તૌકતે વાવાઝોડું : ટોકે ગેકો અતિ દુર્લભ અને વિશેષ ગરોળી પરથી નામકરણ, 40 સેમી અને 200 ગ્રામ વજનની આ ગરોળીની આંતરાષ્ટ્રીય કિંમત ₹ 40 લાખથી ₹1 કરોડ
ટોકે ગેકોનો ઉપયોગ કેન્સર, દમ, એઇડ્સ, ડાયાબિટીઝ, ત્વચા વિકાર અને અનેક બિમારીઓની સારવાર માટે સેંકડો વર્ષોથી પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં કરવામાં આવે છે
ઔષધિય, કોસ્મેટિક, અંતરિક્ષમાં તેની ઉપયોગીતાને લઈ થાય છે સ્મગલિંગ, વજન વધારવા પારા (મર્ક્યુરી) નું ઇન્જેક્શન અપાઈ છે
ચીન, હોંગકોંગ, તાઇવાન, વિયેટનામ અને અન્ય એશિયન દેશોમાં માંગ પૂરી કરવા માટે થતો ગેકો ગરોળીનો શિકાર
ટોકે ગેકોની 1500 જેટલી પ્રજાતિઓ ભારત, નેપાળ અને બાંગ્લાદેશ સહિત એશિયામાં
WatchGujarat. તૌકતે (Tauktae) વાવાઝોડું હાલ ગુજરાતમાં ગાંડુતુર બની વિનાશ વેરી રહ્યું છે. તેના તાકતવર નામ પાછળ માત્ર 40 સેમી અને 200 ગ્રામ વજન ધરાવતી ટોકે ગેકો એક અતિ દુર્લભ ગરોળી (Gecko) રહેલી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹40 લાખથી ₹1 કરોડ છે. ગુજરાત અને ભારતના દરિયાકાંઠાને હાલ તેના તોફાની પવનો, અવાજ અને વરસાદથી વિનાશક અસર કરી રહેલા 2021 ના પ્રથમ વાવાઝોડા તૌકતેનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. જે ટોકે ગેકો (Gecko) ગરોળી ને આધીન છે.
વાવાઝોડા તૌકતેનો અર્થ થાય છે ગેકો (Gecko) પ્રજાતિની ગરોળી. સૌથી વધારે 1500 જેટલી પ્રજાતિઓ ધરાવતી ગરોળી છે 'ગેકો'. વિશ્વભરમાં હૂંફાળા વાતાવરણ ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે. ગેકોની અલગ અલગ પ્રજાતિઓ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી છે. એક વિશેષ પ્રકારની ગરોળી ગેકો (Gecko) પોતાના અવાજ અને અંધારામાં જોઈ શકવાની ક્ષમતાને લઈને જાણીતી છે. દક્ષિણપૂર્વ એશિયામાં ટોકો ગેકો ગરોળી ભયંકર જોખમમાં છે, કેમ કે તે ચીન, હોંગકોંગ, તાઇવાન, વિયેટનામ અને અન્ય એશિયન દેશોમાં માંગ પૂરી કરવા માટે શિકાર કરવામાં આવે છે.
દરેક જીવંત ગેકોની કિંમત કદ અને વજનના આધારે ₹ 70-80 લાખથી વધુની પહોંચે છે. ઘણી વખત, ઓછા વજનવાળા ગેકોઝનું વજન વધારવા પારાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જે થોડા દિવસમાં તેના મોતનું કારણ બને છે.
શિડયુલ 3 માં આવતી અને નાશપ્રાય થઈ રહેલી અતિ દુર્લભ ગરોળીને કેટલાક એશિયાઈ દેશોમાં તેના ઔષધીય મૂલ્યો માટે ખૂબ માંગ છે. ટોકો ગેકોઝનો ઉપયોગ કેન્સર, દમ, ડાયાબિટીઝ, એઇડ્સ, ત્વચા વિકાર અને અનેક બિમારીઓની સારવાર માટે સેંકડો વર્ષોથી પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવા ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ગેકો ટ્રેપર્સ ટ્રાફિકિંગ સાંકળમાં જોડાયા છે. વન્યપ્રાણી નિષ્ણાતોના મતે, આ ટ્રેપર્સ ભારતના મણિપુર, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિતના રાજ્યોમાં સક્રિય છે.
દુનિયામાં ગેકોની 1500થી વધુ પ્રજાતિ, તમામ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી
અવાજમાં વિશેષતાઓ જ ગેકોને ગરોળીની અન્ય પ્રજાતિઓથી જૂદી પાડે છે. વિશ્વભરમાં ગેકોની અંદાજે 1500 થી વધુ પ્રજાતિ છે. જે એકબીજા સાથે વાત કરવા માટે અલગ અલગ અવાજ કરે છે. મોટાભાગના ગેકો (ગરોળીઓ) પક્ષીઓની જેમ કલરવ અથવા તો ક્લિક જેવો અવાજ કાઢે છે. 'ટોકો' પ્રજાતિની ગેકો પ્રજનન માટે પોતાના ઉંચા અવાજ માટે જાણીતી છે. જ્યારે કેટલીક પ્રજાતિઓ ડર અથવા તો ભયના સમયે સાપની જેમ ફૂંફાડા મારે છે. પગના પંજાની બનાવટના કારણે કોઈપણ પ્રકારની સપાટી પર સરળતાથી ચાલી શકે છે.
આંખ પર પાંપણ નથી હોતી
ગેકો પ્રજાતિની તમામ ગરોળીઓને આંખો પર પાંપણ હોતી નથી. તેમની આંખોના રક્ષણ માટે એક પાતળું પટલ હોય છે. જેને કોર્નિઆ કહેવામાં આવે છે. ગેકો પોતાની આંખોને સાફ કરવા કોર્નિઆને પોતાની જ જીભ વડે ચાટતા હોય છે. ગેકો સ્વબચાવમાં અન્ય ગરોળીઓની જેમ પોતાની પૂંછડી છોડી દેતા હોય છે. જેને ઓટોટોમી (autotomy) કહેવામાં આવે છે.
અંધારામાં મનુષ્યો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે
ગેકોમાં ખૂબ જ શક્તિશાળી નાઈટ વિઝન હોય છે. તેઓ અંધારામાં માણસો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે. તેઓ રંગોને પણ માણસો કરતા વધારે સારી અને સ્પષ્ટપણે જોઈ શકે છે. ગેકોની કેટલીક પ્રજાતિઓ અલ્ટ્રા વાયોલેટ લાઈટ્સ અને હીટ સેન્સેટિવ હોય છે. જેના કારણે તેઓ જંગલમાં રાત્રિના સમયે સરળતાથી રહી શકે છે.
અંતરિક્ષમાં પણ સંશોધન માટે ગેકો ગરોળી ઉપર ટેસ્ટિંગ
ગેકો ગરોળી અંતરિક્ષમાં સનશોધનો માટે પણ પરીક્ષણનો એક વિષય બની ગઈ છે. તેના પગની અદ્વિતીય ચીપકી જવાની ક્ષમતાને લઈ તેના ઉપર ટેસ્ટિંગો થઈ રહ્યાં છે. ગેકોની કોઈપણ સપાટી ઉપર ચોંટી જવાની ક્ષમતાનો સ્પેસમાં અનિયંત્રિત તરતા કાટમાળને પકડવા રિસર્ચ થઈ રહી છે. જેથી અંતરિક્ષમાં રહેલા કે છોડતા યાન અને ઉપગ્રહોને આ કાટમાળથી અથડાતા આ ગરોળીના ચોટવાની ક્ષમતાનો ઉપયોગ કરી બચાવી શકાય.
મેડિકલ અને ઓપરેશન ક્ષેત્રે પણ ગેકો ગરોળી પર રિસર્ચ
ગેકો ગરોળી ઉપર મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ઓપરેટિવ ટાંકા, ઘાવ બંધ કરવા, ચીપકવવા માટે મેડિકલ ટેપ વિકસાવવા માટે તેની ચીપકવાની વિશેષતાને લઈ પરીક્ષણ કરાઈ રહ્યું છે. જે કોસ્મેટિક સર્જરી સાથે ત્વચા અને શરીરમાં ઝડપી રિકવરી લાવવા ઘણું મદદ થઈ શકે તેમ સાયન્સવિદો માની રહ્યાં છે.
અનેક બીમારીઓનો ઈલાજ થઈ શકે તેવી માન્યતા
કથિત રીતે ગીકો ગરોળીના માંસથી ડાયાબિટિસ , નપુંસક્તા , એઇડ્સ અને કેન્સર માટેની દવાઓ બનાવવામાં આવે છે. વર્ષ 2017 માં સશસ્ત્ર સીમા દળ ( SSB ) ની 17 મી બટાલિયને પશ્ચિમ બંગાળમાં એક સર્ચ ઓપરેશનમાં 5 ટોકે ગેકો ( દુર્લભ જાતિની લુપ્ત ગરોળી ) ને જપ્ત કરી હતી. એસએસબી ભારત - નેપાળ અને ભારત ભૂતાન સરહદે તૈનાત છે . એસએસબીની જવાબદારીવાળા વિસ્તારોમાં વિભિન્ન વન સંપત્તિ અને વન્યજીવ અભ્યારણ્ય આવે છે.
આ વન ક્ષેત્રોની બહારની સરહદમાં કુલ 120 ચોકીઓ છે અને આથી તસ્કરો અને શિકારીઓથી વન્ય જીવોની સુરક્ષા એ એસએસબી માટે મોટો પડકાર બની રહે છે. વન્યજીવોના મામલાના જાણકારોનું કહેવું છે કે એક વર્ષ પહેલા ઉત્તર પૂર્વ ભારતના મણિપુર , મિઝોરમ , નાગાલેન્ડ અને અસમમાં ગરોળીના તસ્કરોની સંખ્યા ઝડપથી વધી રહી હતી. મ્યાંમારમાં રહેતા વેપારીઓ આ ગરોળીને ચીન , ઈન્ડોનેશિયા , ફિલિપાઈન્સ અને અન્ય દક્ષિણપૂર્વી એશિયાઈ દેશોને વેચી નાખે છે . અંધશ્રદ્ધાને કારણે જ લોકો તેને પકડે છે . જેના કારણે જ તેની માંગ વધી છે.
IMD દ્વારા વાવાઝોડાના જાહેર કરાયેલા 169 નામો પૈકી ચોથા નંબરે હતું તૌકતે
'તૌકતે' એક બર્મીસ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ વધુ અવાજ કરતી ગરોળી થાય છે. અંગ્રેજીમાં આ ગરોળીને ગેકો કહેવાય છે. જે ઈન્ડોનેશિયાની મલાય ભાષાના શબ્દ 'ગેકોક' પરથી લેવામાં આવ્યો છે. IMD (India meteorological department) દ્વારા ગત વર્ષે વાવાઝોડાના સંભવિત નામો માટે 169 નામ ધરાવતી એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આ નામ ચોથા નંબર પર હતું. વાવાઝોડાને આ નામ આપવાનું સૂચન મ્યાનમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
લોકોને વાવાઝોડાના સમયમાં મદદ, ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તે માટે બીજા વિશ્વયુદ્ધ પછી વાવાઝોડાનું નામકરણ શરૂ કરાયું
વાવાઝોડાનું નામકરણ કરવાની પ્રથા બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અરબી સમુદ્ર અને બંગાળના આખાતને અડીને આવેલા ભારત, બાંગલાદેશ, મ્યાનમાર, માલદેવ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશો એકસાથે ભેગા થઈને સંભવિત વાવાઝોડાનું નામકરણ કરતા હોય છે. નામ આપવા પાછળનું કારણ માત્ર લોકોને વાવાઝોડાના સમયમાં મદદ મળી રહે તેમજ ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તે જ છે.
વર્ષ કે અક્ષાંશ-રેખાંશના આધારે વાવાઝોડાને યાદ રાખવું મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે આવા સરળ અને તુરંત યાદ રહી જતાં નામો આપીને વાવાઝોડાનો ઇતિહાસ અને વાવાઝોડાની વિનાશકતાને લોકો જાણી અને ઓળખી શકે તેમજ તેની માહિતી સરળતાથી મેળવી શકે તે માટે નામકરણ કરવામાં આવતું હોય છે.
તૌકતે વાવાઝોડું : ટોકે ગેકો અતિ દુર્લભ અને વિશેષ ગરોળી પરથી નામકરણ, 40 સેમી અને 200 ગ્રામ વજનની આ ગરોળીની આંતરાષ્ટ્રીય કિંમત ₹ 40 લાખથી ₹1 કરોડ
ટોકે ગેકોનો ઉપયોગ કેન્સર, દમ, એઇડ્સ, ડાયાબિટીઝ, ત્વચા વિકાર અને અનેક બિમારીઓની સારવાર માટે સેંકડો વર્ષોથી પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં કરવામાં આવે છે
ઔષધિય, કોસ્મેટિક, અંતરિક્ષમાં તેની ઉપયોગીતાને લઈ થાય છે સ્મગલિંગ, વજન વધારવા પારા (મર્ક્યુરી) નું ઇન્જેક્શન અપાઈ છે
ચીન, હોંગકોંગ, તાઇવાન, વિયેટનામ અને અન્ય એશિયન દેશોમાં માંગ પૂરી કરવા માટે થતો ગેકો ગરોળીનો શિકાર
WatchGujarat. તૌકતે (Tauktae) વાવાઝોડું હાલ ગુજરાતમાં ગાંડુતુર બની વિનાશ વેરી રહ્યું છે. તેના તાકતવર નામ પાછળ માત્ર 40 સેમી અને 200 ગ્રામ વજન ધરાવતી ટોકે ગેકો એક અતિ દુર્લભ ગરોળી (Gecko) રહેલી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹40 લાખથી ₹1 કરોડ છે. ગુજરાત અને ભારતના દરિયાકાંઠાને હાલ તેના તોફાની પવનો, અવાજ અને વરસાદથી વિનાશક અસર કરી રહેલા 2021 ના પ્રથમ વાવાઝોડા તૌકતેનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. જે ટોકે ગેકો (Gecko) ગરોળી ને આધીન છે.
વાવાઝોડા તૌકતેનો અર્થ થાય છે ગેકો (Gecko) પ્રજાતિની ગરોળી. સૌથી વધારે 1500 જેટલી પ્રજાતિઓ ધરાવતી ગરોળી છે 'ગેકો'. વિશ્વભરમાં હૂંફાળા વાતાવરણ ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે. ગેકોની અલગ અલગ પ્રજાતિઓ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી છે. એક વિશેષ પ્રકારની ગરોળી ગેકો (Gecko) પોતાના અવાજ અને અંધારામાં જોઈ શકવાની ક્ષમતાને લઈને જાણીતી છે. દક્ષિણપૂર્વ એશિયામાં ટોકો ગેકો ગરોળી ભયંકર જોખમમાં છે, કેમ કે તે ચીન, હોંગકોંગ, તાઇવાન, વિયેટનામ અને અન્ય એશિયન દેશોમાં માંગ પૂરી કરવા માટે શિકાર કરવામાં આવે છે.
દરેક જીવંત ગેકોની કિંમત કદ અને વજનના આધારે ₹ 70-80 લાખથી વધુની પહોંચે છે. ઘણી વખત, ઓછા વજનવાળા ગેકોઝનું વજન વધારવા પારાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જે થોડા દિવસમાં તેના મોતનું કારણ બને છે.
શિડયુલ 3 માં આવતી અને નાશપ્રાય થઈ રહેલી અતિ દુર્લભ ગરોળીને કેટલાક એશિયાઈ દેશોમાં તેના ઔષધીય મૂલ્યો માટે ખૂબ માંગ છે. ટોકો ગેકોઝનો ઉપયોગ કેન્સર, દમ, ડાયાબિટીઝ, એઇડ્સ, ત્વચા વિકાર અને અનેક બિમારીઓની સારવાર માટે સેંકડો વર્ષોથી પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માંગને પહોંચી વળવા ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ગેકો ટ્રેપર્સ ટ્રાફિકિંગ સાંકળમાં જોડાયા છે. વન્યપ્રાણી નિષ્ણાતોના મતે, આ ટ્રેપર્સ ભારતના મણિપુર, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિતના રાજ્યોમાં સક્રિય છે.
દુનિયામાં ગેકોની 1500થી વધુ પ્રજાતિ, તમામ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી
અવાજમાં વિશેષતાઓ જ ગેકોને ગરોળીની અન્ય પ્રજાતિઓથી જૂદી પાડે છે. વિશ્વભરમાં ગેકોની અંદાજે 1500 થી વધુ પ્રજાતિ છે. જે એકબીજા સાથે વાત કરવા માટે અલગ અલગ અવાજ કરે છે. મોટાભાગના ગેકો (ગરોળીઓ) પક્ષીઓની જેમ કલરવ અથવા તો ક્લિક જેવો અવાજ કાઢે છે. 'ટોકો' પ્રજાતિની ગેકો પ્રજનન માટે પોતાના ઉંચા અવાજ માટે જાણીતી છે. જ્યારે કેટલીક પ્રજાતિઓ ડર અથવા તો ભયના સમયે સાપની જેમ ફૂંફાડા મારે છે. પગના પંજાની બનાવટના કારણે કોઈપણ પ્રકારની સપાટી પર સરળતાથી ચાલી શકે છે.
આંખ પર પાંપણ નથી હોતી
ગેકો પ્રજાતિની તમામ ગરોળીઓને આંખો પર પાંપણ હોતી નથી. તેમની આંખોના રક્ષણ માટે એક પાતળું પટલ હોય છે. જેને કોર્નિઆ કહેવામાં આવે છે. ગેકો પોતાની આંખોને સાફ કરવા કોર્નિઆને પોતાની જ જીભ વડે ચાટતા હોય છે. ગેકો સ્વબચાવમાં અન્ય ગરોળીઓની જેમ પોતાની પૂંછડી છોડી દેતા હોય છે. જેને ઓટોટોમી (autotomy) કહેવામાં આવે છે.
અંધારામાં મનુષ્યો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે
ગેકોમાં ખૂબ જ શક્તિશાળી નાઈટ વિઝન હોય છે. તેઓ અંધારામાં માણસો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે. તેઓ રંગોને પણ માણસો કરતા વધારે સારી અને સ્પષ્ટપણે જોઈ શકે છે. ગેકોની કેટલીક પ્રજાતિઓ અલ્ટ્રા વાયોલેટ લાઈટ્સ અને હીટ સેન્સેટિવ હોય છે. જેના કારણે તેઓ જંગલમાં રાત્રિના સમયે સરળતાથી રહી શકે છે.
અંતરિક્ષમાં પણ સંશોધન માટે ગેકો ગરોળી ઉપર ટેસ્ટિંગ
ગેકો ગરોળી અંતરિક્ષમાં સનશોધનો માટે પણ પરીક્ષણનો એક વિષય બની ગઈ છે. તેના પગની અદ્વિતીય ચીપકી જવાની ક્ષમતાને લઈ તેના ઉપર ટેસ્ટિંગો થઈ રહ્યાં છે. ગેકોની કોઈપણ સપાટી ઉપર ચોંટી જવાની ક્ષમતાનો સ્પેસમાં અનિયંત્રિત તરતા કાટમાળને પકડવા રિસર્ચ થઈ રહી છે. જેથી અંતરિક્ષમાં રહેલા કે છોડતા યાન અને ઉપગ્રહોને આ કાટમાળથી અથડાતા આ ગરોળીના ચોટવાની ક્ષમતાનો ઉપયોગ કરી બચાવી શકાય.
મેડિકલ અને ઓપરેશન ક્ષેત્રે પણ ગેકો ગરોળી પર રિસર્ચ
ગેકો ગરોળી ઉપર મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ઓપરેટિવ ટાંકા, ઘાવ બંધ કરવા, ચીપકવવા માટે મેડિકલ ટેપ વિકસાવવા માટે તેની ચીપકવાની વિશેષતાને લઈ પરીક્ષણ કરાઈ રહ્યું છે. જે કોસ્મેટિક સર્જરી સાથે ત્વચા અને શરીરમાં ઝડપી રિકવરી લાવવા ઘણું મદદ થઈ શકે તેમ સાયન્સવિદો માની રહ્યાં છે.
અનેક બીમારીઓનો ઈલાજ થઈ શકે તેવી માન્યતા
કથિત રીતે ગીકો ગરોળીના માંસથી ડાયાબિટિસ , નપુંસક્તા , એઇડ્સ અને કેન્સર માટેની દવાઓ બનાવવામાં આવે છે. વર્ષ 2017 માં સશસ્ત્ર સીમા દળ ( SSB ) ની 17 મી બટાલિયને પશ્ચિમ બંગાળમાં એક સર્ચ ઓપરેશનમાં 5 ટોકે ગેકો ( દુર્લભ જાતિની લુપ્ત ગરોળી ) ને જપ્ત કરી હતી. એસએસબી ભારત - નેપાળ અને ભારત ભૂતાન સરહદે તૈનાત છે . એસએસબીની જવાબદારીવાળા વિસ્તારોમાં વિભિન્ન વન સંપત્તિ અને વન્યજીવ અભ્યારણ્ય આવે છે.
આ વન ક્ષેત્રોની બહારની સરહદમાં કુલ 120 ચોકીઓ છે અને આથી તસ્કરો અને શિકારીઓથી વન્ય જીવોની સુરક્ષા એ એસએસબી માટે મોટો પડકાર બની રહે છે. વન્યજીવોના મામલાના જાણકારોનું કહેવું છે કે એક વર્ષ પહેલા ઉત્તર પૂર્વ ભારતના મણિપુર , મિઝોરમ , નાગાલેન્ડ અને અસમમાં ગરોળીના તસ્કરોની સંખ્યા ઝડપથી વધી રહી હતી. મ્યાંમારમાં રહેતા વેપારીઓ આ ગરોળીને ચીન , ઈન્ડોનેશિયા , ફિલિપાઈન્સ અને અન્ય દક્ષિણપૂર્વી એશિયાઈ દેશોને વેચી નાખે છે . અંધશ્રદ્ધાને કારણે જ લોકો તેને પકડે છે . જેના કારણે જ તેની માંગ વધી છે.
IMD દ્વારા વાવાઝોડાના જાહેર કરાયેલા 169 નામો પૈકી ચોથા નંબરે હતું તૌકતે
'તૌકતે' એક બર્મીસ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ વધુ અવાજ કરતી ગરોળી થાય છે. અંગ્રેજીમાં આ ગરોળીને ગેકો કહેવાય છે. જે ઈન્ડોનેશિયાની મલાય ભાષાના શબ્દ 'ગેકોક' પરથી લેવામાં આવ્યો છે. IMD (India meteorological department) દ્વારા ગત વર્ષે વાવાઝોડાના સંભવિત નામો માટે 169 નામ ધરાવતી એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આ નામ ચોથા નંબર પર હતું. વાવાઝોડાને આ નામ આપવાનું સૂચન મ્યાનમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
લોકોને વાવાઝોડાના સમયમાં મદદ, ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તે માટે બીજા વિશ્વયુદ્ધ પછી વાવાઝોડાનું નામકરણ શરૂ કરાયું
વાવાઝોડાનું નામકરણ કરવાની પ્રથા બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અરબી સમુદ્ર અને બંગાળના આખાતને અડીને આવેલા ભારત, બાંગલાદેશ, મ્યાનમાર, માલદેવ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશો એકસાથે ભેગા થઈને સંભવિત વાવાઝોડાનું નામકરણ કરતા હોય છે. નામ આપવા પાછળનું કારણ માત્ર લોકોને વાવાઝોડાના સમયમાં મદદ મળી રહે તેમજ ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તે જ છે.
વર્ષ કે અક્ષાંશ-રેખાંશના આધારે વાવાઝોડાને યાદ રાખવું મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે આવા સરળ અને તુરંત યાદ રહી જતાં નામો આપીને વાવાઝોડાનો ઇતિહાસ અને વાવાઝોડાની વિનાશકતાને લોકો જાણી અને ઓળખી શકે તેમજ તેની માહિતી સરળતાથી મેળવી શકે તે માટે નામકરણ કરવામાં આવતું હોય છે.