સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં ગત. તા. 3 માર્ચના રોજ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આર્થીક ભીંસમાં આવી ગયેલા સોની પરિવારે ઝેરી દવા કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી પી લીધી હતી.
ઝેરી દવા પી લેતા ઘરના મોભી સહિત ત્રણ સ્થળ પર જ મોત નિપજ્યાં હતા.
સારવાર હેઠળ રહેલા દિપ્તીબેન સોની બાદ આઘાતમાં સરી પડેલા પુત્ર ભાવીન સોનીનુ મોત
WatchGujarat આર્થીક ભીંસમાં આવેલા સોની પરિવારે દેવુ ઉતારવા માટે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો. પાખંડી જ્યોતિષોના ચુંગલમાં ફસાતા પરિવારે 32 લાખ ગુમાવ્યાં હતા. આમ એક બાદ વાસતુ દોષની વિધીના બહાને અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના 9 જ્યોતિષોએ સોની પરિવારની આર્થીક પરિસ્થિતિ એટલી નબળી કરી નાખી કે તેઓ પાસે હવે કોઇ રસ્તો બચ્યો હતો. જેથી અંતે ઘરના મોભી નરેન્દ્ર સોનીએ સામૂહિક આપઘાતનો નિર્ણય લઇ ઝેરી દવા ગટગટાવી લેતા અત્યાર સુધીમાં કુલ 5 સભ્યોના મોત નિપજ્યાં છે. પરિવારના ચાર સભ્યોના એકા બાદ એક મોત થતાં આઘાતમાં સરી પડેલા ભાવીન સોનીએ પણ આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો.
શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસા.માં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમના પરિવારના સભ્યોએ ગત તા. 3 માર્ચના ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય ભરમાં ચકચાર મચાવતી આ ઘટનામાં નરેન્દ્ર સોની, પૌત્ર પાર્થ (3 વર્ષ) અને પુત્ર રીયા (16 વર્ષ)નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે ભાવીન નરેન્દ્રભાઇ સોની, તેમના માતા દિપ્તીબેન અને પત્ની ઉર્વીબેનને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થએ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર મેળવ્યાં બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા.
છેલ્લા ચાર દિવસથી સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સોની પરિવારના ત્રણ સભ્યો પૈકી ભાવીન સોનીની તબિયત સુધારા પર હોવાનુ જાણવા મળ્યું હતુ. જ્યારે તેમની માતા અને પત્નીની સ્થિતિ ગંભીર હોવાનુ જણાયુ હતુ. તેવામાં ગત તા. ભાવીન સોનીની માતા દિપ્તીબેન સોનાનુ ટુંકી સારવાર દરમિયાન મોત નિપ્જયુ હતુ. પરિવરામાંથી પુત્ર, બહેન, પિતા અને માતા ગુમાવનાર ભાવીન સોની આઘાતમાં સરી પડ્યો હતો. તેવામાં રવિવારને સવાર ભાવીન સોનીએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. જ્યારે તેમના પત્ની ઉર્વીબેન હાલ સારવાર હેઠળ છે.
સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં ગત. તા. 3 માર્ચના રોજ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આર્થીક ભીંસમાં આવી ગયેલા સોની પરિવારે ઝેરી દવા કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી પી લીધી હતી.
ઝેરી દવા પી લેતા ઘરના મોભી સહિત ત્રણ સ્થળ પર જ મોત નિપજ્યાં હતા.
સારવાર હેઠળ રહેલા દિપ્તીબેન સોની બાદ આઘાતમાં સરી પડેલા પુત્ર ભાવીન સોનીનુ મોત
WatchGujarat આર્થીક ભીંસમાં આવેલા સોની પરિવારે દેવુ ઉતારવા માટે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો. પાખંડી જ્યોતિષોના ચુંગલમાં ફસાતા પરિવારે 32 લાખ ગુમાવ્યાં હતા. આમ એક બાદ વાસતુ દોષની વિધીના બહાને અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના 9 જ્યોતિષોએ સોની પરિવારની આર્થીક પરિસ્થિતિ એટલી નબળી કરી નાખી કે તેઓ પાસે હવે કોઇ રસ્તો બચ્યો હતો. જેથી અંતે ઘરના મોભી નરેન્દ્ર સોનીએ સામૂહિક આપઘાતનો નિર્ણય લઇ ઝેરી દવા ગટગટાવી લેતા અત્યાર સુધીમાં કુલ 5 સભ્યોના મોત નિપજ્યાં છે. પરિવારના ચાર સભ્યોના એકા બાદ એક મોત થતાં આઘાતમાં સરી પડેલા ભાવીન સોનીએ પણ આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો.
શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસા.માં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમના પરિવારના સભ્યોએ ગત તા. 3 માર્ચના ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય ભરમાં ચકચાર મચાવતી આ ઘટનામાં નરેન્દ્ર સોની, પૌત્ર પાર્થ (3 વર્ષ) અને પુત્ર રીયા (16 વર્ષ)નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે ભાવીન નરેન્દ્રભાઇ સોની, તેમના માતા દિપ્તીબેન અને પત્ની ઉર્વીબેનને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થએ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર મેળવ્યાં બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા.
છેલ્લા ચાર દિવસથી સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સોની પરિવારના ત્રણ સભ્યો પૈકી ભાવીન સોનીની તબિયત સુધારા પર હોવાનુ જાણવા મળ્યું હતુ. જ્યારે તેમની માતા અને પત્નીની સ્થિતિ ગંભીર હોવાનુ જણાયુ હતુ. તેવામાં ગત તા. ભાવીન સોનીની માતા દિપ્તીબેન સોનાનુ ટુંકી સારવાર દરમિયાન મોત નિપ્જયુ હતુ. પરિવરામાંથી પુત્ર, બહેન, પિતા અને માતા ગુમાવનાર ભાવીન સોની આઘાતમાં સરી પડ્યો હતો. તેવામાં રવિવારને સવાર ભાવીન સોનીએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. જ્યારે તેમના પત્ની ઉર્વીબેન હાલ સારવાર હેઠળ છે.