બેરેક નં-1માં કાચા કામના કેદીનો RTPCR ટેસ્ટ કરાતા કોરોના પોઝિટીવ આવ્યો હતો.
કોવિડની ગાઇડલાઇન મૂજબ અન્ય કેદીઓને જેલમાં કવોરન્ટાઇન કરાતા હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીએ વિરોધ નોંધાવ્યો
બે દિવસથી ભુખ હડતાળ પર ઉતરેલા કેદી સામે પોલીસે ફરીયાદ નોંધાવી
WatchGujarat કોરોનાની મહામારી જેલની અંદર પણ પહોંચી છે. મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા અને કાચા કામના કેદીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મૂજબ કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. સરકારની આ ગાઇડલાઇનનો જેલમાં પણ અમલ કરવામાં આવે છે. ત્યારે ક્વોરન્ટાઇનનો વિરોધ નોંધાવાતા પાકા કામનો કેદી છેલ્લા બે દિવસથી ભુખ હડતાળ પર ઉતરતા જેલ સત્તાધીશોએ તેની સામે ફરીયાદ નોંધાવી હતી.
જેલના નિયમો સામાન્ય વ્યક્તિની સમજની બહાર છે. જેલમાં જમવા સુવા જેવી તમામ બાબતોનો સમય નક્કી હોય છે. જેનુ કેદીઓએ ચુસ્ત પાલન કરવાનુ હોય છે. કોરોના વાઇરસ જેલની અંદર પહોંચત અનેક કેદીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યં છે. તેવામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં દાખલ થતાં તેમજ રજા પરથી આવતા કેદીઓનો નિયમીત RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં બેરેક નં-1માં કાચા કામના એક કેદીનો ટેસ્ટ કરતા કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોઝિટીવ કેદીના સંપર્કમાં આવેલા તથા તેની સાથે રહેતા તમામને જેલ સત્તાધીશોએ જેલમાં જ ક્વોરોન્ટાઇન કર્યા હતા. કેદીઓને જેલમાં ક્વોરન્ટાઇન કરાતા હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અનિલ ઉર્ફે અન્નો લાલાભાઇ પુરબીયાએ વિરોધ નોંધાવી ભુખ હડતાળ પર ઉતરી ગયો હતો. ગત તા. 22 ડીસેમ્બરથી ભુખ હડતાળ પર ઉતરેલા અનિલ ઉર્ફે અન્નોને જેલ સત્તાધીશો દ્વારા સમજાવ્યા છતાં તે માન્યો નહી અને આખરે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જણાવ્યું એમ જેલના નિયમો સામાન્ય વ્યક્તિના સમજ બહાર છે, જેલમાં ભુખ હડતાળ પર ઉતરવુ એ એક ગંભીર પ્રકારનો ગુનો છે. જેથી જેલ સત્તાધીશો દ્વારા અનિલ ઉર્ફે અન્નો પુરબીયા સામે ફરીયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More #જેલ #Vadodara #Central jail #prisoner #on hunger #strike #Gujaratinews #Watchgujarat
બેરેક નં-1માં કાચા કામના કેદીનો RTPCR ટેસ્ટ કરાતા કોરોના પોઝિટીવ આવ્યો હતો.
બે દિવસથી ભુખ હડતાળ પર ઉતરેલા કેદી સામે પોલીસે ફરીયાદ નોંધાવી
WatchGujarat કોરોનાની મહામારી જેલની અંદર પણ પહોંચી છે. મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા અને કાચા કામના કેદીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મૂજબ કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. સરકારની આ ગાઇડલાઇનનો જેલમાં પણ અમલ કરવામાં આવે છે. ત્યારે ક્વોરન્ટાઇનનો વિરોધ નોંધાવાતા પાકા કામનો કેદી છેલ્લા બે દિવસથી ભુખ હડતાળ પર ઉતરતા જેલ સત્તાધીશોએ તેની સામે ફરીયાદ નોંધાવી હતી.
જેલના નિયમો સામાન્ય વ્યક્તિની સમજની બહાર છે. જેલમાં જમવા સુવા જેવી તમામ બાબતોનો સમય નક્કી હોય છે. જેનુ કેદીઓએ ચુસ્ત પાલન કરવાનુ હોય છે. કોરોના વાઇરસ જેલની અંદર પહોંચત અનેક કેદીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યં છે. તેવામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં દાખલ થતાં તેમજ રજા પરથી આવતા કેદીઓનો નિયમીત RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં બેરેક નં-1માં કાચા કામના એક કેદીનો ટેસ્ટ કરતા કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોઝિટીવ કેદીના સંપર્કમાં આવેલા તથા તેની સાથે રહેતા તમામને જેલ સત્તાધીશોએ જેલમાં જ ક્વોરોન્ટાઇન કર્યા હતા. કેદીઓને જેલમાં ક્વોરન્ટાઇન કરાતા હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અનિલ ઉર્ફે અન્નો લાલાભાઇ પુરબીયાએ વિરોધ નોંધાવી ભુખ હડતાળ પર ઉતરી ગયો હતો. ગત તા. 22 ડીસેમ્બરથી ભુખ હડતાળ પર ઉતરેલા અનિલ ઉર્ફે અન્નોને જેલ સત્તાધીશો દ્વારા સમજાવ્યા છતાં તે માન્યો નહી અને આખરે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જણાવ્યું એમ જેલના નિયમો સામાન્ય વ્યક્તિના સમજ બહાર છે, જેલમાં ભુખ હડતાળ પર ઉતરવુ એ એક ગંભીર પ્રકારનો ગુનો છે. જેથી જેલ સત્તાધીશો દ્વારા અનિલ ઉર્ફે અન્નો પુરબીયા સામે ફરીયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.