કોરોના કાળમાં તબીબોની અછત સર્જાતા કોર્પોરેશને તબીબોને આકર્ષવા માટે વધારે પગારની જાહેરાત કરી
કોન્ટ્રાક્ટ પરના જુના તબીબો કરતા નવા કોન્ટ્રાક્ટ પરના તબીબોનો પગાર બમણો
WatchGujarat. કોરોના સંક્રમણ કાળ દરમિયાન મેડિકલ સ્ટાફની અછત જણાતા સરકારે તબીબોને આકર્ષવા માટે નવા પગારની જાહેરાત કરી છે. સુરત કોર્પોરેશનમાં જુના કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા ડોક્ટરોને રૂ. 60,000 હજાર વેતન આપવા આવી રહ્યું છે. જ્યારે નવા કોન્ટ્રાક્ટર પર લેવાયેલા ડોક્ટરોને 1.25 લાખ રૂપિયા પગાર આપવામાં આવી રહ્યો છે. જેને લઈને જુના કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા ડોક્ટરો હડતાળ પર ઉતરી જઈ વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા અનેક તઘલગી નિર્ણયો લેવામાં આવ્યાં છે, જેના કારણે પ્રજા તો ઠીક પણ તબીબો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે.
સરકારની બેવડી નીતિ સામે રોષ
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ દરમિયાન સ્થિતિ વણસી જતા વધુ મેડિકલ સ્ટાફ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મેડિકલ ઓફિસરને માસિક 125000 પગાર આપવાની જાહેરાત કરી હતી. સુરત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરજ નિભાવતા ડોક્ટરોને માત્ર 60 હજાર રૂપિયા વેતન ચુકવવામાં આવી રહ્યોં છે. જેને લઇને કોન્ટ્રાક્ટના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જુના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 80 કરતાં વધુ ડોક્ટરો છે. જે પૈકીના 30 જેટલા ડોક્ટર સ્મિમેર હોસ્પિટલમાં, 40 સમરસ હોસ્પિટલમાં,10 જેટલા ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ડૉક્ટરો હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.
માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમારી હડતાળ શરુ રહેશે : મેડીકલ ઓફિસરો
મેડીકલ ઓફિસર પૂર્વેશ કોલડિયાએ જણાવ્યું હતું કે સરકારના 21-04-2021 ના રોજ પરિપત્ર મુજબ અમને 1.25 લાખ રૂપિયાની સેલેરી મળવી જોઈએ. પરંતુ મનપા દ્વારા અમને માત્ર 60 હજાર રૂપિયા જ જેટલી સેલેરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે જુનીયર અને જે ફ્રેશર છે. તેઓને 1.25 લાખ રૂપિયા સેલેરી આપવામાં આવી રહી છે. જો કે આ સેલેરી અંગે અમે કોઈ માંગ કરી ન હતી પરંતુ સરકારે સામેથી જ આ જાહેરાત કરી છે. અને જાહેરાત કરવા છતાં અમને લાભ મળતો નથી. આ બાબતે અમે અનેક રજુઆતો કરી હતી. પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જેથી અમે હડતાળ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમારી હડતાળ શરુ રહેશે.
કોરોના કાળમાં તબીબોની અછત સર્જાતા કોર્પોરેશને તબીબોને આકર્ષવા માટે વધારે પગારની જાહેરાત કરી
કોન્ટ્રાક્ટ પરના જુના તબીબો કરતા નવા કોન્ટ્રાક્ટ પરના તબીબોનો પગાર બમણો
WatchGujarat. કોરોના સંક્રમણ કાળ દરમિયાન મેડિકલ સ્ટાફની અછત જણાતા સરકારે તબીબોને આકર્ષવા માટે નવા પગારની જાહેરાત કરી છે. સુરત કોર્પોરેશનમાં જુના કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા ડોક્ટરોને રૂ. 60,000 હજાર વેતન આપવા આવી રહ્યું છે. જ્યારે નવા કોન્ટ્રાક્ટર પર લેવાયેલા ડોક્ટરોને 1.25 લાખ રૂપિયા પગાર આપવામાં આવી રહ્યો છે. જેને લઈને જુના કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા ડોક્ટરો હડતાળ પર ઉતરી જઈ વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા અનેક તઘલગી નિર્ણયો લેવામાં આવ્યાં છે, જેના કારણે પ્રજા તો ઠીક પણ તબીબો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે.
સરકારની બેવડી નીતિ સામે રોષ
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ દરમિયાન સ્થિતિ વણસી જતા વધુ મેડિકલ સ્ટાફ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મેડિકલ ઓફિસરને માસિક 125000 પગાર આપવાની જાહેરાત કરી હતી. સુરત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરજ નિભાવતા ડોક્ટરોને માત્ર 60 હજાર રૂપિયા વેતન ચુકવવામાં આવી રહ્યોં છે. જેને લઇને કોન્ટ્રાક્ટના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જુના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 80 કરતાં વધુ ડોક્ટરો છે. જે પૈકીના 30 જેટલા ડોક્ટર સ્મિમેર હોસ્પિટલમાં, 40 સમરસ હોસ્પિટલમાં,10 જેટલા ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ડૉક્ટરો હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.
માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમારી હડતાળ શરુ રહેશે : મેડીકલ ઓફિસરો
મેડીકલ ઓફિસર પૂર્વેશ કોલડિયાએ જણાવ્યું હતું કે સરકારના 21-04-2021 ના રોજ પરિપત્ર મુજબ અમને 1.25 લાખ રૂપિયાની સેલેરી મળવી જોઈએ. પરંતુ મનપા દ્વારા અમને માત્ર 60 હજાર રૂપિયા જ જેટલી સેલેરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે જુનીયર અને જે ફ્રેશર છે. તેઓને 1.25 લાખ રૂપિયા સેલેરી આપવામાં આવી રહી છે. જો કે આ સેલેરી અંગે અમે કોઈ માંગ કરી ન હતી પરંતુ સરકારે સામેથી જ આ જાહેરાત કરી છે. અને જાહેરાત કરવા છતાં અમને લાભ મળતો નથી. આ બાબતે અમે અનેક રજુઆતો કરી હતી. પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જેથી અમે હડતાળ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી અમારી હડતાળ શરુ રહેશે.