વડોદરામાં ઓક્સિજન અને હાઈ ડિપેડન્સી બેડની અછતને લઈ નિર્ણય
જિલ્લાની તમામ હોસ્પિટલે ભરૂચથી વડોદરા દર્દીને રીફર કરતા પહેલા રાઉન્ડ ધ ક્લોક શરૂ કરાયેલ કંટ્રોલ રૂમ 14420 પર કોલ કરી કન્ફોર્મેશન મેળવવું પડશે
ક્રિટિકલ દર્દીને રીફર કરતા બેડ નહિ મળતા દર્દીની સ્થિતિ બગડી શકવા સાથે જીવનું જોખમ વધવાની શક્યતાને લઈ નિર્ણય
WatchGujarat. ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પીટલોમાં હાલ કોવિડ –19 ના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી વડોદરા ખાતેની હોસ્પીટલમાં રીફર કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કલેકટર M.D. મોડિયાએ જિલ્લાની તમામ હોસ્પિટલો, IMA ભરૂચ-અંકલેશ્વરને પરિપત્ર જારી કરી, હાલની સ્થિતીએ ઓકિસજન બેડ અને હાઈ ડીપેડન્સી બેડ Occupancy ની વિગતો ધ્યાને લેતાં દર્દીને હેરાન ન થવું પડે અને બેડ ખાલી હોય તેવા કિસ્સામાં રેફરલ થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું છે.
સોમવારે સચિવ, શિક્ષણ અને કોવિડ –19 માટે વડોદરા ખાતે નિયુકત ખાસ ફરજ પરના અધિકારી દ્વારા યોજાયેલ વીડીયો કોન્ફરન્સમાં આપેલ સૂચના મુજબ વડોદરા ખાતે પેશન્ટ રેફરલ માટે રાઉન્ડ ધી કલોક કોવિડ –19 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે સંપર્ક માટેનો ટોલ ફ્રી નંબર 14420 છે.
હવેથી ભરૂચ જિલ્લાના કોઈપણ દર્દીને વડોદરા ખાતે રીફર કરવા માટે આપેલ નંબર પર સંપર્ક કરી જરૂરી વિગતો આપી કંટ્રોલ રૂમ મારફતે માહીતી મેળવી ત્યાંથી કન્ફર્મેશન મળ્યા બાદ જ દદીને રીફર કરવાના રહેશે. વડોદરા ખાતેના પેશન્ટ રેફરલ કંટ્રોલરૂમના કન્ફર્મેશન વગર જો કોઈ દર્દીને રીફર કરવામાં આવે અને દર્દીને હાલાકી ભોગવવાની થાય તેવા કિસ્સામાં સંપૂર્ણપણે જવાબદારી હોસ્પીટલ મેનેજમેન્ટની રહેશે તેમ કલેકટરે વધુમાં હોસ્પિટલોને સૂચના આપી છે.
- વડોદરામાં ઓક્સિજન અને હાઈ ડિપેડન્સી બેડની અછતને લઈ નિર્ણય
- જિલ્લાની તમામ હોસ્પિટલે ભરૂચથી વડોદરા દર્દીને રીફર કરતા પહેલા રાઉન્ડ ધ ક્લોક શરૂ કરાયેલ કંટ્રોલ રૂમ 14420 પર કોલ કરી કન્ફોર્મેશન મેળવવું પડશે
- ક્રિટિકલ દર્દીને રીફર કરતા બેડ નહિ મળતા દર્દીની સ્થિતિ બગડી શકવા સાથે જીવનું જોખમ વધવાની શક્યતાને લઈ નિર્ણય
WatchGujarat. ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પીટલોમાં હાલ કોવિડ –19 ના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી વડોદરા ખાતેની હોસ્પીટલમાં રીફર કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કલેકટર M.D. મોડિયાએ જિલ્લાની તમામ હોસ્પિટલો, IMA ભરૂચ-અંકલેશ્વરને પરિપત્ર જારી કરી, હાલની સ્થિતીએ ઓકિસજન બેડ અને હાઈ ડીપેડન્સી બેડ Occupancy ની વિગતો ધ્યાને લેતાં દર્દીને હેરાન ન થવું પડે અને બેડ ખાલી હોય તેવા કિસ્સામાં રેફરલ થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું છે.
સોમવારે સચિવ, શિક્ષણ અને કોવિડ –19 માટે વડોદરા ખાતે નિયુકત ખાસ ફરજ પરના અધિકારી દ્વારા યોજાયેલ વીડીયો કોન્ફરન્સમાં આપેલ સૂચના મુજબ વડોદરા ખાતે પેશન્ટ રેફરલ માટે રાઉન્ડ ધી કલોક કોવિડ –19 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે સંપર્ક માટેનો ટોલ ફ્રી નંબર 14420 છે.
હવેથી ભરૂચ જિલ્લાના કોઈપણ દર્દીને વડોદરા ખાતે રીફર કરવા માટે આપેલ નંબર પર સંપર્ક કરી જરૂરી વિગતો આપી કંટ્રોલ રૂમ મારફતે માહીતી મેળવી ત્યાંથી કન્ફર્મેશન મળ્યા બાદ જ દદીને રીફર કરવાના રહેશે. વડોદરા ખાતેના પેશન્ટ રેફરલ કંટ્રોલરૂમના કન્ફર્મેશન વગર જો કોઈ દર્દીને રીફર કરવામાં આવે અને દર્દીને હાલાકી ભોગવવાની થાય તેવા કિસ્સામાં સંપૂર્ણપણે જવાબદારી હોસ્પીટલ મેનેજમેન્ટની રહેશે તેમ કલેકટરે વધુમાં હોસ્પિટલોને સૂચના આપી છે.