOU બંધ રહેતું હોવાથી કેવડિયા થી સોમવારે એકપણ યાત્રીએ અન્ય 6 રાજ્યો માટે ટ્રેનમાં સફર ન કરતા આ ટ્રેનો મુસાફર વિના જ પરત ફરી હતી.
કઈ ટ્રેનમાં કેટલા પ્રવાસી SOU કેવડિયા આવ્યા
કેવડિયા-વારાણસી : 24 પેસેન્જર
દાદર-કેવડિયા : 14 પેસેન્જરો
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી :22
રીવા-કેવડિયા : 12 પેસેન્જર
ચેન્નઈ-કેવડિયા : 7 પેસેન્જર
પ્રતાપનગર-કેવડિયા : 3
કેવડિયા-પ્રતાપનગર : 7
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી : 1
More #SOU #first day #90 #passengers #8 train #6 states #Gujaratinews #Watchgujarat
પ્રતાપનગરના 10 સહિત અન્ય 6 રાજ્યના 90 પેસેન્જરે કેવડીયામાં જ રોકાણનો વારો
કેવડિયાથી 8 ટ્રેનમાં એકપણ યાત્રી પરત ન ફર્યો, કોઇ સ્થાનિકની પણ સફર નહિ
અમદાવાદ-કેવડિયા બીજી જનશતાબ્દીમાં માત્ર 1 મુસાફરની મુસાફરી
પ્રતાપનગર-કેવડિયા 2 જોડી ટ્રેનની પેહલા દિવસની આવક માત્ર ₹600
2 જનશતાબ્દીની ટિકિટ આવક ₹10555 જેટલી
રેવા મહાનામામાં 12 પેસેન્જર થકી ₹19580
ચેન્નાઇ-કેવડિયા 7 યાત્રી થી ટિકિટ આવક ₹18725
વારાણસી-કેવડીયામાં 24 મુસાફર થી 23750 જેટલી આવક
ટ્રેન દોડાવવાના ₹20 લાખથી વધુ ખર્ચ સામે ટિકિટની આવક માત્ર 80000 આસપાસ
8 ટ્રેનોમાં 6900 પેસેન્જરોની કુલ ક્ષમતા
ઐતિહાસિક ઉદ્ઘાટન બાદ નિયમિત પ્રથમ દોડમાં જ નબળો પ્રતિસાદ
વિક્કી જોષી (WatchGujarat) વિશ્વની વિરાટ પ્રતિમાને ભારતીય રેલવે સાથે રવિવારે વડાપ્રધાન PM મોદીએ 8 ટ્રેનોનું પ્રસ્થાન કરાવી જોડી હતી. સોમવારે 6 રાજ્યોમાંથી 8 ટ્રેનોએ કેવડિયા માટે પહેલી સફર શરૂ કરી હતી. SOU સોમવારે બંધ હોય 6 રાજ્યોમાંથી 8 ટ્રેનને કેવડિયા માટે માત્ર 90 જ હમસફર મળ્યા હતા.
કેવડિયાને દેશના 6 રાજ્યો સાથે રેલ કનેક્ટિવિટી મળતા જિલ્લામાં પણ લોકો માં એક ખુશી સાથે પ્રવાસીઓ માટે પણ એક સરળતા થઇ ગઈ છે કે સીધા રેલ માર્ગે કેવડિયા આવી ટેક્ષી માં ફરી સ્ટેચ્યુ કે જંગલ સફારી જોવા જઈ શકે. હવે આ એક વધુ રેલ જોડાણ મળતા પ્રવાસીઓ દૂર દૂર થી કેવડિયા આવશે પરંતુ હજુ લોકોમાં રેલ સેવા અંગે જરૂરી માહિતગાર ના હોય હાલ નિયમિત રેલવે સેવા ચાલુ થાય ત્યાં સુધી રેલવે માં પેસેન્જર ઓછા રહેવાના એ વાત ચોક્કસ છે.
સોમવારે કેવડિયા થી કોઈ પેસેન્જર ગયા નહિ પરંતુ અન્ય શહેર રાજ્ય માંથી જે પ્રવાસીઓ ટ્રેન સેવાનો આનંદ ઉઠાવવા નીકળ્યા હતા તેવા પેસેન્જરો આવ્યા કેવડિયા રેલવે સ્ટેશન પર સત્તાવાર આંકડા મુજબ 90 પેસેન્જરો વિવિધ ટ્રેનો મારફતે કેવડિયા પહોંચ્યા હતા. #SOU
રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 18 જાન્યુઆરીના રોજ 90 જેટલા પેસેન્જરો કેવડિયા ઉતાર્યા હતા.
અમદાવાદ જનશતાબ્દી: ના 2 ફેરામાં બપોરની ટ્રેનમાં માત્ર 1 પ્રવાસી સવાર થઈ કેવડિયા પોહચ્યો હતો. જ્યારે પહેલી ટ્રેનમાં 22 મુસાફરો એ જ મુસાફરી કરી હતી. જનશતાબ્દી ટ્રેનની કુલ ક્ષમતા 937 પેસેન્જર ની છે 2 ટ્રેનમાં 1874 મુસાફરો સામે ફક્ત 23 યાત્રીએ સફર કરતા આવક માત્ર ₹10555 જેટલી થઈ હતી.
પ્રતાપનગર-કેવડિયા મેમુ :2 ટ્રેનમાં પણ કુલ 1566 મુસાફરોની કેપેસિટી સામે માત્ર 10 પેસેન્જરોએ ટિકિટ લઈ મુસાફરી કરી હતી. જેની ટિકિટની આવક 600 રૂપિયા થઈ હતી.
વારાણસી : પ્રથમ દિવસે સૌથી વધુ 24 મુસાફરો નોંધાયા. વારાણસી થી મહાનામાં ટ્રેનમાં કેવડિયા 24 જ મુસાફરો આવતા ટિકિટ થકી ₹ 23760 જેટલી આવક થઈ હતી.
રેવાથી પણ મહાનામા: ટ્રેનમાં સોમવારે માત્ર 12 પ્રવાસી કેવડિયા રેલવે સ્ટેશન પોહચ્યા હતા. જેમાં રેલવેને લગભગ ₹19580 જેટલુ ભાડુ મળ્યું હતું.
ચેન્નાઈથી કેવડિયા: સુપરફાસ્ટ ટ્રેનમાં માત્ર 7 પ્રવાસી આવતા આવક ₹18725 થઈ હતી. જયારે હજરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ મંગળવારે ઉપડી બુધવારે કેવડિયા આવનાર છે.
કેવડિયા આવી ચઢેલા 90 પ્રવાસીઓને ત્યાં જ રોકાણ કરવાનો વારો આવ્યો હતો. સોમવારે SOU બંધ રહેતું હોવાથી કેવડિયા થી સોમવારે એકપણ યાત્રીએ અન્ય 6 રાજ્યો માટે ટ્રેનમાં સફર ન કરતા આ ટ્રેનો મુસાફર વિના જ પરત ફરી હતી.
કઈ ટ્રેનમાં કેટલા પ્રવાસી SOU કેવડિયા આવ્યા
કેવડિયા-વારાણસી : 24 પેસેન્જર
દાદર-કેવડિયા : 14 પેસેન્જરો
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી :22
રીવા-કેવડિયા : 12 પેસેન્જર
ચેન્નઈ-કેવડિયા : 7 પેસેન્જર
પ્રતાપનગર-કેવડિયા : 3
કેવડિયા-પ્રતાપનગર : 7
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી : 1
More #SOU #first day #90 #passengers #8 train #6 states #Gujaratinews #Watchgujarat