કોરોનાનો વ્યાર વધતા હોસ્પિટલમાં ઓક્સિજનની સાથે રેમડેસિવીર ઇન્જેક્શન પણ મોટી અછત જોવા મળી રહીં છે.
ભારે અછત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે 5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી સુરતમાં મફત વિતરણ શરૂ કર્યું
મુખ્યમંત્રી કહે છે સી.આર. પાટીલને ઇન્જેક્શન સરકારે નથી આપ્યાં, તમે એમને જ પુછો એ ક્યાંથી લાવ્યાં
સી.આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે, તો અન્ય શહેર જિલ્લામાં કેમ રેમડેસિવીરનુ મફત વિતરણ નથી કરતા ?
WatchGujarat કોરોના વાઇરસનો બીજી વેવની શરૂઆત ભલભલાને હચમચાવી નાખે તેવી છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે પુરતા બેડ ઉપલબ્ધ નથી, કેટલીક હોસ્પિટલમાં દાખ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળતુ નથી. તદ્દઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા રેમડેસિવીર ઇન્જેક્શનની સમગ્ર રાજ્યમાં ભારે અછત ઉભી થઇ છે. દર્દીઓના સગા રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે ઠેર ઠેર દોડધામ કરી રહ્યાં છે. તેવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ભારે અછત વચ્ચે પણ સુરતવાસીઓ માટે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. જે ખૂબ જ સરહાનીય બાબત છે. પરંતુ સી.આર પાટીલ સમગ્ર રાજ્યના અધ્યક્ષ છે તો પછી અન્ય શહેર જિલ્લાઓ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કેમ ?
રાજ્યના ચાર મહાનગરોની હાલની પરિસ્થિતિ ખૂબ જ દયનિય અને ગંભીર છે. પછી એ હોસ્પિટલ હોય કે સ્મશાન ગૃહ બધેજ ટોકન અને વેઇટીંગ સીસ્ટમ શરૂ થઇ છે. તેવામાં સૌથી મોટી સમસ્યા રેમડેસિવીર ઇન્જેક્શનની (Remdesivir Injection) રાજ્યભરમાં ઉભી થઇ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા ઇન્જેકશન મેળવવા માટે એક શહેરથી બીજા શહેર ધક્કા ખાઇ રહ્યાં છે. કેટલાક સ્થળ તો ઇન્જેક્શન બ્લેકમાં વેચાતા હોવાના પણ બનાવો સામે આવ્યાં છે. આવી કઠીન પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા મીનિટે મીનિટે વધી રહીં છે. સાથો સાથે મૃત્યુ આંકમાં પણ નોંધ પાત્ર વધારો થતાં સ્મશાનોમાં વેઇટીંગ ચાલી રહ્યું છે.
હાલની પરિસ્થિતિને જોતા કોરોના પોઝિટીવ દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir Injection) એક માત્ર આશાનુ કિરણ છે, ત્યારે સુરતમાં વણસેલી પરિસ્થિતિને જોતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર પાટીલે તાત્કાલીક 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી ભાજપ કાર્યાલયથી મફત વિતરણ શરૂ કર્યું છે. રાજ્ય ભરમાં રેડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત, સરકાર પાસે પણ તેનો પુરતો સ્ટોક નથી કે, હોસ્પિટલોની માગ પુરી શકે, તેવામાં પ્રદેશ અધ્યક્ષે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી ? આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પુછતા તેમણે મીડિયાને જણાવ્યું કે, આ અંગે તમે “સી.આરને ખબર સી.આરને પુછો જો…”
સી.આર પાટીલે સુરતની વ્યક્તિગત ચિંતા કરી તે ખૂબ જ સરહાનીય બાબત છે. રાજ્યના અન્ય શહેરોના સાંસદોએ પણ આ પ્રકારની ચિંતા કરવી જોઇએ, પરંતુ સી.આર પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે ત્યારે તેમણે સુરતની જેમ રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાની પણ ચિંતા કરવી જોઇએ. આ પ્રકારે માત્ર એક શહેરની ચિંતા કરી અન્ય શહેરો સાથે દુર્વ્યવહાર કેમ ?
કોરોનાનો વ્યાર વધતા હોસ્પિટલમાં ઓક્સિજનની સાથે રેમડેસિવીર ઇન્જેક્શન પણ મોટી અછત જોવા મળી રહીં છે.
ભારે અછત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે 5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી સુરતમાં મફત વિતરણ શરૂ કર્યું
મુખ્યમંત્રી કહે છે સી.આર. પાટીલને ઇન્જેક્શન સરકારે નથી આપ્યાં, તમે એમને જ પુછો એ ક્યાંથી લાવ્યાં
સી.આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે, તો અન્ય શહેર જિલ્લામાં કેમ રેમડેસિવીરનુ મફત વિતરણ નથી કરતા ?
WatchGujarat કોરોના વાઇરસનો બીજી વેવની શરૂઆત ભલભલાને હચમચાવી નાખે તેવી છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે પુરતા બેડ ઉપલબ્ધ નથી, કેટલીક હોસ્પિટલમાં દાખ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળતુ નથી. તદ્દઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા રેમડેસિવીર ઇન્જેક્શનની સમગ્ર રાજ્યમાં ભારે અછત ઉભી થઇ છે. દર્દીઓના સગા રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે ઠેર ઠેર દોડધામ કરી રહ્યાં છે. તેવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ભારે અછત વચ્ચે પણ સુરતવાસીઓ માટે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. જે ખૂબ જ સરહાનીય બાબત છે. પરંતુ સી.આર પાટીલ સમગ્ર રાજ્યના અધ્યક્ષ છે તો પછી અન્ય શહેર જિલ્લાઓ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કેમ ?
રાજ્યના ચાર મહાનગરોની હાલની પરિસ્થિતિ ખૂબ જ દયનિય અને ગંભીર છે. પછી એ હોસ્પિટલ હોય કે સ્મશાન ગૃહ બધેજ ટોકન અને વેઇટીંગ સીસ્ટમ શરૂ થઇ છે. તેવામાં સૌથી મોટી સમસ્યા રેમડેસિવીર ઇન્જેક્શનની (Remdesivir Injection) રાજ્યભરમાં ઉભી થઇ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા ઇન્જેકશન મેળવવા માટે એક શહેરથી બીજા શહેર ધક્કા ખાઇ રહ્યાં છે. કેટલાક સ્થળ તો ઇન્જેક્શન બ્લેકમાં વેચાતા હોવાના પણ બનાવો સામે આવ્યાં છે. આવી કઠીન પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા મીનિટે મીનિટે વધી રહીં છે. સાથો સાથે મૃત્યુ આંકમાં પણ નોંધ પાત્ર વધારો થતાં સ્મશાનોમાં વેઇટીંગ ચાલી રહ્યું છે.
હાલની પરિસ્થિતિને જોતા કોરોના પોઝિટીવ દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir Injection) એક માત્ર આશાનુ કિરણ છે, ત્યારે સુરતમાં વણસેલી પરિસ્થિતિને જોતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર પાટીલે તાત્કાલીક 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી ભાજપ કાર્યાલયથી મફત વિતરણ શરૂ કર્યું છે. રાજ્ય ભરમાં રેડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત, સરકાર પાસે પણ તેનો પુરતો સ્ટોક નથી કે, હોસ્પિટલોની માગ પુરી શકે, તેવામાં પ્રદેશ અધ્યક્ષે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી ? આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પુછતા તેમણે મીડિયાને જણાવ્યું કે, આ અંગે તમે “સી.આરને ખબર સી.આરને પુછો જો…”
સી.આર પાટીલે સુરતની વ્યક્તિગત ચિંતા કરી તે ખૂબ જ સરહાનીય બાબત છે. રાજ્યના અન્ય શહેરોના સાંસદોએ પણ આ પ્રકારની ચિંતા કરવી જોઇએ, પરંતુ સી.આર પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે ત્યારે તેમણે સુરતની જેમ રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાની પણ ચિંતા કરવી જોઇએ. આ પ્રકારે માત્ર એક શહેરની ચિંતા કરી અન્ય શહેરો સાથે દુર્વ્યવહાર કેમ ?